Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગીર સોમનાથ / શિક્ષક દિવસે જ શિક્ષકે કર્યો આપઘાત,શાળામાં ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા,

ગીર સોમનાથ / શિક્ષક દિવસે જ શિક્ષકે કર્યો આપઘાત,શાળામાં ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા,

Our Visitor

009761
Total Users : 9761
Total views : 11425
Who's Online : 2

ગીર સોમનાથ / શિક્ષક દિવસે જ શિક્ષકે કર્યો આપઘાત,શાળામાં ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા,

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

એક તરફ આજે આખો દેશ શિક્ષક દિવસની ઉજવણી કરી રહ્યો છે, ઠેર-ઠેર શિક્ષકોનું સન્માન કરવામાં આવી રહ્યું છે તો બીજી બાજુ ગીર સોમનાથ જિલ્લામાં એક શિક્ષકે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના થોરડી ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક ઘનશ્યામભાઈ અમરેલીયાએ શાળાના જ ઓરડામાં પંખા પર લટકી ગળેફાંસો ખાઈ લીધો હતો.
આ દરમિયાન શાળાના સ્ટાફનું ધ્યાન પડતા તાત્કાલિક જ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ થોરડી ગામે દોડી આવી છે.

પોલીસને શિક્ષકના મૃતદેહ પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી છે. સુસાઈડ નોટમાં મૃતક શિક્ષકે બે ટીપીઓ અને એક આચાર્ય દ્વારા તેમની પાસેથી મોટી રકમની માંગણી કરી ત્રાસ આપતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

હાલ પોલીસે શિક્ષકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે અને સુસાઇડ નોટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


ગીર સોમનાથ / શિક્ષક દિવસે જ શિક્ષકે કર્યો આપઘાત,શાળામાં ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા,

Related posts

મહિલા IPS અધિકારીની પોલીસ કર્મચારી સાથે જો હુકમી, મારા ઘરે કામ કરવું પડશે નહિતર સૌરાષ્ટ્રમાં ટ્રાન્સફર કરી દઈશ!ગૃહમંત્રીને ફરીયાદ કરાઈ,

Ritesh Parmar

એલર્ટ/ અમદાવાદ જિલ્લામાં ખૂંખાર પ્રાણીઓની એન્ટ્રી, સરખેજમાં દીપડા બાદ હવે સિંહ લટાર મારતો દેખાયો, એક વ્યક્તિ પર કર્યો હુમલો સદનસીબે સામાન્ય ઈજા

Ritesh Parmar

થરાદ / મોરથલના ગોકુલગામ પાસેથી પતી-પત્નીની વૃક્ષ સાથે લટકતી લાશ મળી આવી, હત્યાં કે આત્મહત્યા? પોલીસે તપાસ હાથ ધરી

Ritesh Parmar

Leave a Comment