
.
મોરબીમાં ઈતિહાસની બીજી સૌથી મોટી કરૂણ દુર્ઘટના હતી. મોરબીમાં ઝુલતો પુલ તૂટવાથી 100થી વધારે લોકો મૃત્યુ થયા હતા. આ અત્યંત કરુણ અને દુઃખદ ઘટનામાં જેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા છે, તેમને માટે આવતીકાલે ગુજરાત હાઇકોર્ટમાં 2 મિનિટનું મોન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરવામાં આવશે.

દિવાળીના તહેવાર સમયે મોરબીના ઝૂલતા પુલ ખાતે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. જ્યાં ક્ષમતાથી વધારે લોકોને ઝૂલતા પુલ ઉપર જવાની પરવાનગી આપી દેવાની બેદરકારીના કારણે કરુણ દુર્ઘટના ઘટી હતી. જેમાં ઝૂલતા પુલ તૂટી જવાના કારણે નાના બાળકો મહિલાઓ સહીત 100 થી વધુ લોકોના મચ્છુ ડેમમાં ડૂબી જવાથી દર્દનાક મોત થયાં હતા. જેના સંદર્ભમાં આજરોજ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિજ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું હતું. પરિપત્રમાં ચીફ જસ્ટિજે આવતીકાલે એટલે કે, 7 નવેમ્બરના રોજ સવારે 11 વાગે ગુજરાત હાઇકોર્ટમાં મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપવા 2 મિનિટનું મોન રાખવાનું નિર્ણય કરેલ છે. આ સંદર્ભમાં ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિજ, અન્ય તમામ કોર્ટનાં જજ અને સિનિયર ધારશાસ્ત્રીઓ સહીત ના તમામ લોકો શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજર રહી 2 મિનિટનું મોન ધારણ કરી મોરબી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.





Total Users : 92
Total views : 184
Who's Online : 0