Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

એનસીપી અને કોંગ્રેસનું ત્રણ બેઠક પર ગઠબંધન થયા બાદ ન મેન્ડેટ મળ્યો કે ન ટિકિટ મળી: હવે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવશે કાંધલ જાડેજા: સમગ્ર પંથકમાં ભારે ચર્ચા

એનસીપી અને કોંગ્રેસનું ત્રણ બેઠક પર ગઠબંધન થયા બાદ ન મેન્ડેટ મળ્યો કે ન ટિકિટ મળી: હવે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવશે કાંધલ જાડેજા: સમગ્ર પંથકમાં ભારે ચર્ચા

Our Visitor

003001
Total Users : 3001
Total views : 3678
Who's Online : 0

એનસીપી અને કોંગ્રેસનું ત્રણ બેઠક પર ગઠબંધન થયા બાદ ન મેન્ડેટ મળ્યો કે ન ટિકિટ મળી: હવે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવશે કાંધલ જાડેજા: સમગ્ર પંથકમાં ભારે ચર્ચા

ગુજરાતની ચૂંટણી ટાણે ગુજરાતના રાજકારણમાં કુતિયાણા બેઠકને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કારણ કે છેલ્લી ૨ ટર્મથી કુતિયાણા બેઠક પરથી એનસીપીના ધારાસભ્ય તરીકે રહી ચૂકેલા કાંધલ જાડેજાએ એનસીપીમાંથી રાજીનામું આપી દીધું છે. ૨૦૧૨માં તેઓ એનસીપીમાં જોડાયા હતા. પરંતુ એનસીપીએ કાંધલ જાડેજાને ટિકિટ ન આપતા તેઓ એનસીપીથી નારાજ હતા.

સુત્રો અનુસાર, કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજાને બીટીપી મેન્ડેટ આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, કાંધલ જાડેજાએ એનસીપીમાંથી ઉમેદવારી પત્ર ભયુ હતું. પરંતુ અંતે ટિકિટ ન આપતા નારાજ થયેલા કાંધલ જાડેજાએ એનસીપીમાંથી રાજીનામું આપી દીધું છે.

મહત્વનું છે કે, કુતિયાણામાં ભાજપ અને કોંગ્રેસ નહીં, પરંતુ સતત બે ટર્મથી એનસીપી નેતા કાંધલ જાડેજાએ પોતાનું પ્રભુત્વજમાવ્યું છે. ગત ચૂંટણીમાં એનસીપીએ કાંધલ જાડેજાને ટિકિટ આપી હતી. પરંતુ આ વખતે એનસીપીએ મેન્ડેટ ન આપતા કાંધલ જાડેજા અપક્ષ ફોર્મ ભરશે તેવી પણ માહિતી પ્રા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે, આજ રોજ સોમવારે ફરીવાર કાંધલ જાડેજા અપક્ષ ફોર્મ ભરી શકે છે.

રાણાવાવ–કુતિયાણા બેઠક પર હાલમાં કાંધલ જાડેજા ધારાસભ્ય છે. રાણાવાવ–કુતિયાણા બેઠક પર સંતોકબેન જાડેજા તેમજ તેમના કાકા ભુરા મુંજા જાડેજા પણ ધારાસભ્ય રહી ચુકયા છે. કાંધલ જાડેજાએ પ્રથમ વખત ૨૦૧૨માં એનસીપી માંથી રાણાવાવ–કુતિયાણા બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. કાંધલ જાડેજાએ ત્રણ ટર્મથી જીતતા આવતા ભાજપના ઉમેદવારને ૧૮ હજારથી વધુ મતોથી પરાસ્ત કર્યા હતા.


એનસીપી અને કોંગ્રેસનું ત્રણ બેઠક પર ગઠબંધન થયા બાદ ન મેન્ડેટ મળ્યો કે ન ટિકિટ મળી: હવે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવશે કાંધલ જાડેજા: સમગ્ર પંથકમાં ભારે ચર્ચા

Related posts

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું 125 બેઠક જીતવાનું સંકલ્પ! કોંગ્રેસ કાર્યાલય ખાતે વિશેષ નિરીક્ષક અને પ્રભારિઓની મિટિંગ યોજાઈ, ઉમેદવારો કરી રહ્યા છે જોરદાર પ્રચાર, ઓલપાડમાં દર્શન નાયકની આગેવાનીમાં ડોર ટુ ડોર જનસંપર્ક કરાયો

Phone: 9998685264.

અમદાવાદ / 31 ડિસેમ્બર ના દિવસે સાવધાન રહેજો, જો દારૂ પીને ડ્રાઈવ કર્યું તો 13000 પોલીસકર્મીઓ બંદોબસ્તમાં છે, 12 જેટલાં DCP કક્ષાના અધિકારીઓ પણ બંદોબસ્તમાં હાજર રહેશે

Phone: 9998685264.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિક્લેર થવાની તૈયારી! લગભગ 1 નવેમ્બર પછી જાહેર થશે તારીખ, ઓલપાડમાં કોંગ્રેસના દર્શન નાયકની આગેવાનીમાં ધમાકેદાર તૈયારીઓ, જીતના મજબૂત દાવા સાથે ઘેર ઘેર પ્રચાર અને વચન પત્રિકાની વહેંચણી

Phone: 9998685264.

Leave a Comment