
અહેવાલ – ટાઈમ્સ ઓફ અમદાવાદ
– પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આદરી
આણંદ : પેટલાદ તાલુકાના ધર્મજ ગામના જલારામ મંદિરને ગત ગુરુવાર રાત્રિના સુમારે ચોરટાઓ નિશાન બનાવી ચાંદીની પાદુકા તેમજ રોકડ રકમ મળી કુલ રૂા.૧.૭૫ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ભગવાનના ઘરમાં ચોરટાઓ એ હાથફેરો કરતા ભક્તોમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે. ભગવાનના ઘરમાં ચોરી થતા પોલીસ પેટ્રોલિંગ ઉપર પણ સવાલ ઉઠ્યા છે તો આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
જલારામ મંદિરના મેનેજર કિરીટભાઈ કાંતિભાઈ પરમારે પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તેમજ ડોગ સ્કવોડ અને એફએસએલની મદદથી તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.





Total Users : 115
Total views : 218
Who's Online : 0