
આ વર્ષે અઘીક માસ હોવાથી દશામા ની સ્થાપના ક્યારે કરવી તેની ભક્તો મુંજવણ અનુભવી રહ્યા છે.
ત્યારે જ્યોતિષી શાસ્ત્રી પાર્થ ભટ્ટ એ જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમા દશામા ના વ્રતની શરૂઆત અષાઢ મહિનાની અમાસ થી કરવામાં આવે છે. એટલે વ્રતની આરંભ અમાસ અને દીવાસા ના દિવસ થી કરવી જોઈએ ને પછી ભલે અધિક માસ શરૂ થાય આમ જોવા જઈએ તો અધિકમાસ પણ છે. ભક્તિ કરવાનો મહિનો છે. એટલે અતિ પવિત્ર મહિનામાં દશામાની પૂજા -અર્ચના કરવાથી વિશેષ લાભ થાય છે. વિના સંકોચે દશામાંની સ્થાપના અષાઢી અમાસના દિવસે કરી શકાશે.
માં દશામાની પૂજા કેવી રીતે કરશો
આમ તો જોવા જઈએ તો કોઈ પણ દેવી-દેવતા ની સ્થાપના કરવી હોય તો તેના માટે ચલિત પ્રાણ પ્રતિષ્ઠા કરવી પણ જરૂરી છે ત્યારે બ્રાહ્મણ દ્વારા દશામાંની મૂર્તિમાં આવાહન કરીને તેની પ્રાણ પ્રતિષ્ઠા કરીને તથા માં દશામાના 16 પ્રકારના પુજન કરીને તેના પર અભિષેક કરીને તેની સ્થાપના કરવામાં આવે છે. અને જે પ્રમાણેના વ્રત હોય તે પ્રમાણે દરરોજ જે તે વ્યક્તિને મા દશામા ને દીવો કરવો ધૂપ કરવો ફૂલ ચડાવવા તથા કંકુનો ચાંદલો કરવો તથા બને તો દરરોજ માને શણગાર પણ કરવો સાથે માતાજીને તેમના વસ્ત્ર પણ બદલાવવા જોઈએ. દરરોજ માતાજીને અલગ અલગ નૈવેદ્ય ધરવો અને તે જ નૈવેદ્ય લોકોને પ્રસાદમાં પણ આપવું. માં દશામાંની જે વાર્તા છે તે પણ તમારે લોકોને સંભળાવવી અને દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા માટેની સાંઢણી બનાવીને તેનું પૂજન કરવું દસમા દિવસે સાંઢણીને નદીમાં પધરાવી પાંચમા વર્ષે વ્રતનું ઉજવણું કરવું અને યથાશક્તિ હોય તે પ્રમાણે સોના ચાંદી કે પછી કે લોખંડની પ્રતિમા બનાવીને પધરાવી સાથે તે દિવસે વસ્ત્રનું પણ દાન કરવું જોઈએ.





Total Users : 9905
Total views : 11592
Who's Online : 7