
રીતેશ પરમાર
ડોક્ટર મશૂર ગુલાટી અને ગુત્થી જેવા યાદગાર પાત્રો ભજવીને લોકોને હસાવનારા અભિનેતા અને કોમેડિયન સુનીલ ગ્રોવર વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સુનીલ ગ્રોવરની હાર્ટ સર્જરી થઈ હોવાના અહેવાલ સામે છે. આ સર્જરીના સમાચાર સામે આવ્યા બાદ લોકો તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ આ સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
તેણે સુનીલ ગ્રોવરની તસવીર સાથે કેપ્શનમાં લખ્યું છે કે, ‘એક્ટર સુનીલ ગ્રોવર શહેરની એશિયન હોસ્પિટલમાં હાર્ટ સર્જરી બાદ સ્વસ્થ થઈ રહ્યો છે. ડોક્ટરોનું કહેવું છે કે તેની તબિયત સુધારા પર છે અને તેની હાલતમાં પણ પહેલા કરતાં સુધારો થઈ રહ્યો છે. જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે ત્યારથી ફેન્સ સુનીલને લઈને સતત ચિંતિત છે. લોકો તેમના લાંબા આયુષ્ય અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી રહ્યા છે.
જો કે હજુ સુધી એ કારણ સામે આવ્યું નથી કે સુનીલ ગ્રોવરની અચાનક હાર્ટ સર્જરી કરવાની જરૂર શા માટે પડી.





Total Users : 25
Total views : 93
Who's Online : 0