Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજકોટ / મારામારીના ગુનામાં પૂછપરછ માટે બોલાવેલી મહિલાએ પોલીસ સ્ટેશનમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી! વોશરૂમ જવાનુ બહાનો કરી પરિણીતાએ આત્મહત્યા કરી લેતા DCP સહિતના ઉચ્ચ અધિકારીઓ પોલીસ સ્ટેશન દોડી આવ્યા

રાજકોટ / મારામારીના ગુનામાં પૂછપરછ માટે બોલાવેલી મહિલાએ પોલીસ સ્ટેશનમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી! વોશરૂમ જવાનુ બહાનો કરી પરિણીતાએ આત્મહત્યા કરી લેતા DCP સહિતના ઉચ્ચ અધિકારીઓ પોલીસ સ્ટેશન દોડી આવ્યા

Our Visitor

003001
Total Users : 3001
Total views : 3678
Who's Online : 0

રાજકોટ / મારામારીના ગુનામાં પૂછપરછ માટે બોલાવેલી મહિલાએ પોલીસ સ્ટેશનમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી! વોશરૂમ જવાનુ બહાનો કરી પરિણીતાએ આત્મહત્યા કરી લેતા DCP સહિતના ઉચ્ચ અધિકારીઓ પોલીસ સ્ટેશન દોડી આવ્યા

રાજકોટના પોલીસ મથકમાં મહિલાએ આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. આજીડેમ વોશરૂમ જવાનું કહી પરિણીતાએ ગળેફાંસો ખાઈ લીધો હતો. મારામારીના ગુનામાં પ્રેમસંબંધ કારણભૂત હોવાની શંકાએ આજીડેમ પોલીસે પૂછપરછ માટે મૃતકને બોલાવી હતી, આરોપીની પ્રેમિકા હોય તેવી પોલીસને શંકા હતી. ડીસીપી પ્રવિણકુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા.
આ અંગે ઇન્ચાર્જ સીપીએ ઊંડાણ પૂર્વક તપાસ કરવા સૂચના આપી છે.

ડીસીપી ઝોન 1 પ્રવીણ કુમારએ જણાવ્યા મુજબ મુકેશ નામના વ્યક્તિ વિરુદ્ધ આઇપીસી કલમ 326 મુજબ પ્રાણઘાતક હુમલાના ગુના હેઠળ ફરિયાદ દાખલ થઈ હતી. જ્યાં મુકેશ અને મૃતક મહિલા નયનાબેન પ્રફુલભાઈ કુકડીયાને પ્રેમ સંબંધ હોવાની શંકાએ નયનાબેનને ગત સાંજે 6-7 વાગ્યાના અરસામાં બોલાવી પૂછપરછ કરવામાં આવી હતી. જ્યાં તેણે ગોળ ગોળ વાતો કરી હતી. મહિલા ને ડર હતો કે રાત્રે ઘરે જશે તો પતિ મારશે. તેથી નયનાબેન આજીડેમ પોલીસ મથકમાં જ રોકાઈ ગયા અને આજે સવારે આપઘાતનું પગલું ભર્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ નયનાબેન રાજકોટના કાથરોટાના રહેવાસી છે. તેમનું માવતર કસ્તુરબા ધામ ત્રંબા છે. મૃતકને સંતાનમાં બે દીકરા હોવાનું જાણવા મળે છે.


રાજકોટ / મારામારીના ગુનામાં પૂછપરછ માટે બોલાવેલી મહિલાએ પોલીસ સ્ટેશનમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી! વોશરૂમ જવાનુ બહાનો કરી પરિણીતાએ આત્મહત્યા કરી લેતા DCP સહિતના ઉચ્ચ અધિકારીઓ પોલીસ સ્ટેશન દોડી આવ્યા

Related posts

સુરત/ ઉધના પોલીસે ગુનાની ગંભીરતા ઓછી બતાવવા માટે કર્યું કારસ્તાન, 6.48 લાખના સોનાની ચોરીની ફરિયાદમાં બતાવ્યું માત્ર 32 હજારનું સોનુ

Phone: 9998685264.

ગુજરાતના 24 IPS અધિકારીઓને દોઢ મહિનાની ટ્રેનીંગ માટે હૈદરાબાદ મોકલવાનો નિર્ણય! અમદાવાદમાં IPS અધિકારીઓના ઝોન બદલાય તેવી શક્યતાઓ

Phone: 9998685264.

વડોદરામાં મહિલાએ નિર્માણાધિન બિલ્ડીંગ પરથી નીચે છલાંગ લગાવી આત્મહત્યા કરી! પરિવારજનોનો આંક્રન્દ, પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી

Phone: 9998685264.

Leave a Comment