Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ /શૈતાન ભાઈએ પોતાના બહેનનું નું સુહાગ ઉજાડ્યું, બનેવીને છરીના ઉપરા છાપરી ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો

અમદાવાદ /શૈતાન ભાઈએ પોતાના બહેનનું નું સુહાગ ઉજાડ્યું, બનેવીને છરીના ઉપરા છાપરી ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો

Our Visitor

003001
Total Users : 3001
Total views : 3678
Who's Online : 1

અમદાવાદ /શૈતાન ભાઈએ પોતાના બહેનનું નું સુહાગ ઉજાડ્યું, બનેવીને છરીના ઉપરા છાપરી ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

મહાનગરમાંથી હત્યાની ઘટનાઓ વધી રહી છે. જેના મોટાભાગના કેસમાં ઘરકંકાસનો મામલો હોવાનું જોવા મળે છે. અમદાવાદના વટવા વિસ્તારમાં શેતાન સાળાએ પોતાના બનેવીની હત્યા કરીને એને બહેનના ઘર પાસે ફેંકી દીધો હતો. લોહી નીતરતી સ્થિતિમાં બનેવીનું મોત નીપજ્યું છે. બનેવીની હત્યા કરી એ પાછળનું ચોંકાવનારૂ કારણ જાણવા મળ્યું છે. થોડા દિવસ પહેલા બહેને ભાઈને કહ્યું હતું કે, તારા બનેવી પૈસા માટે ઝઘડા કરે છે.
આ વાત સાળાના મનમાં ઘર કરી ગઈ હતી. જેના કારણે સાળાએ પોતાના બનેવીની હત્યા બહેનને વિધવા કરી દીધી છે.

પોલીસે આ સાળાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસ સુત્રોમાંથી વિગત મળી છે કે,વટવા વિસ્તારમાં રહેતા રંજનબેન સુરેશ મારવાડીનો પતિ સુરેશ મારવાડી પૈસા અંગે પત્ની સાથે તકરાર કરતો હતો. રંજનબહેને ફરિયાદ કરી હતી કે, કોઈ એના ઘર પાસે પતિને લોહી નીરતી સ્થિતિમાં ફેંકી ગયું. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, રંજનબહેનનો ભાઈ મુકેશ ડાભી બનેવીની હત્યા કરીને, છરીના ઘા મારીને એને બહેનના ઘર પાસે છોડી ગયો હતો. રંજનબહેને મુકેશને ફરિયાદ કરી હતી કે, સુરેશ મારવાડી પૈસાને લઈને માથાકુટ કરે છે. મુકેશે પણ સમજાવવા માટે પ્રયત્ન કર્યો હતો. મુકેશે પણ પૈસાને લઈને સુરેશને વાત સમજાવી હતી. પછી બંને વચ્ચે પણ બોલાચાલી થઈ હતી. આ દરમિયાન મુકેશે કહ્યું કે, મારી બહેન સાથે કેમ ઝઘડા કરે છે. પછી પોતાની પાસે રહેલી છરીના ઘા મારીને એની હત્યા કરી નાંખી હતી. આ મામલે પોલીસે મુકેશની ધરપકડ કરીને કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
વટવા વિસ્તારમાંથી હત્યાનો આ બીજો મોટો બનાવ સામે આવ્યો છે. ગત અઠવાડિયે અમદાવાદના આનંદનગર વિસ્તારમાં પ્રેમ પ્રકરણ અંગે યુવાનની હત્યા થઈ હતી. સાંજના સાત વાગ્યા આસપાસ આ હત્યા થતા આસપાસના વિસ્તારમાંથી લોકો પણ દોડી આવ્યા હતા. સંજય ધોબી નામના યુવાનને કોઈએ ધારદાર હથિયારના ઘા મારીને હત્યા કરી દેતા પશ્ચિમ અમદાવાદમાં ચકચાર મચી ગઈ હતી. આ હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ કેસમાં આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.


અમદાવાદ /શૈતાન ભાઈએ પોતાના બહેનનું નું સુહાગ ઉજાડ્યું, બનેવીને છરીના ઉપરા છાપરી ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો

Related posts

દેશના 20 લાખ વકીલો પૈકી 12 લાખ વકીલો બોગસ હોવાનું બહાર આવ્યુ! બાર એસોસિએશન ઓફ ઇન્ડિયા ચોકી ઉઠ્યું, દર પાંચ વર્ષે લાઇસન્સ રીન્યુ કરવું પડશે!

Phone: 9998685264.

ઉત્તરપ્રદેશના પૂર્વ કેબિનેટ મંત્રી રાજા મહેન્દ્ર અરિદમન સિંહ ભદાવરે કોબા કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષની મુલાકાત લઈ ને ચર્ચા વિચારણા કરવામાં આવી

Phone: 9998685264.

પાલનપુર: કોર્ટમાં ચાલતો કેસ ઢીલો પાડવા સરકારી વકીલે માંગી લાંચ, 1 લાખ લેતા ACB ના હાથે રંગેહાથે ઝડપાયો

Phone: 9998685264.

Leave a Comment