Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ નિજ મંદીરે માતાજીના દર્શનાર્થીઓ માટે ૨૧૦ ફુટ સુધી લીફટ બનાવવાની કામગીરી શરુ કરાઈ! માત્ર 40 સેકન્ડમાં પહોંચી જવાશે માતાજીના નિજ મંદિરે

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ નિજ મંદીરે માતાજીના દર્શનાર્થીઓ માટે ૨૧૦ ફુટ સુધી લીફટ બનાવવાની કામગીરી શરુ કરાઈ! માત્ર 40 સેકન્ડમાં પહોંચી જવાશે માતાજીના નિજ મંદિરે

Our Visitor

009906
Total Users : 9906
Total views : 11593
Who's Online : 2

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ નિજ મંદીરે માતાજીના દર્શનાર્થીઓ માટે ૨૧૦ ફુટ સુધી લીફટ બનાવવાની કામગીરી શરુ કરાઈ! માત્ર 40 સેકન્ડમાં પહોંચી જવાશે માતાજીના નિજ મંદિરે

પંચમહાલ-

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ 52 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ માનવામાં આવે છે અને માતાજીના દર્શન કરવા માટે હજારો શ્રદ્ધાળુઓ પાવાગઢ આવે છે. પાવાગઢમાં મહાકાળી માતાના દર્શન કરવા વધુ સરળ બનશે કારણ કે, પાવાગઢના ડુંગર પર એક લિફ્ટનું નિર્માણ થશે અને જેના કારણે શ્રદ્ધાળુઓ ગણતરીની સેકન્ડોમાં માતાજીના મંદિર સુધી પહોંચી જશે. રાજ્ય સરકાર દ્વારા પાવાગઢના પર્વતને ખોદીને ત્યાં એક લિફ્ટ નિર્માણનો કાર્ય કરવા બાબતેનું આયોજન કર્યું છે. પર્વત પર લિફ્ટ બનાવવાની કામગીરીને લઇને 210 ફુટ સુધી એટલે કે, 3 માળ સુધી જઈ શકે તેવી લિફ્ટ બનાવવાની કામગીરી શરૂ કરવા બાબતેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.મહત્ત્વની વાત છે કે, પાવાગઢમા મહાકાળીના દર્શન કરવા માટે હજારો શ્રદ્ધાળુઓ જાય છે પરંતુ ઘણાં શ્રદ્ધાળુઓને ગબ્બર પર્વત પર ચઢવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને તેમને માતાજીના દર્શન કરવામાં મુશ્કેલી ભોગવવી પડે છે. તેથી જ યાત્રાળુઓની સુવિધામાં વધારો કરવા માટે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્ય સરકાર પાસેથી પાવાગઢના ગબ્બર ડુંગર પર લિફ્ટ બનાવવા બાબતે મંજૂરી મેળવવામાં આવી હતી. હવે ગબ્બર પર્વતની બાજુના ડુંગરને ખોદીને એક લિફ્ટ બનાવવામાં આવશે.

મહત્વની વાત છે કે, પર્વતને ખોદીને લિફ્ટ બનાવવાની કામગીરી કરવા માટે ટેન્ડરની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.લિફ્ટ બની જશે તો 40 સેકન્ડમાં જ વ્યક્તિ એટલે કે શ્રદ્ધાળુ માતાજીના મંદિર સુધી પહોંચી શકશે. વધુમાં વધુ 12 લોકો એકસાથે સમાઈ શકે તે પ્રકારની લિફ્ટ બનાવવામાં આવશે તેવી પણ માહિતી મળી રહી છે. આ લિફ્ટનો ઉપયોગ બાળકો અને જરૂરિયાતમંદ મહિલાઓ કરી શકે તેવી વિચારણા છે. તો બીજી તરફ લિફ્ટનો ઉપયોગ કરવા બાબતે કેટલો ચાર્જ વસુલવો તે વિચારણા પણ ચાલી રહી છે. બીજી તરફ મંદિર સાથે જે પણ ધાર્મિક આગેવાનો સંકળાયેલા છે તેઓ નિશુલ્ક રીતે આ લિફ્ટનો ઉપયોગ કરી શકે તેવી રજૂઆત પણ સરકારને કરવામાં આવી રહી છે. યાત્રાધામ પાવાગઢ થોડા સમય દરમિયાન સુવર્ણ કળશ ચઠાવવાની કામગીરી બાદ સુવર્ણ ધ્વજદંડ ટુક સમય દરમિયાન લગાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે હવે માતાજીના ભાવીક ભક્તો માતાજીના નિજમંદીરે દર્શન કરવા ૪૦ સેકન્ડ મા ૧૨ જેટલા ભાવીક ભક્તો સાથે જઈ શકે તેવી લિફ્ટ ની તૈયારીઓ શરૂ કરાઈ છે.


સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ નિજ મંદીરે માતાજીના દર્શનાર્થીઓ માટે ૨૧૦ ફુટ સુધી લીફટ બનાવવાની કામગીરી શરુ કરાઈ! માત્ર 40 સેકન્ડમાં પહોંચી જવાશે માતાજીના નિજ મંદિરે

Related posts

પોલીસકર્મી સામે દુષ્કર્મની ફરિયાદ કરનાર યુવતીને જાનથી મારી નાખવાની ધમકીઓ મળતા યુવતીએ દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો! પોલીસકર્મી તેની પત્ની અને પરિવારજનો સામે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ

Ritesh Parmar

યુરોપ / આત્મહત્યા કરવા માટેના મશીનને કાયદાકીય મંજૂરી અપાઈ, કોઈપણ દર્દ વગર માત્ર એક મિનિટમાં માણસ મોતના ખોળામાં સુઈ જશે

Ritesh Parmar

સુરત /મોટા વરાછામાં 35 વર્ષીય ખેડૂત ને માથાભારે યુવકોએ તીક્ષ્ણ હથિયારના ઘા અને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો, પોલીસે તપાસ હાથ ધરી

Ritesh Parmar

Leave a Comment