Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે હિન્દી મહાસંઘ દ્વારા નવા પદાધિકારીઓની નિયુક્તિ કરાઈ

અમદાવાદ શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે હિન્દી મહાસંઘ દ્વારા નવા પદાધિકારીઓની નિયુક્તિ કરાઈ

Our Visitor

003001
Total Users : 3001
Total views : 3678
Who's Online : 0

અમદાવાદ શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે હિન્દી મહાસંઘ દ્વારા નવા પદાધિકારીઓની નિયુક્તિ કરાઈ

અમદાવાદ શાહીબાગ જુના સર્કિટ હાઉસ ખાતે હિન્દી મહાસઘ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બેઠક માં ગુજરાતમાં વસવાટ કરતા હિન્દી ભાષીઓ પડતી હાલાકી બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આજના કાર્યક્રમમાં હિન્દી ભાષી મહાસંઘ દ્વારા અમદાવાદ અને વડોદરા જિલ્લાના નવા પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી હતી..

આ કાર્યક્રમમાં હિન્દી ભાષી મહા સંઘના ગુજરાત અધ્યક્ષ મહાદેવ ઝા, મહામંત્રી અરવિંદ સિંહ, ઉપાધ્યક્ષ અરુણ ભટ્ટ અને સુજીત પાઠક, સોનાસિહ રાજપૂત ગુજરાત સંગઠન મંત્રી ઉપસ્થિત રહી આગળના કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી.

હિન્દી ભાષી મહાસંઘની રચના 2017માં કરવામાં આવી હતી. 2017 પછી આ સંઘ દ્વારા અનેક નવતર પ્રયોગ કરી હિન્દી ભાષીઓને આગળ આવવા માટે મદદ શરૂ કરી હતી. ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી આવતા હિન્દી ભાષી લોકો માટે આ સંઘ રાત દિવસ એક પગે ઉભો રહી સેવા આપી રહ્યો છે..2017 પછી આવેલ કોરોના મહામરીમાં પણ આ હિન્દી ભાષી મહાસઘ દ્વારા હજારો હિન્દી ભાષી પરિવારોની મદદ કરવામાં આવી હતી…

લોકડાઉનની કાપરી પરિસ્થિતિમાં પોતાના પરિવાર થી દુર ફસાયેલ લોકોને તેમના માદરે વતન પોહચડવા માટે હિન્દી ભાષી મહાસંઘ દ્વારા રૂપાણી સરકાર સાથે તાત્કાલિક બેઠક કરી તેમને જરૂરત મંદ વસ્તુ પ્રાપ્ત કરાવી તેમને પોતાના ઓરિવાર પાસે પોહચડવા માટે મદદ કરી હતી…

ફરી એક વાર હિન્દી ભાષી મહાસંઘ ગુજરાતમાં વસવાટ કરતા સમાજ માટે આગળ આવ્યો છે અને હવે આ સમાજ જે યુવાન રાજકીય પાર્ટી માં જવા માંગતો હોય તેવા યુવાનને પ્રેરિત કરી તેને સાથ આપશે… હિન્દી ભાષી મહાસંઘ નો કોઈ પણ યુવાન કોઈ પણ પાર્ટી સાથે સંકળાયેલો હશે તો તેને આ સંઘ સંપૂર્ણ મદદ કરશે….

પોતાના પરિવારનું ગુજરાન ચલાવા માટે અન્ય રાજ્યોમાંથી આવતા હિન્દી ભાષી નાગરિકો ને તમામ સુવિધા પૂરી પાડવા માટે હિન્દી ભાષી મહાસંઘ હમેશા આગળ આવી તેની મદદ કરી રહ્યો છે અને આગળ ભવિષ્યમાં કરતો રહશે…. સમગ્ર ગુજરાત માં 20% હિન્દી ભાષી પોતાના પરિવાર સાથે વસવાટ કરે છે…


અમદાવાદ શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે હિન્દી મહાસંઘ દ્વારા નવા પદાધિકારીઓની નિયુક્તિ કરાઈ

Related posts

સુરતના અડાજણમાં જીવતા બોમ્બ, શુ ડીજીવીસીએલ દુર્ઘટનાની જોઈ રહ્યું છે રાહ?

Phone: 9998685264.

ગુજરાતી ફિલ્મ ‘ઉંબરો મોશન પોસ્ટર રિલીઝ, 24 જાન્યુઆરી 2025 ના રોજ સિનેમાઘરોમાં આવશે

Phone: 9998685264.

અમદાવાદ સંગીત જગતના સિનિયર કલાકારો દ્વારા સ્વ: લતા મંગેશકરની યાદમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનો આયોજન કર્યો, જબરદસ્ત આવાજ અને અંદાજમાં આર્ટિસ્ટોએ પર્ફોર્મન્સ કર્યું, જુઓ વિડીયો

Phone: 9998685264.

Leave a Comment