Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ શહેરના ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે જુદા જુદા ગુન્હાઓમાં ઝડપાયેલ વાહનોની હરાજી કરાઈ! મોટર સાયકલ, એક્ટિવા સહિતના અન્ય વાહનો સહીત કુલ 104 વાહનોની હરાજી કરાઈ

અમદાવાદ શહેરના ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે જુદા જુદા ગુન્હાઓમાં ઝડપાયેલ વાહનોની હરાજી કરાઈ! મોટર સાયકલ, એક્ટિવા સહિતના અન્ય વાહનો સહીત કુલ 104 વાહનોની હરાજી કરાઈ

Our Visitor

003002
Total Users : 3002
Total views : 3679
Who's Online : 1

અમદાવાદ શહેરના ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે જુદા જુદા ગુન્હાઓમાં ઝડપાયેલ વાહનોની હરાજી કરાઈ! મોટર સાયકલ, એક્ટિવા સહિતના અન્ય વાહનો સહીત કુલ 104 વાહનોની હરાજી કરાઈ

અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ ગુન્હાના કામે ડિટેઇન કરેલા વાહનો બિનવારસી કબજે કરવામાં આવેલ વાહનો ઘણા સમયથી કોઈ માલિક વાહન પરત લેવા માટે આવતા નથી. તેમજ છોડાવવા પણ આવતા નથી. જેથી પોલીસ સ્ટેશનોમાં વાહનોનો ભરાવો થઈ જાય છે અને બિન ઉપયોગી બની જતા હોય છે. તે સંદર્ભમાં અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર શ્રી જી એસ મલિક સાહેબના હુકમથી અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓમાં પકડાયેલ વાહનો કે જે ઘણા સમય થી પોલીસ કસ્ટડીમાં હતા. આવા વાહનોને ઘણો સમય વીતી જવા છતાં તેમના માલિક દ્વારા વાહનો છોડાવવામાં ના આવતા આખરે આવા જુના વાહનોની પોલીસ સ્ટેશન ખાતે હરાજી કરી તેનો નિકાલ કરી દેવાનો હુકમ શહેર પોલીસ કમિશ્નર દ્વારા જે તે લગતા ઝોન અધિકારીઓને કરવામાં આવતા જુના વાહનોની હરાજી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

અમદાવાદ શહેરના પોલીસ કમિશનર શ્રી જ્ઞાનેન્દ્ર સિંહ મલિક તથા અમદાવાદ શહેર સયુંકત પોલીસ કમિશ્નર, સેકટર 02, શ્રી બ્રજેશ ઝા દ્વારા આવા એકત્રિત થયેલા વાહનોના નિકાલ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવા માટે તમામ થાણા અમાલદારોને સૂચનાઓ કરવામાં આવેલ છે.

અમદાવાદ શહેર ના ડીસીપી ઝોન 06 શ્રી રવિ મોહન સૈની તથા જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ દ્વારા આવા એકત્રિત થયેલા વાહનોના નિકાલ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવા માટે તમામ થાણા અમાલદારોને સૂચનાઓ કરવામાં આવેલ છે. જે સૂચના આધારે પડતર વાહનોના નિકાલ કરવાની ઝુંબેશ ના ભાગરૂપે જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એ .પી.ગઢવી તથા સ્ટાફ દ્વારા ઈસનપુર પોલીસ સ્ટેશનમાં બિનવારસી કબજે કરવામાં આવેલ તેમજ ડીટેઈન કરવામાં આવેલ અને ઘણા સમયથી પડેલ જૂના વાહનો કુલ 104 વાહનો જેમાં મોટર સાયકલ, એક્ટિવા સહિતના વાહનોની હરરાજી કરી, કુલ રૂ. 6,14,000/- જીએસટી સહિત સરકારશ્રીમાં જમાં કરાવવામાં આવેલ છે. આમ, અમદાવાદ શહેરના ઈસનપુર પોલીસ સ્ટેશનમાં પડેલા વાહનોના જાહેર હરરાજી કરી, વાહનોના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી .

અમદાવાદ શહેરના ઝોન 06 ના બાકીના જુદા જુદા પોલીસ સ્ટેશન ખાતે પણ પડેલા વાહનોની જાહેર હરરાજી તમામ કાર્યવાહી પૂર્ણ કરી, યોજવામાં આવશે, તેવું અમદાવાદ શહેર ઝોન 06 પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.


અમદાવાદ શહેરના ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે જુદા જુદા ગુન્હાઓમાં ઝડપાયેલ વાહનોની હરાજી કરાઈ! મોટર સાયકલ, એક્ટિવા સહિતના અન્ય વાહનો સહીત કુલ 104 વાહનોની હરાજી કરાઈ

Related posts

પોતાની બીમાર દીકરીની દવા લેવા નીકળેલા પિતાની કરપિણ હત્યા! નરોડા પાટિયા પાસે એક્ટિવા ચાલકને રીક્ષા ડ્રાઈવરે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો

Phone: 9998685264.

ગુજરાત પોલીસ ગ્રેડ પે મુદ્દે કોંગ્રેસના બે દિગ્ગજ નેતા હિમ્મતસિંહ પટેલ અને શૈલેષ પરમાર મહિલા કોન્સ્ટેબલ નીલમબેન મકવાણાને ન્યાય અપાવવા મેદાને ઉતર્યા, CM અને ગૃહમંત્રીને પત્ર પાઠવી ન્યાયની માંગણી કરી

Phone: 9998685264.

વટવામાં સ્થાનિક પોલીસ રહેમ નજર હેઠળ ધમધતી દારૂની ભઠ્ઠીઓ પર વિજિલન્સ ત્રાટકીઃ પાંચ ઝડપાયા, દેશી દારૂનો મોટો જથ્થો તેમજ દારૂ બનાવવાની સમગ્ર સાધન સામગ્રી જપ્ત કરાઈ, સ્થાનિક પોલીસની પોલ ખુલી

Phone: 9998685264.

Leave a Comment