Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગૃહમંત્રી હર્ષ સંઘવીના આદેશના પાલનની શરૂઆત, વ્યાજખોરો સામેની ઝુંબેશના પહેલા જ દિવસે સુરતમાં 14 ની ધરપકડ, મોટી કાર્યવાહીથી અન્યમાં ફફડાટ

Our Visitor

000022
Total Users : 22
Total views : 89
Who's Online : 0
Views 5115

ઊંચા દરે વ્યાજ વસુલનાર સામે પોલીસની લાલ આંખ
ઝુંબેશના પહેલા જ દિવસેવ્યાજખોરોની ધરપકડ

સુરત શહેરમાં વ્યાજખોરો સામે પોલીસ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. લોકોની મજબૂરી નો લાભ લઈ અને ઊંચા દરે વ્યાજ વસૂલતા લોકો સામે ફરી એક વાર પોલીસે કાર્યવાહી કરી છેસુરતના સચિન જીઆઇડીસી અને સચિન પોલીસ વિસ્તારમાં શ્રમજીવી અને નાના વેપારીઓને ઊંચા વ્યાજે નાણાં આપી રંજાડતા ૧૪ વ્યાજખોરોને ઝડપી પાડી તેમના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસ૨ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સચીન જીઆઈડીસીના 11 અને સચીન વિસ્તારના ત્રણ વ્યાજખોરોની ધરપકડ
સચિન જીઆઇડીસી પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં વ્યાજખોરીના ગુનાને ડામવા માટે પોલીસ કમિશનર દ્વારા અપાયેલા આદેશના પગલે સચિન અને જીઆઇડીસી પોલીસ વિસ્તારમાં ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શ્રમજીવી અને જરૂરિયાતમંદ નાનાવેપારીઓને ઊંચા દરે વ્યાજે નાણાં આપી વ્યાજની રકમ વસૂલવા છતાં મસમોટી રકમની માંગણી કરી ધમકી આપવામાં આવતી હોવાની ફરિયાદ ઊઠવા પામી હતી. જેનાં પગલે સચિન જીઆઇડીસી પોલીસે સ્થાનિક વિસ્તારમાં ખાનગી વ્યાજવટું કરતાં 11 વ્યાજખોરો અને સચિન પોલીસ મથક વિસ્તારનાં 3 મળી કુલ ૧૪ જેટલાં વ્યાજખોરોને ઝડપી પાડી તેમનાં વિરુદ્ધ ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી તમામ વ્યાજખોરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસે પકડી પાડેલા આ ઇસમો 15 ટકા કરતાં પણ વધુ વ્યાજ વસૂલવાની સાથે પૈસા લેનાર વ્યક્તિને સતત વ્યાજ માંગી હેરાન પરેશાન કરતા હોવાની ફરિયાદ સામે આવી હતી. જેને પગલે સચિન જીઆઇડીસી પોલીસ વિસ્તારમાં પોલીસે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
100 %
Surprise
Surprise
0 %

ગૃહમંત્રી હર્ષ સંઘવીના આદેશના પાલનની શરૂઆત, વ્યાજખોરો સામેની ઝુંબેશના પહેલા જ દિવસે સુરતમાં 14 ની ધરપકડ, મોટી કાર્યવાહીથી અન્યમાં ફફડાટ

Related posts

પ્રધાનમંત્રી મોદીના આગમન પહેલાજ ખેડૂત આગેવાનનો સળગતો સવાલ! દક્ષિણ ગુજરાત ના સહકારી ક્ષેત્ર અને સુગર મિલો પર લગાવેલ ઇન્કમટેક્ષ અને શેરડી પકવતા ખેડૂતોના પડતર પ્રશ્નો નું નિરાકરણ ક્યારે???:દર્શન નાયક: સહકારી અને ખેડૂત આગેવાન અને કોંગ્રેસના નેતા

Phone: 9998685264.

જામીન ઉપર છૂટી જેલ સિપાહી ઉપર જીવલેણ હુમલો અને લૂંટ કરતા ફરાર આરોપી ની પોલીસે કરી ધરપકડ

Phone: 9998685264.

અમદાવાદ / સરખેજ સાર્વજનિક માધ્યમિક શાળા ખાતેના બાળકો માટે પ્રકૃતિ વંદનના કાર્યક્રમ થકી સમજણ અપાઈ! હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન પર્યાવરણ સરંક્ષણ ગતિવિધિ તથા વન સુરક્ષા હેતુ પ્રકૃતિ વંદનનો કાર્યક્રમ યોજાયો

Phone: 9998685264.

Leave a Comment