
ગુજરાતની ચૂંટણી ટાણે ગુજરાતના રાજકારણમાં કુતિયાણા બેઠકને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કારણ કે છેલ્લી ૨ ટર્મથી કુતિયાણા બેઠક પરથી એનસીપીના ધારાસભ્ય તરીકે રહી ચૂકેલા કાંધલ જાડેજાએ એનસીપીમાંથી રાજીનામું આપી દીધું છે. ૨૦૧૨માં તેઓ એનસીપીમાં જોડાયા હતા. પરંતુ એનસીપીએ કાંધલ જાડેજાને ટિકિટ ન આપતા તેઓ એનસીપીથી નારાજ હતા.
સુત્રો અનુસાર, કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજાને બીટીપી મેન્ડેટ આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, કાંધલ જાડેજાએ એનસીપીમાંથી ઉમેદવારી પત્ર ભયુ હતું. પરંતુ અંતે ટિકિટ ન આપતા નારાજ થયેલા કાંધલ જાડેજાએ એનસીપીમાંથી રાજીનામું આપી દીધું છે.
મહત્વનું છે કે, કુતિયાણામાં ભાજપ અને કોંગ્રેસ નહીં, પરંતુ સતત બે ટર્મથી એનસીપી નેતા કાંધલ જાડેજાએ પોતાનું પ્રભુત્વજમાવ્યું છે. ગત ચૂંટણીમાં એનસીપીએ કાંધલ જાડેજાને ટિકિટ આપી હતી. પરંતુ આ વખતે એનસીપીએ મેન્ડેટ ન આપતા કાંધલ જાડેજા અપક્ષ ફોર્મ ભરશે તેવી પણ માહિતી પ્રા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે, આજ રોજ સોમવારે ફરીવાર કાંધલ જાડેજા અપક્ષ ફોર્મ ભરી શકે છે.

રાણાવાવ–કુતિયાણા બેઠક પર હાલમાં કાંધલ જાડેજા ધારાસભ્ય છે. રાણાવાવ–કુતિયાણા બેઠક પર સંતોકબેન જાડેજા તેમજ તેમના કાકા ભુરા મુંજા જાડેજા પણ ધારાસભ્ય રહી ચુકયા છે. કાંધલ જાડેજાએ પ્રથમ વખત ૨૦૧૨માં એનસીપી માંથી રાણાવાવ–કુતિયાણા બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. કાંધલ જાડેજાએ ત્રણ ટર્મથી જીતતા આવતા ભાજપના ઉમેદવારને ૧૮ હજારથી વધુ મતોથી પરાસ્ત કર્યા હતા.





Total Users : 3001
Total views : 3678
Who's Online : 0