Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપનો પરચમ લહેરયો, કોંગ્રેસનું સુરસુરિયું, આપના સૂપડા સાફ, ગુજરાતમાં ત્રીજું પક્ષ નહી ચાલે – પાટિલ

Our Visitor

000025
Total Users : 25
Total views : 93
Who's Online : 0
Views 282

રીતેશ પરમાર

ગાંધીનગરઃ ગાંધીનગર કોર્પોરેશનનું પરિણામ જાહેર થઈ ગયું છે. ભાજપે 41, કોંગ્રેસે 2 અને આપે એક બેઠક પર વિજય મેળવ્યો છે. આ સાથે ભાજપે ગાંધીનગર કોર્પોરેશનમાં ભવ્ય વિજય મેળવ્યો છે. ગાંધીનગર મનપામાં આમ આદમી પાર્ટીએ પણ ખાતું ખોલાવ્યું છે. વોર્ડ નંબર ૬માં ભાજપની પેનલ તૂટી છે. વોર્ડ નંબર 6મા ભાજપમાં ગૌરાંગ રવિન્દ્ર વ્યાસ, પ્રેમલતા મહેરિયા અને ભાવનાબેન ગોલની જીત થઈ છે.

વોર્ડ નંબર 6માં આપના તુષાર પરીખ જીત થઈ છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભલે એક બેઠક મેળવી હોય પણ તેને ગુજરાતમાં મૂળિયા નાખી દીધા છે. ગાંધીનગરમાં પ્રથમ વખત જ ચૂંટણી લડનારી આમ આદમી પાર્ટીને 21.77 ટકા મત મળ્યા છે. પણ આપે કૉંગ્રેસનો ખેલ બગાડ્યો છે. કારણ કે 2016માં કૉંગ્રેસની મતની ટકાવરી 46.93 ટકા હતી જે ઘટીને 28.02 ટકાએ પહોંચી છે. જ્યારે ભાજપના વોટશેરમાં 2 ટકાનો વધારો થયો છે. 2016માં ભાજપને 44 ટકા મત મળ્યા હતા જ્યારે આ ચૂંટણીમાં 46.49 ટકા મત મળ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભવ્ય વિજય પર નિવેદન આપતા જણાવ્યું હતું કે, પાર્ટીના વરિષ્ઠ મુરબ્બી અને અમારા પ્રમુખશ્રી સી.આર. પાટીલ સાહેબ મને એવું કહેતા હતા કે આ 3 સીટ ઓછી કેમ આવી.

જીત બાદ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ત્રીજી પાર્ટી ક્યારેય નહીં ચાલે. જે ખૂબ ગાજ્યા હતા, તેને એક બેઠક મળી છે. કોંગ્રેસને ફ્કત બે જ બેઠક મળી છે. થરા નગર પાલિકામાં પણ ભાજપે 20 બેઠક સાથે જીત મેળવી છે. જિલ્લા પંચાયતોમાં આઠમાંથી પાંચ બેઠકો જીતી છે. તાલુકા પંચાયતની 45માંથી 28 બેઠકો જીતી છે. નગર પાલિકાની 45માંથી 37 બેઠકો જીતી છે. જે ઉમેદવારોના વિજય થયા છે તે નાગરિકોના હિતમાં કાર્યો કરશે. પ્રધાનમંત્રી મોદી, અમિતભાઈ શાહ, જે.પી. નડ્ડાજીનો ખૂબ ખૂબ આભાર. તમામ વરિષ્ઠ નેતાઓના માર્ગદર્શન માટે ખૂબ ખૂબ આભાર. ગુજરાતમાં ત્રીજી પાર્ટી માટે કોઈ જગ્યા નથી. જનતાએ અમારા પર મુકેલો વિશ્વાસ એળે નહીં જાય.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપનો પરચમ લહેરયો, કોંગ્રેસનું સુરસુરિયું, આપના સૂપડા સાફ, ગુજરાતમાં ત્રીજું પક્ષ નહી ચાલે – પાટિલ

Related posts

અમદાવાદ /હું સાયબર ક્રાઈમમાં જવાબ લખાવવા નહી આવું તમારે જે કરવું હોય કરો,ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતી મહિલા હેડ કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાયો

Phone: 9998685264.

સહકારી આગેવાન દર્શન નાયકે ચીફ વિજિલન્સ કમિશ્નર અને ગુજરાતનાં મુખ્ય સચિવને કરી ફરિયાદ, આપખુદશાહી રીતે વહીવટ ચલાવતા જિલ્લાના રજીસ્ટ્રાર સામે આખરે કરાઈ ફરિયાદ

Phone: 9998685264.

માતાનો અંતિમ સંસ્કાર કરવા માટે પુત્ર એકલો વ્હીલચેર માં ડેડ બોડી લઈ ગયો! જુઓ શું હતું કારણ

Phone: 9998685264.

Leave a Comment