Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદમા વડાપ્રધાન મોદીએ રાણીપમા કર્યું મતદાન, અમિતશાહે નારણપુરા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શીલજ ખાતે કર્યું મતદાન

અમદાવાદમા વડાપ્રધાન મોદીએ રાણીપમા કર્યું મતદાન, અમિતશાહે નારણપુરા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શીલજ ખાતે કર્યું મતદાન

Our Visitor

009769
Total Users : 9769
Total views : 11438
Who's Online : 0

અમદાવાદમા વડાપ્રધાન મોદીએ રાણીપમા કર્યું મતદાન, અમિતશાહે નારણપુરા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શીલજ ખાતે કર્યું મતદાન

અહેવાલ – ટાઈમ્સ ઓફ અમદાવાદ

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે 12 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થઈ રહ્યું છે. પીએમ મોદીએ ત્રીજા તબક્કાના મતદાતાઓને મતદાનનો રેકોર્ડ બનાવવાની અપીલ કરી છે. પીએમ મોદીએ અમદાવાદના રાણીપમાં મતદાન કર્યું.

બાળકને વરસાવ્યુ વ્હાલ

પીએમ મોદીએ રાણીપ ખાતે મતદાન કર્યા બાદ તેઓ હળવા મૂડમાં દેખાયા હતા. પીએમ મોદી બાળકોને ઓટોગ્રાફ આપતા જોવા મળ્યા હતા. પીએમ મોદી આ દરમિયાન ભૂલકાંને હાથમાં તેડીને વ્હાલ પણ વરસાવ્યું હતુ. મહત્વનું છે કે પીએમ મોદીને જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જેમાં ખાસ કરીને બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. બાળકો પીએમ મોદીને મળવા ઘણા જ ઉત્સુક જણાયા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે પરિવાર સાથે નારણપુરા ખાતે કર્યું મતદાન…..

અમિત શાહ મતદાન પહેલા કામેશ્વર મહાદેવના કર્યા દર્શન
અમિત શાહે સહપરિવાર સાથે નારણપુરામાં કર્યુ મતદાન
હેરિટેજ થીમ પર નારણપુરા મતદાન મથક તૈયાર

નારણપુરામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મતદાન કર્યુ છે. જેમાં નારણપુરા મતદાન મથક હેરિટેજ થીમ પર તૈયાર કરાયું છે. તેમાં અમિત શાહે મતદાન પહેલા કામેશ્વર મહાદેવના દર્શન કર્યા છે. જેમાં અમિત શાહ સહપરિવાર સાથે નારણપુરામાં મતદાન કર્યુ છે. નારણપુરા મતદાન મથક પર હેલ્થ ટીમ, પાણી, વ્હિલચેર સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શિલજમાં કર્યું મતદાન

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે શિલજની પ્રાથમિક શાળામાં કર્યુ મતદાન
આનંદી બેન પટેલ પણ શિલજ ખાતે કરશે મતદાન
ભાજપના મોટા દિગ્ગજોએ ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ કર્યુ મતદાન

ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે શિલજની પ્રાથમિક શાળામાં આજે મતદાન કર્યુ હતુ,ભુપેન્દ્ર પટેલની સાથે અનેક ધારાસભ્યો તેમજ કાર્યકર્તાઓ પણ જોડાયા હતા.લોકસભા ચૂંટણી 2024 માટે આજે ગુજરાતની 25 સીટ પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જ્યારે સુરત સીટ બિનહરિફ થઈ જતા ભાજપને ફાળે ગઈ છે. આમ હવે 25 સીટ પર ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જંગ જામ્યો છે. આ ઉપરાંત પોરબંદર, વિજાપુર, ખંભાત, વાઘોડિયા અને માણાવદર એમ 5 વિધાનસભા સીટની પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે. લોકસભાની સામાન્ય ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે.


અમદાવાદમા વડાપ્રધાન મોદીએ રાણીપમા કર્યું મતદાન, અમિતશાહે નારણપુરા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શીલજ ખાતે કર્યું મતદાન

Related posts

સુરતના અડાજણમાં જીવતા બોમ્બ સમાન પેટી હવે નહીં હટાવાય તો ના છૂટકે ઈલેક્ટ્રીક ડીપી પાસે કોંગ્રેસ નેતા કરશે ધરણાં

Ritesh Parmar

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું સયુંકત ઓપરેશન 350 કરોડનું હેરોઈન ઝડપી પાડ્યો! DGP આશિષ ભાટિયાએ કરી પ્રેસ કોન્ફરન્સ

Ritesh Parmar

આસારામ દુષ્કર્મ કેસ : રાજ્ય સરકારના અધિક સરકારી વકીલ આર સી કોડેકરની હાઇકોર્ટને રજુઆત! પીડિત પક્ષને પહેલા સાંભળવામાં આવે, હાઇકોર્ટમાં આજે વધુ સુનાવણી હાથ ધરાશે

Ritesh Parmar

Leave a Comment