Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ભુજ / માંડવીમાં શર્મશાર કરતી ઘટના,પિતા પોતાની સગીર દીકરી સાથે અવાર નવાર અશ્લીલ હરકતો કરતા દીકરીએ આપઘાત કર્યો

ભુજ / માંડવીમાં શર્મશાર કરતી ઘટના,પિતા પોતાની સગીર દીકરી સાથે અવાર નવાર અશ્લીલ હરકતો કરતા દીકરીએ આપઘાત કર્યો

Our Visitor

003000
Total Users : 3000
Total views : 3677
Who's Online : 0

ભુજ / માંડવીમાં શર્મશાર કરતી ઘટના,પિતા પોતાની સગીર દીકરી સાથે અવાર નવાર અશ્લીલ હરકતો કરતા દીકરીએ આપઘાત કર્યો

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

પિતા અને દિકરીનો સંબંધ ખૂબ જ પવિત્ર હોય છે. દીકરી પર કોઈ આફત આવે તો પિતા ઢાલ બનીને તેની આગળ ઊભા રહી જાય છે પરંતુ આજે પિતા અને પુત્રીના સંબંધને કલંક લગાવતો એક કિસ્સો ભુજના માંડવીમાં સામે આવ્યો છે. આ ઘટનામાં પિતાને ગંદી હરકતોના કારણે દીકરીએ આપઘાત કરવો પડ્યો અને આ સમગ્ર ઘટનાને પગલે પત્નીએ પતિ સામે જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ ઘટનાને લઇ એક મહિના પછી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર ભુજના માંડવીના દીવાદાંડી પાસે 20 ઓગસ્ટના રોજ એક સગીરા એ તેના ઘરે ગળેફાંસો ખાધો હતો. આ ઘટનાની જાણ સગીરાની માતાને થતા તેણે તાત્કાલિક પોલીસને માહિતી આપી હતી. તેથી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે સગીર વયની યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને તપાસ શરૂ કરી હતી. જોકે આ ઘટનામાં એક મહિના પછી આપઘાત કરનાર સગીરાની માતાના નિવેદનના કારણે મોટો વળાંક આવ્યો છે. સગીરાની માતાએ તેના પતિ સામે આક્ષેપ કર્યો હતો કે, સગીરાના પિતા 9 મહિના પહેલા મસ્કત ઓમાનથી દીકરીને ફોન કરીને તેના આંતરવસ્ત્રો બાબતે પૂછીને તેની સાથે અશ્લીલ વાતો કરતા હતા અને ફોનમાં જ દીકરી સાથે અનૈતિક સંબંધોની માગણી કરતા હતા.

આપઘાત સગીરાની માતાએ આ બાબતે ઓડિયો કિલપિંગ પણ પોલીસને આપ્યું છે અને પોલીસે સગીરાના પિતા વિરુદ્ધ આત્મહત્યા કરવા બાબતેની દુષ્પ્રેરણા અંગેનો ગુનો નોંધીને નરાધમ પિતાની ધરપકડ કરી છે. આટલું જ નહીં પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યો છે કે, સગીરા રાત્રે સૂતી હતી ત્યારે નિદ્રાધીન અવસ્થામાં સગીરાના પિતા દીકરીની છાતી પર હાથ ફેરવતો હતો. દીકરીને શારીરિક અને માનસિક રીતે ખૂબ જ પરેશાન કરતો હતો. કોરોનાની મહામારી વચ્ચે મસ્કતમાં લોકડાઉન હોવાથી આ નરાધમ પિતા તેના પરિવારની સાથે રહેવા આવ્યો હતો અને ત્યાં દીકરીની એકલતાનો લાભ લઇ તેના પર નજર ખરાબ કરીને તેની છેડતી કરતો હતો. આ બાબતે સગીર વયની દીકરી અને તેના પિતાને અવાર-નવાર બોલાચાલી પણ થતી હતી. આ પ્રકારના ત્રાસથી કંટાળેલી સગીરાએ 20 ઓગસ્ટના રોજ પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. હાલ તો પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરીને તેની સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.


ભુજ / માંડવીમાં શર્મશાર કરતી ઘટના,પિતા પોતાની સગીર દીકરી સાથે અવાર નવાર અશ્લીલ હરકતો કરતા દીકરીએ આપઘાત કર્યો

Related posts

અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પીસીબી ત્રાટકી! દોઢ કરોડનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો,પીસીબી ની ટીમે 700 થી વધુ ઇંગ્લિશ દારૂની પેટીઓ અને ચાર ઈસમોની ધરપકડ કરી તરખાટ મચાવ્યો,

Phone: 9998685264.

સુરત / ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીના ત્રણ કોર્પોરેટરોને ખરીદવાનો આક્ષેપ? આપ પાર્ટીનો કોઈ ભવિષ્ય નથી, તમારા બાળકોના શિક્ષણની તમામ જવાબદારી અમે ઉપાડીશુ

Phone: 9998685264.

નવરાત્રી પર્વ છે સાધનાનું, નહીં કે વાસનાનું, વાંચો નવરાત્રી પર્વમાં કેવી ઘટનાઓ બને છે….

Phone: 9998685264.

Leave a Comment