
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 24 IPS અધિકારીઓને હૈદરાબાદ સરદાર વલ્લભભાઇ પટેલ ટ્રેનિંગ સેન્ટર ખાતે મોકલવાનો આદેશ ફરમાવવામાં આવ્યો છે. ગૃહ વિભાગે બહાર પાડેલા આદેશ અનુસાર અમદાવાદ શહેરના મુખ્ય ચાર પોલીસ અધિકારીઓ ઝોન-7ના ડીસીપી ભગીરથ સીંહ જાડેજા, ઝોન-2 જયદિપસીંહ જાડેજા, અત્યંત સંવેદનશીલ સાબરમતી મધ્યસ્થ જેલ સુપ્રિટેન્ડન્ટ ડો.તેજસ પટેલ, આતંકવાદી અને દેશદ્રોહની પ્રવૃત્તિ અટકાવવાનુ કામ કરતી એસઓજીના ડીસીપી જયરાજસિંહ વાળાનો સમાવેશ કરવામા આવ્યો છે.
45 દિવસ સુધી ટ્રેનીંગ અપાશે
હૈદરાબાદ ખાતે આ તમામ અધિકારીઓને 45 દિવસ સુધી ટ્રેનીંગ આપવામાં આવશે. જો કે આટલા લાંબા સમયગાળા માટે IPSની જગ્યાઓ ખાલી ન રાખી શકાય તે માટે તેમના સ્થાને અન્ય અધિકારીઓને તેમનો ચાર્જ સોંપવાનો નકકી કરી દીધો છે. અમદાવાદ શહેરના ઝોન-7 વિસ્તારના ડીસીપી ભગીરથસીંહ જાડેજાના તાબામાં આવતાં પોલીસ સ્ટેશનના વિસ્તારમાં હાઇપ્રોફાઇલ લોકો અને ઉચ્ચ સરકારી અધિકારીઓ રહેતા હોવાથી તેમનો ચાર્જ ક્રાઇમ બ્રાંચના ઇકોનોમિક સેલના ડીસીપી ભારતીબેન પંડ્યાને સોપવામાં આવે તેવી શકયતા સેવાઇ રહી છે.
ક્યાં અધિકારીઓને કોનો ચાર્જ સોંપવામાં આવ્યો
બીજી તરફ શહેરના અતિ સંવેદનશીલ વિસ્તારમાં ઝોન-2 ડીસીપી જયદિપસીહ જાડેજાનો ચાર્જ ટ્રાફિક ડીસીપી અને સ્વરછ પ્રતિભા ધરાવતા તેમજ દેશના યંગેસ્ટ અધિકારી તરીકે જાણીતા શફિન હસનને સોપાશે તેમ સુત્રો તરફથી જાણવા મળ્યુ છે. આ ઉપરાંત ખેડા ડીએસપી રાજેશ ગઢીયાનો ચાર્જ નડીયાદ ડીવાયએસપી વી.આર બાજપાઇ ને સોંપવામાં આવ્યો છે. તેમજ સુરેન્દ્રનગર ડીએસપી હરેશ દુધાતનો ચાર્જ લઠ્ઠાકાંડના કારણે વિવાદમાં આવેલા વિરેન્દ્રસિંહ યાદવને સોપવામાં આવ્યો છે.





Total Users : 26
Total views : 94
Who's Online : 1