
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )
બુધવારના સવારના સુમારે થરાદ-વાવ હાઇવે પર આવેલા ગોકુળગામના પાટિયા નજીક ખેતરમાં ખીજડાના વૃક્ષ સાથે એક યુવક અને યુવતીનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતો જાેવા મળ્યો હતો. આથી આ યુગલ પ્રેમીપંખીડા હશે કે પ્રેમપ્રકરણ કારણભુત હશે સહિત અનેક તર્ક-વિતર્કો ચર્ચાસ્પદ બન્યા હતા. આ બનાવ અંગે યુવતીના પિતા ચમનાભાઈ રત્નાજી ઠાકોર રહે.
મોરથલ તા. થરાદ એ આ અંગે પોલીસ મથકમાં જાણ કરી હતી. જેમાં ૨૭ તારીખે મળવા આવેલી પુત્રી જમાઈ સાથે પોતાના ઘરે જવા નીકળી હતી. પરંતુ ઘરે જવાને બદલે ખેતરમાં દંપતીએ સાડી વડે ગળે ફાંસો ખાઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હોવાનું જણાવ્યું હતું.
પોલીસે વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો
બંનેની લાશ મળ્યાના ત્રણેક કલાક બાદ આ યુગલ બીજું કોઈ નહીં પરંતુ પતિ-પત્ની ખુદ હોવાનું જાણવા મળ્યું હતું. આથી પોતાના જ ખેતરમાં આટલી ઊંચાઈએ પતિ-પત્નીએ જાતે ચડીને આત્મહત્યા કેમ કરી હશે કે અન્ય કોઇ ઘટના ઘટી હશેનું રહસ્ય વધુ ઘેરૂ બનાવતા તેમના મૃત્યુ પાછળના કારણો ચર્ચાસ્પદ બન્યા હતા. જાેકે આ બનાવ અંગે થરાદ પોલીસ મથકમાં કોઈ જ જાણ કરવામાં આવી ન હતી. બીજી બાજુ યુવકના પરિવારજનો આ કેસમાં સમાધાન ઇચ્છતા હોવાનું પણ જાણવા મળ્યું હતું. થરાદ પંથકમાં આ ઘટનાને લઇને ભારે અરેરાટી સાથે ચકચાર પ્રસરી જવા પામી હતી. હાલ સમગ્ર બનાવમાં પોલીસે વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.





Total Users : 25
Total views : 93
Who's Online : 0