Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ શહેરના ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે જુદા જુદા ગુન્હાઓમાં ઝડપાયેલ વાહનોની હરાજી કરાઈ! મોટર સાયકલ, એક્ટિવા સહિતના અન્ય વાહનો સહીત કુલ 104 વાહનોની હરાજી કરાઈ

અમદાવાદ શહેરના ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે જુદા જુદા ગુન્હાઓમાં ઝડપાયેલ વાહનોની હરાજી કરાઈ! મોટર સાયકલ, એક્ટિવા સહિતના અન્ય વાહનો સહીત કુલ 104 વાહનોની હરાજી કરાઈ

Our Visitor

009742
Total Users : 9742
Total views : 11403
Who's Online : 0

અમદાવાદ શહેરના ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે જુદા જુદા ગુન્હાઓમાં ઝડપાયેલ વાહનોની હરાજી કરાઈ! મોટર સાયકલ, એક્ટિવા સહિતના અન્ય વાહનો સહીત કુલ 104 વાહનોની હરાજી કરાઈ

અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ ગુન્હાના કામે ડિટેઇન કરેલા વાહનો બિનવારસી કબજે કરવામાં આવેલ વાહનો ઘણા સમયથી કોઈ માલિક વાહન પરત લેવા માટે આવતા નથી. તેમજ છોડાવવા પણ આવતા નથી. જેથી પોલીસ સ્ટેશનોમાં વાહનોનો ભરાવો થઈ જાય છે અને બિન ઉપયોગી બની જતા હોય છે. તે સંદર્ભમાં અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર શ્રી જી એસ મલિક સાહેબના હુકમથી અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓમાં પકડાયેલ વાહનો કે જે ઘણા સમય થી પોલીસ કસ્ટડીમાં હતા. આવા વાહનોને ઘણો સમય વીતી જવા છતાં તેમના માલિક દ્વારા વાહનો છોડાવવામાં ના આવતા આખરે આવા જુના વાહનોની પોલીસ સ્ટેશન ખાતે હરાજી કરી તેનો નિકાલ કરી દેવાનો હુકમ શહેર પોલીસ કમિશ્નર દ્વારા જે તે લગતા ઝોન અધિકારીઓને કરવામાં આવતા જુના વાહનોની હરાજી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

અમદાવાદ શહેરના પોલીસ કમિશનર શ્રી જ્ઞાનેન્દ્ર સિંહ મલિક તથા અમદાવાદ શહેર સયુંકત પોલીસ કમિશ્નર, સેકટર 02, શ્રી બ્રજેશ ઝા દ્વારા આવા એકત્રિત થયેલા વાહનોના નિકાલ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવા માટે તમામ થાણા અમાલદારોને સૂચનાઓ કરવામાં આવેલ છે.

અમદાવાદ શહેર ના ડીસીપી ઝોન 06 શ્રી રવિ મોહન સૈની તથા જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ દ્વારા આવા એકત્રિત થયેલા વાહનોના નિકાલ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવા માટે તમામ થાણા અમાલદારોને સૂચનાઓ કરવામાં આવેલ છે. જે સૂચના આધારે પડતર વાહનોના નિકાલ કરવાની ઝુંબેશ ના ભાગરૂપે જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એ .પી.ગઢવી તથા સ્ટાફ દ્વારા ઈસનપુર પોલીસ સ્ટેશનમાં બિનવારસી કબજે કરવામાં આવેલ તેમજ ડીટેઈન કરવામાં આવેલ અને ઘણા સમયથી પડેલ જૂના વાહનો કુલ 104 વાહનો જેમાં મોટર સાયકલ, એક્ટિવા સહિતના વાહનોની હરરાજી કરી, કુલ રૂ. 6,14,000/- જીએસટી સહિત સરકારશ્રીમાં જમાં કરાવવામાં આવેલ છે. આમ, અમદાવાદ શહેરના ઈસનપુર પોલીસ સ્ટેશનમાં પડેલા વાહનોના જાહેર હરરાજી કરી, વાહનોના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી .

અમદાવાદ શહેરના ઝોન 06 ના બાકીના જુદા જુદા પોલીસ સ્ટેશન ખાતે પણ પડેલા વાહનોની જાહેર હરરાજી તમામ કાર્યવાહી પૂર્ણ કરી, યોજવામાં આવશે, તેવું અમદાવાદ શહેર ઝોન 06 પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.


અમદાવાદ શહેરના ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે જુદા જુદા ગુન્હાઓમાં ઝડપાયેલ વાહનોની હરાજી કરાઈ! મોટર સાયકલ, એક્ટિવા સહિતના અન્ય વાહનો સહીત કુલ 104 વાહનોની હરાજી કરાઈ

Related posts

ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે ફોટોગ્રાફર એસોસિએશન ગાંધીનગર દ્વારા પ્રી વેડિંગ ફોટોગ્રાફી ને સિનેમેટોગ્રાફી ના વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું, જુઓ વિડીયો

Ritesh Parmar

અમદાવાદ /હું સાયબર ક્રાઈમમાં જવાબ લખાવવા નહી આવું તમારે જે કરવું હોય કરો,ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતી મહિલા હેડ કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાયો

Ritesh Parmar

દિલ્હી સુપ્રીમ કોર્ટથી છૂટ્યો આદેશ! વેજલપુર કસ્ટોડિયલ ડેથ મામલે SIT ને તપાસનો આદેશ, પોલીસના વેશમાં કાયદાના રક્ષક કે ભક્ષક ? ગુનો નોંધી ૨ મહિનામાં રિપોર્ટ કરવા હુકમ

Ritesh Parmar

Leave a Comment