Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ /શૈતાન ભાઈએ પોતાના બહેનનું નું સુહાગ ઉજાડ્યું, બનેવીને છરીના ઉપરા છાપરી ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો

અમદાવાદ /શૈતાન ભાઈએ પોતાના બહેનનું નું સુહાગ ઉજાડ્યું, બનેવીને છરીના ઉપરા છાપરી ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો

Our Visitor

009915
Total Users : 9915
Total views : 11603
Who's Online : 6

અમદાવાદ /શૈતાન ભાઈએ પોતાના બહેનનું નું સુહાગ ઉજાડ્યું, બનેવીને છરીના ઉપરા છાપરી ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

મહાનગરમાંથી હત્યાની ઘટનાઓ વધી રહી છે. જેના મોટાભાગના કેસમાં ઘરકંકાસનો મામલો હોવાનું જોવા મળે છે. અમદાવાદના વટવા વિસ્તારમાં શેતાન સાળાએ પોતાના બનેવીની હત્યા કરીને એને બહેનના ઘર પાસે ફેંકી દીધો હતો. લોહી નીતરતી સ્થિતિમાં બનેવીનું મોત નીપજ્યું છે. બનેવીની હત્યા કરી એ પાછળનું ચોંકાવનારૂ કારણ જાણવા મળ્યું છે. થોડા દિવસ પહેલા બહેને ભાઈને કહ્યું હતું કે, તારા બનેવી પૈસા માટે ઝઘડા કરે છે.
આ વાત સાળાના મનમાં ઘર કરી ગઈ હતી. જેના કારણે સાળાએ પોતાના બનેવીની હત્યા બહેનને વિધવા કરી દીધી છે.

પોલીસે આ સાળાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસ સુત્રોમાંથી વિગત મળી છે કે,વટવા વિસ્તારમાં રહેતા રંજનબેન સુરેશ મારવાડીનો પતિ સુરેશ મારવાડી પૈસા અંગે પત્ની સાથે તકરાર કરતો હતો. રંજનબહેને ફરિયાદ કરી હતી કે, કોઈ એના ઘર પાસે પતિને લોહી નીરતી સ્થિતિમાં ફેંકી ગયું. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, રંજનબહેનનો ભાઈ મુકેશ ડાભી બનેવીની હત્યા કરીને, છરીના ઘા મારીને એને બહેનના ઘર પાસે છોડી ગયો હતો. રંજનબહેને મુકેશને ફરિયાદ કરી હતી કે, સુરેશ મારવાડી પૈસાને લઈને માથાકુટ કરે છે. મુકેશે પણ સમજાવવા માટે પ્રયત્ન કર્યો હતો. મુકેશે પણ પૈસાને લઈને સુરેશને વાત સમજાવી હતી. પછી બંને વચ્ચે પણ બોલાચાલી થઈ હતી. આ દરમિયાન મુકેશે કહ્યું કે, મારી બહેન સાથે કેમ ઝઘડા કરે છે. પછી પોતાની પાસે રહેલી છરીના ઘા મારીને એની હત્યા કરી નાંખી હતી. આ મામલે પોલીસે મુકેશની ધરપકડ કરીને કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
વટવા વિસ્તારમાંથી હત્યાનો આ બીજો મોટો બનાવ સામે આવ્યો છે. ગત અઠવાડિયે અમદાવાદના આનંદનગર વિસ્તારમાં પ્રેમ પ્રકરણ અંગે યુવાનની હત્યા થઈ હતી. સાંજના સાત વાગ્યા આસપાસ આ હત્યા થતા આસપાસના વિસ્તારમાંથી લોકો પણ દોડી આવ્યા હતા. સંજય ધોબી નામના યુવાનને કોઈએ ધારદાર હથિયારના ઘા મારીને હત્યા કરી દેતા પશ્ચિમ અમદાવાદમાં ચકચાર મચી ગઈ હતી. આ હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ કેસમાં આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.


અમદાવાદ /શૈતાન ભાઈએ પોતાના બહેનનું નું સુહાગ ઉજાડ્યું, બનેવીને છરીના ઉપરા છાપરી ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો

Related posts

રાજકોટ /ગુજરાત પોલીસના આ PSI ને દિલ થી સલામ, ભર વરસાદમાં કમરડૂબ પાણીમાંથી વૃદ્ધાને બચાવી લીધી,

Ritesh Parmar

અમદાવાદ/ વેજલપુર વિધાનસભાનાં સરખેજ વોર્ડમાં માહેશ્વરી સંગીની સંગઠન દ્વારા ઉમદા કાર્ય, વિધવા બહેનોને વિના મુલ્યે સિલાઈ મશીન આપી પગભર થવા સંગઠન બન્યો મદદરૂપ

Ritesh Parmar

હીરાબાની તબિયતમાં સુધારો: રાજકીય અગ્રણીઓનો ખબર પૂછવા જમાવડો, વડાપ્રધાન મોદી અમદાવાદ આવવા દિલ્હીથી રવાના

Ritesh Parmar

Leave a Comment