Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

થરાદ / મોરથલના ગોકુલગામ પાસેથી પતી-પત્નીની વૃક્ષ સાથે લટકતી લાશ મળી આવી, હત્યાં કે આત્મહત્યા? પોલીસે તપાસ હાથ ધરી

થરાદ / મોરથલના ગોકુલગામ પાસેથી પતી-પત્નીની વૃક્ષ સાથે લટકતી લાશ મળી આવી, હત્યાં કે આત્મહત્યા? પોલીસે તપાસ હાથ ધરી

Our Visitor

009766
Total Users : 9766
Total views : 11432
Who's Online : 0

થરાદ / મોરથલના ગોકુલગામ પાસેથી પતી-પત્નીની વૃક્ષ સાથે લટકતી લાશ મળી આવી, હત્યાં કે આત્મહત્યા? પોલીસે તપાસ હાથ ધરી
હત્યાં કે આત્મહત્યાં, પોલીસે તપાસ હાથ ધરી

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

બુધવારના સવારના સુમારે થરાદ-વાવ હાઇવે પર આવેલા ગોકુળગામના પાટિયા નજીક ખેતરમાં ખીજડાના વૃક્ષ સાથે એક યુવક અને યુવતીનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતો જાેવા મળ્યો હતો. આથી આ યુગલ પ્રેમીપંખીડા હશે કે પ્રેમપ્રકરણ કારણભુત હશે સહિત અનેક તર્ક-વિતર્કો ચર્ચાસ્પદ બન્યા હતા. આ બનાવ અંગે યુવતીના પિતા ચમનાભાઈ રત્નાજી ઠાકોર રહે.
મોરથલ તા. થરાદ એ આ અંગે પોલીસ મથકમાં જાણ કરી હતી. જેમાં ૨૭ તારીખે મળવા આવેલી પુત્રી જમાઈ સાથે પોતાના ઘરે જવા નીકળી હતી. પરંતુ ઘરે જવાને બદલે ખેતરમાં દંપતીએ સાડી વડે ગળે ફાંસો ખાઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હોવાનું જણાવ્યું હતું.

પોલીસે વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો
બંનેની લાશ મળ્યાના ત્રણેક કલાક બાદ આ યુગલ બીજું કોઈ નહીં પરંતુ પતિ-પત્ની ખુદ હોવાનું જાણવા મળ્યું હતું. આથી પોતાના જ ખેતરમાં આટલી ઊંચાઈએ પતિ-પત્નીએ જાતે ચડીને આત્મહત્યા કેમ કરી હશે કે અન્ય કોઇ ઘટના ઘટી હશેનું રહસ્ય વધુ ઘેરૂ બનાવતા તેમના મૃત્યુ પાછળના કારણો ચર્ચાસ્પદ બન્યા હતા. જાેકે આ બનાવ અંગે થરાદ પોલીસ મથકમાં કોઈ જ જાણ કરવામાં આવી ન હતી. બીજી બાજુ યુવકના પરિવારજનો આ કેસમાં સમાધાન ઇચ્છતા હોવાનું પણ જાણવા મળ્યું હતું. થરાદ પંથકમાં આ ઘટનાને લઇને ભારે અરેરાટી સાથે ચકચાર પ્રસરી જવા પામી હતી. હાલ સમગ્ર બનાવમાં પોલીસે વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


થરાદ / મોરથલના ગોકુલગામ પાસેથી પતી-પત્નીની વૃક્ષ સાથે લટકતી લાશ મળી આવી, હત્યાં કે આત્મહત્યા? પોલીસે તપાસ હાથ ધરી

Related posts

અમરેલી /ચલાલામાં ઘર કંકાસથી કંટાળી માતાએ પોતાની બે માસુમ બાળકીઓ સાથે અગ્નિસ્નાન કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ, 3 ના કરુણ મોત

Ritesh Parmar

વાસદ બગોદરા હાઈવે પરથી બાઈક ઉપર પસાર થતાં દંપતીને બેફામ રીતે હંકારી રહેલા કાર ચાલકે ટક્કર મારી, બંનેના કરુણ મોત

Ritesh Parmar

ગૃહમંત્રી હર્ષ સંઘવીના આદેશના પાલનની શરૂઆત, વ્યાજખોરો સામેની ઝુંબેશના પહેલા જ દિવસે સુરતમાં 14 ની ધરપકડ, મોટી કાર્યવાહીથી અન્યમાં ફફડાટ

Ritesh Parmar

Leave a Comment