Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત / ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીના ત્રણ કોર્પોરેટરોને ખરીદવાનો આક્ષેપ? આપ પાર્ટીનો કોઈ ભવિષ્ય નથી, તમારા બાળકોના શિક્ષણની તમામ જવાબદારી અમે ઉપાડીશુ

સુરત / ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીના ત્રણ કોર્પોરેટરોને ખરીદવાનો આક્ષેપ? આપ પાર્ટીનો કોઈ ભવિષ્ય નથી, તમારા બાળકોના શિક્ષણની તમામ જવાબદારી અમે ઉપાડીશુ

Our Visitor

009821
Total Users : 9821
Total views : 11499
Who's Online : 0

સુરત / ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીના ત્રણ કોર્પોરેટરોને ખરીદવાનો આક્ષેપ? આપ પાર્ટીનો કોઈ ભવિષ્ય નથી, તમારા બાળકોના શિક્ષણની તમામ જવાબદારી અમે ઉપાડીશુ

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

આમ આદમી પાર્ટીએ ગુરુવારે ભાજપ પર તેમના કાઉન્સિલરોને લાલચ આપીને ખરીદવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ આક્ષેપો વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ પત્રકાર પરિષદમાં કર્યા હતા.

ધર્મેશ ભંડેરીએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી હવે પૈસાથી પોતાના કાઉન્સિલરોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. AAPના વોર્ડ નંબર 3 કાઉન્સિલર મહેશ અણધણ, વોર્ડ નંબર 17 મહિલા કાઉન્સિલર રચના હીરપરા અને વોર્ડ નંબર 4 કાઉન્સિલર કુંદન કોઠિયાને એક જ નંબર પરથી અલગ-અલગ સમયે વ્હોટ્સએપ કોલ આવ્યા હતા.
સામેની વ્યક્તિએ ત્રણેયને કહ્યું કે આમ આદમી પાર્ટીના બે મોટા નેતાઓએ પાર્ટી છોડી દીધી છે અને હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કોઈ ભવિષ્ય નથી. તમારી પાસે ઘણી બેંક લોન ચાલી રહી છે અને તમારા બાળકો ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે. જો તમે ભાજપમાં જોડાશો તો અમે તમારા બાળકોના શિક્ષણની લોન ચૂકવવાની સંપૂર્ણ જવાબદારી લઈશું.

AAP દ્વારા ખરીદીના આરોપો પર પ્રતિક્રિયા આપતા, સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ આક્ષેપોને ફગાવ્યા હતા. તેમણે તેમના પક્ષ વતી આવા કોઈ પ્રયાસો કયાં કર્યા નથી અને કોણે આવા ફોન કર્યા છે અને કયા નંબર પરથી તેમની પાસે આવી કોઈ માહિતી નથી. આ માત્ર આક્ષેપો છે, જેમાં કોઈ તથ્ય નથી.

વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા લાલચ આપવામાં આવી રહી છે, અત્યાર સુધીમાં ત્રણ કાઉન્સિલરોને એક જ નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યા છે.


સુરત / ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીના ત્રણ કોર્પોરેટરોને ખરીદવાનો આક્ષેપ? આપ પાર્ટીનો કોઈ ભવિષ્ય નથી, તમારા બાળકોના શિક્ષણની તમામ જવાબદારી અમે ઉપાડીશુ

Related posts

કલેકટરનું જાહેરનામું / સરકારી અને બિનસરકારી મિલકતો ઉપર રાજકીય પ્રચારવાળી જાહેરાતો લગાવવા ઉપર નિયંત્રણો લદાયા

Ritesh Parmar

સુરત / સાયણ વિસ્તારને સુવિધાઓના મુદ્દે રાજકીય કિન્નાખોરી ક્યાં સુધી?
ધારાસભ્ય અને સાંસદ બંને સરકારમાં મંત્રીપદ શોભાવતા હોવા છતાં નાગરિકોને હાડમારી વેઠવાનો વારો.
સુવિધાઓ નહીં અપાય તો સરકારી કચેરીએ ઢોલ વગાડી તંત્રને ઢંઢોળવા નો કોંગ્રેસ દ્વારા આપવામાં આવશે કાર્યક્રમ: દર્શન નાયક: નેતા કોંગ્રેસ

Ritesh Parmar

જૂનાગઢના ગિરનારી સંત કાશ્મીરી બાપુનું નિધન, ભક્તોમાં દુઃખની લાગણી ફેલાઈ, બાપુને તેમના આશ્રમમાં સમાધિ અપાઈ

Ritesh Parmar

Leave a Comment