Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

1 લી જાન્યુઆરીથી સુરતથી અમદાવાદ, ભાવનગર રાજકોટ અને અમરેલી જવા માટે હવાઈ સેવાનો પ્રારંભ, ભાડું માત્ર 1999 રૂપિયા, 9 સીટર વિમાન કરાવશે મુસાફરી

1 લી જાન્યુઆરીથી સુરતથી અમદાવાદ, ભાવનગર રાજકોટ અને અમરેલી જવા માટે હવાઈ સેવાનો પ્રારંભ, ભાડું માત્ર 1999 રૂપિયા, 9 સીટર વિમાન કરાવશે મુસાફરી

Our Visitor

003001
Total Users : 3001
Total views : 3678
Who's Online : 0

1 લી જાન્યુઆરીથી સુરતથી અમદાવાદ, ભાવનગર રાજકોટ અને અમરેલી જવા માટે હવાઈ સેવાનો પ્રારંભ, ભાડું માત્ર 1999 રૂપિયા, 9 સીટર વિમાન કરાવશે મુસાફરી

રીતેશ પરમાર

ગુજરાત સરકારે જણાવ્યું કે, કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે આગામી તા.1લી જાન્યુ.-2022એ સુરત એરપોર્ટથી વેન્ચુરા એરકનેક્ટની આંતરરાજ્ય હવાઈ સેવાઓનો શુભારંભ કરવામાં આવશે. આ પ્રકલ્પના આરંભ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ઉડ્ડયન રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી, કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશ પટેલ, શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદ મોરડીયા, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહેશે.

આંતરરાજ્ય હવાઈ સેવા પૂરી પાડનાર સુરતની એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેક્ટ લિ.તા.1 જાન્યુ.2022થી 9 સીટર વિમાનો વડે સુરતથી અમદાવાદ, સુરતથી ભાવનગર, સુરતથી રાજકોટ અને સુરતથી અમરેલી; આ 4 સેક્ટર પર દૈનિક ફ્લાઈટ શરૂ કરશે. રાજ્ય સરકાર દ્વારા એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેકટ સાથે રાજ્યમાં વિવિધ શેહેરોને પરસ્પર હવાઈમાર્ગે જોડવા માટે કરાર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે પ્રારંભ થનાર આ હવાઈસેવા દુનિયામાં સૌથી સુરક્ષિત કેટેગરીમાં સામેલ એવા સેસના ગ્રાન્ડ કેરેવાન દ્વારા પૂરી પાડવામાં આવશે.

વેન્ચુરા દ્વારા વિમાન 9 પેસેન્જર અને 2 પાઈલોટ સાથે ઉડાન ભરશે અને સેકટર પ્રમાણે સુરતથી ભાવનગર 30 મિનિટમાં, સુરતથી અમરેલી 45 મિનિટમાં, સુરતથી અમદાવાદ 60 મિનિટમાં અને સુરતથી રાજકોટ 60 મિનિટમાં સફર પૂર્ણ થશે. રાજ્ય સરકારના સહયોગથી શરૂ થઈ રહેલી આ ઝડપી હવાઈસેવાનો ઈમરજન્સીના સમયે વૃદ્ધ-અશક્તો માટે તો ફાયદો થશે જ, સાથોસાથ ઉદ્યોગો, અને પ્રવાસનને પણ મોટો લાભ થશે. આ એરલાઈન્સનો તમામ વર્ગના લોકો લાભ લઈ શકે તે માટે પ્રારંભિક ધોરણે સંપૂર્ણ જાન્યુઆરી મહિના માટે તમામ સેકટર માટે એકસમાન રૂ. 1999 ટિકિટદર રાખવામાં આવ્યો છે. આમ,નવા વર્ષે સુરતને નવી ઉડ્ડયન સેવાનો સુરતવાસીઓને લાભ મળશે

સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર યોજાનાર સમારોહમાં મેયર હેમાલીબેન બોઘાવાલા, રાજ્યના ઉડ્ડયન વિભાગ સચિવ હારિત શુકલા, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, સુરત એરપોર્ટ ડાયરેકટર અમન સૈની, કેપ્ટન અજય ચૌહાણ CEO ગુજસેલ સહિત લોકો ઉપસ્થિત રહેશે.


1 લી જાન્યુઆરીથી સુરતથી અમદાવાદ, ભાવનગર રાજકોટ અને અમરેલી જવા માટે હવાઈ સેવાનો પ્રારંભ, ભાડું માત્ર 1999 રૂપિયા, 9 સીટર વિમાન કરાવશે મુસાફરી

Related posts

સુરતના લિંબાયતમાં વરલી મટકાના જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, 27 ઝડપાયા; 4 વૉન્ટેડ, 1.15 લાખનો મુદ્દામાલ ઝડપાયો

Phone: 9998685264.

સુરત / ઓલપાડ પોલીસની દારૂબંધીની શંકાસ્પદ ભૂમિકાને લઈ કોંગ્રેસના નેતા દર્શન નાયકે ગૃહમંત્રી હર્ષ સંઘવીને લખ્યો પત્ર, કહ્યું ઓલપાડમાં દારૂના દુષણના લીધે વધી રહ્યો છે ક્રાઈમ, ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ સામે ભરો પગલા, અખાદ્ય ગોળના કાળા કારોબાર ને બંધ કરાવો

Phone: 9998685264.

ભરૂચ / ભાઈ બહેનના પવિત્ર સંબંધને લાંછન લગાડતો કિસ્સો, નરાધમ ભાઈએ પોતાની બહેનના અશ્લીલ ફોટા પાડી હોટેલમાં દુષ્કર્મ આચર્યું

Phone: 9998685264.

Leave a Comment