Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

દુષ્કર્મનો ભોગ બનેલ સગીરા અને તેના પરિવાર સાથે શાપર પોલીસે કર્યો અન્યાય! હાઈકોર્ટે જિલ્લા પોલીસ વડાને કોર્ટમાં હાજર થવા આદેશ કર્યો

દુષ્કર્મનો ભોગ બનેલ સગીરા અને તેના પરિવાર સાથે શાપર પોલીસે કર્યો અન્યાય! હાઈકોર્ટે જિલ્લા પોલીસ વડાને કોર્ટમાં હાજર થવા આદેશ કર્યો

Our Visitor

009932
Total Users : 9932
Total views : 11622
Who's Online : 1

દુષ્કર્મનો ભોગ બનેલ સગીરા અને તેના પરિવાર સાથે શાપર પોલીસે કર્યો અન્યાય! હાઈકોર્ટે જિલ્લા પોલીસ વડાને કોર્ટમાં હાજર થવા આદેશ કર્યો

રાજકોટ નજીક શાપર વેરાવળ ખાતે રહેતાં શ્રમિક પરિવારની સગીરાને પરપ્રાંતિય શખ્સે ધાક ધમકી આપી તેના પર અનેક વખત દુષ્કર્મ આચર્યાની પરિવારજનોને જાણ થતાં પોલીસમાં ફરિયાદ કરવા ગયા હતાં. પણ પરિવારને પોલીસ સ્ટેશનમાં નગ્ન કરી ઢોર મારમારી બળજબરીથી સમાધાનના કાગળો પર સહી કરાવી લીધી હતી. આ ઘટનાની હાઈકોર્ટમાં રીટ દાખલ કરતાં હાઈકોર્ટે ગુજરાત સરકાર અને રાજકોટ જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓને નોટિસ ફટકારી 15મીએ હાજર રહેવા હુકમ કર્યો છે.

શાપર-વેરાવળ પોલીસ મથકમાંથી ન્યાય નહીં મળતાં બીજા દિવસે પરિવારજનો રેસકોર્ષ પાસે આવેલ જિલ્લા પોલીસ વડાની કચેરીએ પોલીસ વડાને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતાં. પરંતુ ત્યાં પણ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો ભોગ બનનાર બાળા અને તેના પરિવારજનોને કડવો અનુભવ થયો હતો.
આ ઘટના સંદર્ભે ભોગ બનનાર બાળાના પરિવારજનો દ્વારા એન.જી.ઓ.મારફતે ન્યાય મેળવવા હાઈકોર્ટના દ્વાર ખખડાવી તમામ પુરાવા સાથે હાઈકોર્ટમાં રીટ દાખલ કરતાં હાઈકોર્ટે ગુજરાત રાજ્ય સરકાર અને રાજકોટ જિલ્લાના પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ સહિતના અધિકારીઓને નોટિસ ઈસ્યુ કરી 15મી માર્ચે હાઈકોર્ટમાં હાજર રહેવા આદેશ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.


દુષ્કર્મનો ભોગ બનેલ સગીરા અને તેના પરિવાર સાથે શાપર પોલીસે કર્યો અન્યાય! હાઈકોર્ટે જિલ્લા પોલીસ વડાને કોર્ટમાં હાજર થવા આદેશ કર્યો

Related posts

ઓઢવ પોલીસ સ્ટેશન દ્વારા વૃદ્ધાશ્રમ ખાતેના દાદા,દાદીઓ માટે મેડિકલ કેમ્પ, ડીજેના તાલે ગરબા, અંતાક્ષરી સાથે ભોજન કરાવી ભાગવત ગીતા ભેટ અપાઈ, કાર્યક્રમમાં ઝોન 5 ડીસીપી હાજર રહ્યા

Ritesh Parmar

દાહોદમાં દારૂ પકડવા ગયેલી SMC પોલીસ ઉપર બુટલેગરે કર્યો ગોળીબાર! ગુજરાતમાં બુટલેગરની આટલી તાકાત? દારૂ પકડવા આવેલ ટીમ પર ગોળીબાર-ગાડી ચઢાવવાનો પ્રયાસ

Ritesh Parmar

AM/NS ઇન્ડિયાએ ખોટા કબજા અને ગેરકાયદે બાંધકામ દ્વારા વન સંરક્ષણ અધિનિયમનું ઉલ્લંઘન કર્યું: દર્શન નાયક

Ritesh Parmar

Leave a Comment