Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ચૂંટણી / નરોડા બેઠક પર છેલ્લી ઘડીએ NCPના ઉમેદવાર નિકુલસિંહ તોમરે ફોર્મ પાછું ખેંચતા રાજકીય માહોલ ગરમાયો

ચૂંટણી / નરોડા બેઠક પર છેલ્લી ઘડીએ NCPના ઉમેદવાર નિકુલસિંહ તોમરે ફોર્મ પાછું ખેંચતા રાજકીય માહોલ ગરમાયો

Our Visitor

009767
Total Users : 9767
Total views : 11433
Who's Online : 0

ચૂંટણી / નરોડા બેઠક પર છેલ્લી ઘડીએ NCPના ઉમેદવાર નિકુલસિંહ તોમરે ફોર્મ પાછું ખેંચતા રાજકીય માહોલ ગરમાયો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે નરોડા બેઠક પર કોંગ્રસનો પેચ ફસાયો છે. નરોડા બેઠક પરથી કોંગ્રેસ-NCPના ઉમેદવાર નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. તેમણે છેલ્લી ઘડીએ ફોર્મ પાછું ખેંચી લીધું છે. હવે આ બેઠક પરથી મેઘરાજ ડોડવાણી ચૂંટણી લડશે.તમને જણાવી દઈએ કે અમદાવાદની નરોડા બેઠક પર NCP અને કોંગ્રેસેનું ગઠબંધન છે.આ બેઠક પર NCPએ નિકુલસિંહ તોમરને ટિકિટ આપી હતી. જોકે છેલ્લી ઘડીએ નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની ના પાડી હતી. હવે તેમની જગ્યાએ મેઘરાજ ડોડવાણી ચૂંટણી લડશે.

સમીકરણ પ્રમાણે નિકુલસિંહને ચૂંટણી લડવી હોય તો AMCના કોર્પોરેટર પદેથી રાજીનામું આપવું પડે એમ હોવાથી તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે.નરોડા બેઠક પર ભાજપના ડૉ. પાયલ કુકરાણી, AAPના ઓમપ્રકાશ તિવારી અને NCPના મેઘરાજ ડોડવાણી વચ્ચે ટક્કર થશે.

જાણો નરોડા બેઠકની રસપ્રદ વિગત

નરોડા બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 47મા નંબરની બેઠક છે. આ બેઠક અમદાવાદ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક અમદાવાદ ઇસ્ટ છે. 1990થી નરોડા બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના ત્રણ વોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વર્ષ 2002માં ગુજરાતમાં રમખાણ ફાટી નીકળ્યા હતા. જેની સૌથી વધુ અસર નરોડા વિસ્તારમાં જોવા મળી હતી. નરોડા પાટિયા કાંડ સમગ્ર દેશમાં એ સમયે ચર્ચાસ્પદ રહ્યો હતો. નરોડા પાટિયા કાંડમાં થયેલા નરસંહારમાં 97 લોકોની હત્યા કરવામાં આવી હતી.


ચૂંટણી / નરોડા બેઠક પર છેલ્લી ઘડીએ NCPના ઉમેદવાર નિકુલસિંહ તોમરે ફોર્મ પાછું ખેંચતા રાજકીય માહોલ ગરમાયો

Related posts

ગુજરાતમાં વધુ એક બ્રિજમા પડ્યા ગાબડાં! સુરતના ઓલપાડ ખાતેના ગોથાણ બ્રિજ ઉપર ગાબડાં તેમજ સ્લેબના સળિયા દેખાયા, કોંગ્રેસના નેતા દર્શન નાયકે લખ્યો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર, ભ્રષ્ટાચારીઓ સામે ભરો પગલા

Ritesh Parmar

પાલઘરમાં પિતા-પુત્રએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી! આત્મહત્યા કરવાનું કારણ જાણવા માટે વાંચો સમગ્ર વિગત….

Ritesh Parmar

આ તો કેવી વિકૃતતા, ગાયોને ઝાડી ઝાકરામાં લઈ જઈને કરતો હતો સેક્સ! ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા રંગે હાથ ઝડપાયો વિકૃત શખ્સ! પોલીસ ઘસડીને લઈ ગઈ પોલીસ સ્ટેશન

Ritesh Parmar

Leave a Comment