Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજકોટ : ઉઘરાણી મામલે ઊંઝાના વેપારીને માર મારવાનું PI અને PSIને પડ્યું ભારે, નોંધાયો ગુનો, વધશે મુશ્કેલીઓ

રાજકોટ : ઉઘરાણી મામલે ઊંઝાના વેપારીને માર મારવાનું PI અને PSIને પડ્યું ભારે, નોંધાયો ગુનો, વધશે મુશ્કેલીઓ

Our Visitor

003001
Total Users : 3001
Total views : 3678
Who's Online : 0

રાજકોટ : ઉઘરાણી મામલે ઊંઝાના વેપારીને માર મારવાનું PI અને PSIને પડ્યું ભારે, નોંધાયો ગુનો, વધશે મુશ્કેલીઓ

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સામે ઊંઝાના વેપારી મહેશ પટેલે પીએમઓને ફરિયાદ કરતાં રાજકોટ પોલીસ કમિશ્નર અને ક્રાઈમ બ્રાંચના અધિકારી સામે તપાસ થઈ હતી. જેમાં ક્રાઈમ બ્રાંચના તાત્કાલિક પી.આઈ.વી.કે.ગઢવી તેમજ પીએસઆઇ યુ.બી.જોગરણા સહિતના સ્ટાફ સામે અંતે ગુનો નોંધાયો છે. વધુ વિગત અનુસાર પીએમઓમાં થયેલી ફરિયાદ બાદ હવે વિવાદમાં સપડાયેલા અગ્રવાલની મુશ્કેલીમાં વધારો થયો છે.મહેશ પટેલે CCTV ફૂટેજ અને માર માર્યાના ફોટા સાથે પ્રાઈમ મિનિસ્ટર્સ ઓફિસ (પીએમઓ)ને ફરિયાદ કરી હતી.

ઊંઝાના વેપારી મહેશ પટેલને રાજકોટ શહેરની ક્રાઇમ બ્રાન્ચના પોલીસોએ ઉઠાવી લાવી ઢોર માર માર્યો હતો. બાનાખત પડાવી લેવા માટે ઇસબગુલના વેપારીને બે દિવસ સુધી ગોંધી રાખ્યા હતા. મહેશ પટેલની ફરિયાદ છે કે, રાજકોટ પોલીસ ઉંઝા આવી હતી. વેપારી મહેશ પટેલને પ્રથમ ઉંઝા પોલીસ મથકમાં લવાયો હતો. ત્યાર બાદ રાજકોટ લઈ ગઈ હતી. રાજકોટ ક્રાઈમ બ્રાંચના માણસોએ પોતાને બે દીવસ સુધી ક્રાઇમ બ્રાન્ચમાં ઢોર માર માર્યો હતો.

જે તે વખતે પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સામે ફોડેલા લેટર બૉમ્બ બાદ પોલીસના અત્યાચારનો ભોગ બનેલા લોકો બહાર આવ્યા હતા. તેના ભાગરૂપે જ મહેશ પટેલે ફરિયાદ કરી હતી. આ મામલે ડીસીપીને તપાસ સોંપાયા બાદ પ્ર.નગર પોલીસમાં ગુનો નોંધાયો છે.


રાજકોટ : ઉઘરાણી મામલે ઊંઝાના વેપારીને માર મારવાનું PI અને PSIને પડ્યું ભારે, નોંધાયો ગુનો, વધશે મુશ્કેલીઓ

Related posts

છોટાઉદેપુરમાં તાંત્રિક વિધિ કરવા માટે સગીરાનું અપહરણ કર્યું, આખી રાત નિર્વસ્ત્ર કરીને બે પગમાં બાંધ્યું નારિયેળ, કુંડાળામાં ઉભી રાખી અને મંત્ર ભૂલી જતા જ.

Phone: 9998685264.

મહીસાગરના લુણાવાડામાં એસટી કર્મચારીને પ્રામાણિકતા થી ફરજ નિભાવવાનું ભારે પડ્યું, વગર ટિકિટ મુસાફરી કરતા મુસાફરને બસમાંથી નીચે ઉતારતા પોલીસકર્મીએ કંડક્ટરને ઢોર માર માર્યો

Phone: 9998685264.

રાજકોટ / મારામારીના ગુનામાં પૂછપરછ માટે બોલાવેલી મહિલાએ પોલીસ સ્ટેશનમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી! વોશરૂમ જવાનુ બહાનો કરી પરિણીતાએ આત્મહત્યા કરી લેતા DCP સહિતના ઉચ્ચ અધિકારીઓ પોલીસ સ્ટેશન દોડી આવ્યા

Phone: 9998685264.

Leave a Comment