Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ધારાસભ્ય બનેલા પૂર્વ મંત્રીઓ એકલા પડી ગયા, મંત્રીમંડળમાં સ્થાન ના મળતા ગજાવર નેતાઓ આરામની સ્થિતિમાં

ધારાસભ્ય બનેલા પૂર્વ મંત્રીઓ એકલા પડી ગયા, મંત્રીમંડળમાં સ્થાન ના મળતા ગજાવર નેતાઓ આરામની સ્થિતિમાં

Our Visitor

009768
Total Users : 9768
Total views : 11435
Who's Online : 0

ધારાસભ્ય બનેલા પૂર્વ મંત્રીઓ એકલા પડી ગયા, મંત્રીમંડળમાં સ્થાન ના મળતા ગજાવર નેતાઓ આરામની સ્થિતિમાં

ગુજરાત વિધાનસભામાં ભાજપના 156+3 એમ 159 ધારાસભ્યો છે પરંતુ અનેક પૂર્વ મંત્રીઓ અને ભુતકાળમાં જેમનો વિધાનસભાથી લઇ સચિવાલયમાં દબદબો હતો તેવા અનેક ધારાસભ્યોને પોતાને ટીકીટ મળી તેથી લક્કી સમજતા હતા અને જીતી ગયા પછી મંત્રીમંડળમાં સ્થાન મેળવશે તેવી આશા હતી.

પરંતુ જે રીતે મોદી-શાહ અને પાટીલની જોડીએ નાનુ મંત્રી મંડળ રાખ્યુ અને તેમાં પણ અનેક જૂુના મંત્રીઓને તેમજ મોટુ સ્થાન ભોગવી ચૂકેલા પક્ષના નેતાઓને નહીં સમાવતા તેઓને વિધાનસભામાં સમય પસાર કરવો પણ મુશ્કેલ છે.સૌથી મહત્વનું શંકર ચૌધરીને વિધાનસભાના અધ્યક્ષ બનાવાયા તેની પાછળ પક્ષની ચાલ શું છે તે હજુ સુધી કોઇ સમજી શક્યું નથી અને અંતે તેમનો અવાજ ખુબ જ સારો છે તેમ કહી મન મનાવી લેવાયું છે તો બીજી તરફ બે પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા અને ગણપત વસાવા ફરી વિધાનસભામાં તો ચૂંટાયા અને હવે બાજુબાજુમાં બેસીને એકબીજાને સાંત્વના આપે છે.

ભાજપના પૂર્વ દંડક પંકજ દેસાઈ પાસે હવે કોઇ કામ નથી અને તેથી તેઓ આંટા મારતા નજરે ચડ્યા હતા. કેટલાક પૂર્વ મંત્રીઓ અને સિનિયર સભ્યો મંત્રીઓની ચેમ્બરમાં જતા પણ શરમ અનુભવે છે અને તેથી તેઓ તૂર્ત જ તેઓ ગાંધીનગરમાં પોતાના નિવાસસ્થાન અથવા વતનમાં ચાલ્યા જાય છે.


ધારાસભ્ય બનેલા પૂર્વ મંત્રીઓ એકલા પડી ગયા, મંત્રીમંડળમાં સ્થાન ના મળતા ગજાવર નેતાઓ આરામની સ્થિતિમાં

Related posts

ઓમિક્રોન ના દહેશતના કારણે સુરત ફફડ્યું, જો હવે પછી કોઈ સ્કુલ કે કોલેજમાં ઓમિક્રોનનો કેસ આવશે તો 14 દિવસ સુધી કરી દેવાશે બંધ!

Ritesh Parmar

આ બટુકભાઇને ઓળખી લેજો,કયાંક તમેતો પૈસા નથી આપ્યાને, કોર્ટે કરી 1 વર્ષની સજા

Ritesh Parmar

30 થી વધુ સોનાના દોરા તોડનારો રીઢો ચોર ઝડપાયો! છેલ્લા પાંચ દિવસમાં 8 થી વધુ ગુના ને અંજામ આપનાર ચોરને મણિનગર પોલીસે દબોચી લીધો

Ritesh Parmar

Leave a Comment