Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ચુંવાળ પરગણા રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટના 27મા સમૂહલગ્ન યોજાયા,PMO ઓફિસેથી પણ લેવાઇ નોંધ

ચુંવાળ પરગણા રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટના 27મા સમૂહલગ્ન યોજાયા,PMO ઓફિસેથી પણ લેવાઇ નોંધ

Our Visitor

003001
Total Users : 3001
Total views : 3678
Who's Online : 0

ચુંવાળ પરગણા રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટના 27મા સમૂહલગ્ન યોજાયા,PMO ઓફિસેથી પણ લેવાઇ નોંધ

અહેવાલ – ટાઈમ્સ ઓફ અમદાવાદ

સમુહ લગ્નમાં 29 યુગલોએ પ્રભુતામાં પગલા પાડી વૃક્ષારોપણ કરતા પીએમઓ ઓફિસથી પણ લેવાઇ નોંધ

સામાજિક પ્રવૃત્તિ ઉપરાંત પર્યાવરણના જતનની મુહિમની પીએમ ઓફિસ દ્વારા લેવાઇ ખાસ નોંધ

29 નવયુગલે પ્રભુતામાં પગલાં માંડ્યા ખુડદમાં ચુંવાળ રોહિત સમાજનો 27મો સમૂહલગ્નોત્સવ યોજાયો

સમૂહ લગ્નમાં તમામ દીકરીઓને ઘરઘંટી સહિતની
દાન ભેટ આપવામાં આવી

27 માં સમૂહ લગ્નમાં હાઈટેક પ્રચારથી ગુજરાત ભરના રોહિત સમાજમાં વાહવાહી

ગુજરાતભરના રોહિત સમાજમાં ચુંવાળ પરગણા રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટે ઇતિહાસ સર્જ્યો છે. સામાજિક પ્રવૃત્તિ ઉપરાંત પર્યાવરણના જતનની મુહિમની પીએમ ઓફિસ દ્વારા ખાસ નોંધ લેવાઇ છે. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પર્યાવરણના જતન માટે અનેક વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. અને પર્યાવરણના જતન માટેના કાર્યક્રમો કરતા સામાજિક સંગઠનોને પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે. જેથી ચુંવાળ પરગણા રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા 27 માં સમૂહ લગ્નમાં સામાજિક પ્રવૃત્તિ ઉપરાંત પર્યાવરણના જતન માટેની પહેલ કરવામાં આવતા ખૂબ વડાપ્રધાન કાર્યાલય તરફથી આ કાર્યક્રમની નોંધ લેવામાં આવી છે.

ચુંવાળ રોહિત સમાજનો 27મો સમૂહ લગ્નોત્સવ ખુડદ ગામે યોજાયો હતો. ચુંવાળ પરગણા રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત રોહિત સમાજનો સમુહ લગ્નોત્સવ વિરમગામ-પનાર માર્ગ પર આવેલા ખુડદ ગામે યોજાયો હતો. આ સમૂહ લગ્નોત્સવમાં 29 નવયુગલે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.

નવયુગલોને આશીર્વાદ આપવા સ્થાનિક ધારાસભ્ય હાર્દિક પટેલ, ભીખાભાઈ વાઘેલા જિલ્લા પંચાયત સદસ્ય અમદાવાદ, કુંવરજી ઠાકોર રામપુરા, મેહુલ લાખાભાઈ ભરવાડ ઉપપ્રમુખ ગુજરાત યુવા ભરવાડ સમાજ સહિત રોહિત સમાજના અગ્રણીઓ અને વડીલો હાજર રહ્યા હતા.

પ્રાસંગિક સંબોધનમાં સ્થાનિક ધારાસભ્ય હાર્દિક પટેલે સમૂહ લગ્નોત્સવમાં આજીવન રૂ.25 હજારના દાતા તરીકેનો લાભ લીધો તેમજ વિરમગામ વિધાનસભા વિસ્તારમાં ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું નિર્માણ કરવાનો વિચાર રજૂ કર્યો હતો. ચુંવાળ પરગણા રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ સહિત સમાજના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી પ્રસંગને સફ્ળ બનાવ્યો હતો.
ચુંવાળ રોહિત સમાજનો 27મો સમૂહ લગ્નોત્સવ ખુડદ ગામે યોજાયો હતો. સમૂહ લગ્નમાં સમાજની દીકરીઓને 130 થી પણ વધુ દાન ભેટ આપવામાં આવી હતી. તિજોરી ઘરઘંટી સહિતની ભેટો તમામ સમાજની દીકરીઓને આપવામાં આવી હતી. 27 માં સમૂહ લગ્નમાં 15,000 થી પણ વધુ લોકોએ ભાગ લીધો હતો. સમૂહ લગ્નમાં મંડપથી માંડીને તમામ વ્યવસ્થાઓ ખૂબ જ સારી રીતે કરવામાં આવી હતી.

સમૂહ લગ્નમાં આવેલ સમાજના દરેક વ્યક્તિઓ માટે ખૂબ જ સરસ જમવાનું પણ બનાવવામાં આવ્યું હતું. 27 માં સમૂહ લગ્નને સમાજના તમામ લોકોએ માણ્યો હતો. 27 માં સમૂહ લગ્નની વિશેષતા એ હતી કે અન્ય સમાજના લોકો પણ આ સમૂહ લગ્નમાં જોડાયા હતા અને દિલથી દાનપેટ આપી હતી.

27માં સમૂહ લગ્નને સફળ બનાવવા માટે છેલ્લા છ મહિનાથી પ્રમુખ બિપિનચંદ્ર એમ સોલંકી,જેઠાભાઈ પરમાર,હરિલાલ ચૌહાણ , ચંદુભાઈ વાઘેલા,ટીનાભાઇ જયભોલે, વિનોદભાઈ ચાવડા,કિરીટભાઈ રાઠોડ, હસુભાઈ રામપુરા ,વિપુલભાઈ જીવાપુરા,હસમુખભાઈ ઝાલા,અજીતભાઈ સોલંકી, તથા સમસ્ત કારોબારી રાત દિવસ મહેનત કરી હતી.


ચુંવાળ પરગણા રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટના 27મા સમૂહલગ્ન યોજાયા,PMO ઓફિસેથી પણ લેવાઇ નોંધ

Related posts

સુરતના અડાજણમાં ડીજીવીસીએલની જીવતા બોમ્બ સમાન ડીપીથી દુર્ઘટના સર્જાશે તો તંત્ર સંપૂર્ણપણે જવાબદાર રહેશે: જીગ્નેશ મોદી

Phone: 9998685264.

સુરતમાં વેપારી ઉપર નાર્કોટિક્સનો ગુનો દાખલ કરવાની ધમકી આપી મહિલા PSI એ ચાર લાખની લાંચ માંગી! તપાસમાં તોડ કર્યાનું સામે આવતા PSI સહીત બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા!

Phone: 9998685264.

પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી શોએબ અખ્તરની માતાનું નિધન, ભારતીય પૂર્વ ક્રિકેટર હરભજને દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું હિંમત રાખજે ભાઈ દુઃખની ઘડીમાં હું તારી સાથે છું

Phone: 9998685264.

Leave a Comment