Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વડોદરામાં આર્થિક સંકડામણમાં પોતાની બે દીકરીને ઝેર પાઈ જનેતાનો આપઘાતનો પ્રયાસ! આર્થિક સંકડામણમાં જીવ લેવા અને દેવા મજબુર બની જનેતા,બન્ને દીકરીના મોત, માતા સારવાર માટે હોસ્પીટલ ખસેડાઈ

વડોદરામાં આર્થિક સંકડામણમાં પોતાની બે દીકરીને ઝેર પાઈ જનેતાનો આપઘાતનો પ્રયાસ! આર્થિક સંકડામણમાં જીવ લેવા અને દેવા મજબુર બની જનેતા,બન્ને દીકરીના મોત, માતા સારવાર માટે હોસ્પીટલ ખસેડાઈ

Our Visitor

009766
Total Users : 9766
Total views : 11432
Who's Online : 1

વડોદરામાં આર્થિક સંકડામણમાં પોતાની બે દીકરીને ઝેર પાઈ જનેતાનો આપઘાતનો પ્રયાસ! આર્થિક સંકડામણમાં જીવ લેવા અને દેવા મજબુર બની જનેતા,બન્ને દીકરીના મોત, માતા સારવાર માટે હોસ્પીટલ ખસેડાઈ

અત્રે એક જનેતાએ તેની બે સગી દીકરીઓને ઝેર પાઈ મોતને ઘાટ ઉતારીને પોતે ગળે ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે તેને પડોશીઓ દ્વારા બચાવી લેવામાં આવી હતી. તેની હોસ્પીટલમાં સારવાર ચાલી રહી છે. આર્થિક સંકડામણમાં માતાએ બે દીકરીઓને ઝેર પીવડાવી મોતને ઘાટ ઉતારી ખુદે ગળે ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું માતાની સુસાઈડ નોટમાં બહાર આવ્યુ છે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ કારેલીબાગ વિસ્તારમાં આવેલી અક્ષતા સોસાયટીમાં ભાડાનાં મકાનમાં રહેતા દક્ષાબેન ચૌહાણે ઘરમાં બે દીકરીઓના હાથ-પગ બાંધીને ઝેર પીવડાવી દીધુ હતું.

દીકરીઓ તેમ છતાં ન મરતા માતાએ ગળા દબાવીને બન્ને દીકરીઓને મોતને ઘાટ ઉતારી હતી અને પોતે પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. વધુમાં જાણવા મળતી માહિતી મુજબ દક્ષાબેનની મોટી દીકરી ટી.વાય બી.કોમમાં અભ્યાસ કરતી હતી. અને તેને એર હોસ્ટેસ બનવુ હતું. નાની દીકરી શાલીની 9 માં ધોરણમાં ભણતી હતી.

વધુમાં જાણવા મળતી વિગત અનુસાર દક્ષાબેનનાં 15 વર્ષ પહેલા ડીવોર્સ થઈ ગયા હતા. વિરમગામ સાસરૂ હતું તેઓ ભાડાનાં મકાનમાં રહેતા હતા. પોલીસને સુસાઈડ નોટ મળી છે. જેમાં આર્થિક સંકડામણમાં માતાએ આ ખોફનાક પગલુ ભર્યાનું બહાર આવેલ છે.


વડોદરામાં આર્થિક સંકડામણમાં પોતાની બે દીકરીને ઝેર પાઈ જનેતાનો આપઘાતનો પ્રયાસ! આર્થિક સંકડામણમાં જીવ લેવા અને દેવા મજબુર બની જનેતા,બન્ને દીકરીના મોત, માતા સારવાર માટે હોસ્પીટલ ખસેડાઈ

Related posts

ઝોન 5 અને ખોખરા પોલીસની માનવતાને સલામ! ઝોન 5 ડિસિપી દેસાઈ અને ખોખરા પીઆઈ રબારીની ઉમદા કામગીરી, મૃતક પોલીસના પરિવારને 7,25000 ની આર્થિક મદદ કરાઈ

Ritesh Parmar

અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે અનુપમસિંહ ગેહલોત અને શમશેરસિંહનું નામ મોખરે, 30 એપ્રિલે નિવૃત થશે અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ

Ritesh Parmar

આગામી જગન્નાથ રથયાત્રાને ધ્યાનમાં રાખી અમદાવાદ પોલીસે એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું, “હિન્દૂ-મુસ્લિમ એક હે” ના નારા સાથે શરુ કરાઈ ક્રિકેટ ટુર્નામેન્ટ! મહંત -મૌલવી સહીત અમદાવાદના મેયર અને પોલીસ કમિશ્નર રહ્યા ઉપસ્થિત

Ritesh Parmar

Leave a Comment