Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

કેટલા હપ્તા મળે છે સાંસદ મનસુખ વસાવાનો મામલતદારને જાહેરમાં સવાલ, નેતાએ પદના નશામાં ભાન ભૂલી અભદ્ર ભાષામાં મામલતદારને ખખડાવ્યા જુઓ વિડીયો

કેટલા હપ્તા મળે છે સાંસદ મનસુખ વસાવાનો મામલતદારને જાહેરમાં સવાલ, નેતાએ પદના નશામાં ભાન ભૂલી અભદ્ર ભાષામાં મામલતદારને ખખડાવ્યા જુઓ વિડીયો

Our Visitor

009821
Total Users : 9821
Total views : 11499
Who's Online : 0

કેટલા હપ્તા મળે છે સાંસદ મનસુખ વસાવાનો મામલતદારને જાહેરમાં સવાલ, નેતાએ પદના નશામાં ભાન ભૂલી અભદ્ર ભાષામાં મામલતદારને ખખડાવ્યા જુઓ વિડીયો
ભરૂચના સાંસદ મનસુખ વસાવા

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

નારેશ્વર નજીક ભુમાફિયાઓના ડમ્પર અડફેટે ભરૂચના ઝનોરના 3 લોકોના મોતનો મામલો
ભરૂચના MP મનસુખ વસાવા મંગળવારે તેમના તમામ કામો પડતા મૂકી ઘટના સ્થળે નિરીક્ષણ કરવા દોડી ગયા
મામલતદારને ખખડાવ્યા માણસ મરે તેની કિંમત નથી, હપ્તા લેવાના હારા લાગે છે
MP એ સર્કલને પણ ખખડાવી કહ્યું કોઈપણ તંત્ર બેફામ માટી અને રેતીના દોડતા વાહનો સામે કેમ ધ્યાન નથી આપતું

.ભરૂચ અને નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવા ફરી આકરા પાણીએ જોવા મળ્યા છે. સોમવારે નારેશ્વર-પાલેજ રોડ ઉપર ભરૂચ તાલુકાના ઝનોર ગામના પૌત્ર અને નાના-નાનીનું મૃત્યુ થયું હતું.

ઝનોરના 3 લોકોના ભુમાફિયાઓના કારણે થયેલા મોતમાં ભરૂચના MP મનસુખ વસાવા મંગળવારે તમામ કામ છોડી ઘટના સ્થળના નિરીક્ષણ માટે દોડી ગયા હતા.

સાંસદ આવી રહ્યા હોવાની જાણ થતાં મામલતદાર, સરપંચ, સર્કલ, તલાટી સહિતના સ્થળ ઉપર દોડી આવ્યા હતા. MP મનસુખ વસાવા એ મામલતદારનો જાહેરમાં ઉઘડો લીધો હતો

મામલતદારને અભદ્ર ભાસામાં ખખડાવતા સાંસદ વસાવા

રેતી અને માટીના ડમ્પરો લઈ બેફામ દોડતા ભુમાફિયાઓને કોણ પાલવી પોષી રહ્યું છે. તંત્રની રહેમ નજર સિવાય આ શક્ય જ નહિ હોવાનો સાંસદે જાહેરમાં રોષ ઠાલવ્યો હતો.

મામલતદારને ખખડાવતા સાંસદે જાહેરમાં તેમને સીધું જ કહી દીધુ હતું કે, આ બેરોકટોક કેમ ચાલે છે, તમે હપ્તા નથી લેતા. મામલતદારને જાહેરમાં બે થી ત્રણ વખત સાંસદે સવાલ કર્યો હતો કે, કેટલા હપ્તા મળે છે કહો. સર્કલ અને સરપંચને પણ સાંસદે આડે હાથે લીધા હતા. તાલુકામાં બેફામ માટી અને રેતી ચોરી ચાલતી હોય તેનાથી સમગ્ર તંત્ર કઈ રીતે અજાણ હોય તેવો પ્રશ્ન પણ જાહેરમાં સાંસદે ઉઠાવ્યો હતો.

મામલતદાર હફ્તા લે છે એવુ જાહેરમાં કહી રહ્યા છે નેતાજી

એક જ વર્ષમાં 7 લોકોના ભુમાફિયાઓના વાહનોથી મોત થયા હોય લાલઘૂમ થઈ ગયેલા સાંસદ મનસુખ વસાવા એ માણસો મરે તેની કિંમત નથી જણાવી હપ્તા લેવાના હારા લાગે છે તેવો પણ રોષ વ્યકત કર્યો હતો.


કેટલા હપ્તા મળે છે સાંસદ મનસુખ વસાવાનો મામલતદારને જાહેરમાં સવાલ, નેતાએ પદના નશામાં ભાન ભૂલી અભદ્ર ભાષામાં મામલતદારને ખખડાવ્યા જુઓ વિડીયો

Related posts

મતદાનનો ક્રેઝઃ મતદાન કરવા પુત્રી વિદેશથી આવી માતાએ વિદેશ પ્રવાસ ટાળ્યો

Ritesh Parmar

તીસ્તા સેતલવાડની અરજી પર રાત્રે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ, વચગાળાના જામીન અપાયા: સવારે ગુજરાત હાઇકોર્ટે રદ કરી હતી નિયમિત જામીન અરજી

Ritesh Parmar

બાંગ્લાદેશ જઈ રહેલા પ્લેનના પાઇલોટને હાર્ટઅટેક આવ્યો, કો-પાઇલોટે નાગપુર એરપોર્ટ પર લેન્ડિંગ કરી મુસાફરોના જીવ બચાવ્યા

Ritesh Parmar

Leave a Comment