
આવનાર વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો પોતપોતાની જાહેરાતો કરી રહ્યા છે. તે જાહેરાતો લોકો સુધી પહોંચે તે માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ પક્ષના રાહુલ ગાંધીના 8 વચનોની પત્રિકા નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચાડવાના હેતુથી ઓલપાડ વિધાનસભા બેઠકો પર કોંગ્રેસના કાર્યકરો દ્વારા પત્રિકા વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. રહેણાંક વિસ્તારો તેમજ શાકભાજી વિક્રેતાઓ, અનાજ કરિયાણાની દુકાનદારો અથવા અન્ય કોઈ છેવાડે રહેનાર વ્યક્તિ, નાનો કે મોટો વ્યવસાય કરતા બજારના વેપારીઓને પણ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ત્યારે સુરતના ઓલપાડમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન ભાઈ નાયકની આગેવાની અને જીતના મક્કમ ઈરાદા સાથે રાત દિવસ જનસંપર્ક કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 155- ઓલપાડ વિધાનસભા માં સમાવિસ્ત મીરજાપોર,કુંભારી,સોદલાખારા અને હાથીસા ગામ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના મુજબ રાહુલ ગાંધીજી ના ગુજરાત ની જનતાને આપેલા આઠ વચનોની પત્રિકાનું વિતરણ અને ડોર ટુ ડોર જનસંપર્ક કરવામાં આવ્યો .આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનભાઈ નાયક અને તેમની સાથે ઓલપાડ તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ જ્યેન્દ્રભાઈ દેસાઈ અને ખેડૂતો તથા યુવાનો સહિત મોટી સંખ્યામાં કૉંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.







Total Users : 25
Total views : 93
Who's Online : 0