Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગીર સોમનાથ / શિક્ષક દિવસે જ શિક્ષકે કર્યો આપઘાત,શાળામાં ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા,

ગીર સોમનાથ / શિક્ષક દિવસે જ શિક્ષકે કર્યો આપઘાત,શાળામાં ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા,

Our Visitor

003003
Total Users : 3003
Total views : 3680
Who's Online : 0

ગીર સોમનાથ / શિક્ષક દિવસે જ શિક્ષકે કર્યો આપઘાત,શાળામાં ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા,

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

એક તરફ આજે આખો દેશ શિક્ષક દિવસની ઉજવણી કરી રહ્યો છે, ઠેર-ઠેર શિક્ષકોનું સન્માન કરવામાં આવી રહ્યું છે તો બીજી બાજુ ગીર સોમનાથ જિલ્લામાં એક શિક્ષકે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના થોરડી ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક ઘનશ્યામભાઈ અમરેલીયાએ શાળાના જ ઓરડામાં પંખા પર લટકી ગળેફાંસો ખાઈ લીધો હતો.
આ દરમિયાન શાળાના સ્ટાફનું ધ્યાન પડતા તાત્કાલિક જ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ થોરડી ગામે દોડી આવી છે.

પોલીસને શિક્ષકના મૃતદેહ પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી છે. સુસાઈડ નોટમાં મૃતક શિક્ષકે બે ટીપીઓ અને એક આચાર્ય દ્વારા તેમની પાસેથી મોટી રકમની માંગણી કરી ત્રાસ આપતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

હાલ પોલીસે શિક્ષકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે અને સુસાઇડ નોટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


ગીર સોમનાથ / શિક્ષક દિવસે જ શિક્ષકે કર્યો આપઘાત,શાળામાં ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા,

Related posts

નેપાળ વિમાન દુર્ઘટના : પ્લેનમાં સવા૨ ભા૨તીય યુવાને અકસ્માત પહેલાનો વીડિયો ફેસબુકમાં લાઈવ ર્ક્યો નેપાળ વિમાન દુર્ઘટના પહેલાનો રુવાંટા ઉભા કરી દેતો Video Viral, 2 સેકન્ડમાં…,.

Phone: 9998685264.

સુરત / જિલ્લામાં શેરડી-ડાંગર-બાગાયતી પાકને વ્યાપક નુકસાન પહોંચાડતા ડુકકરો! ડુક્કરોના ત્રાસમાંથી મુક્ત કરવા નિતી બનાવવા બાબતે સહકારી અને ખેડૂત આગેવાન દર્શનભાઈ નાયક દ્વારા ખાંડ ઉદ્યોગ સંઘ સહિત તમામ સુગર મિલોને પત્ર લખવામાં આવ્યો

Phone: 9998685264.

રાજકોટ પોલીસ કમિશ્નર 15 ટકા કમિશન લઈને ફસાયેલાં રૂપિયા કઢાવી આપે છે? ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે કર્યા ગંભીર આક્ષેપ, ઉદ્યોગપતિ પાસેથી 75 લાખ પડાવ્યાનો પણ આક્ષેપ?

Phone: 9998685264.

Leave a Comment