
અમદાવાદ- 25 ડિસેમ્બર
એલીમોન એસ્ટ્રો સ્પિરિચ્યુઅલ એકેડેમી (આશા) દ્વારા 24 ડિસેમ્બરના રોજ ૩જો પદવીદાન સમારંભ યોજાયો હતો. જેમા 38 વિદ્યાર્થીઓને જ્યોતિષ ક્ષેત્રની વિવિધ પદવીઓ એનાયત કરા હતી.
વિગતો એવી છે કે જ્યોતિષ અને અકલ્ટ સાયન્સ ના વિષયો શીખવતી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત અમદાવાદ ની ખૂબ જ જાણીતી સંસ્થા એલીમોન એસ્ટ્રો સ્પિરિચ્યુઅલ એકેડેમી (આશા)દ્વારા તા – ૨૪ ડિસેમ્બર, રવિવાર ના રોજ ૩જો પદવીદાન સમારંભ યોજાયો.

આ પ્રસંગે સંસ્થાના ડાયરેકટર્સ ડૉ. આશિષ વ્યાસ અને આચાર્ય રિદ્ધિ ઠક્કર દ્વારા ઉપસ્થિત શૈક્ષણિક, સમાજીક અને જ્યોતિષ ક્ષેત્રે કાર્યરત અગ્રણીઓ ડૉ. ધારીણીબેન શુક્લા,સિદ્ધાર્થ ભાઈ મણકીવાલા, ડૉ. નલીન પંડ્યા, ડૉ. ભાવિન દેસાઈ, શ્રી સતિષભાઈ શાહ, ડૉ. કોમલ યાજ્ઞિક વગેરેનું વિશિષ્ટ સામાજીક સંદેશ સભર સ્વાગત થયું હતું અને સર્વે એ ઉપસ્થિત રહીને ૩૯ વિદ્યાર્થીઓ ને જ્યોતિષ ક્ષેત્ર ની વિવિધ પદવીઓ એનાયત કરી આશિર્વાદ આપ્યા હતાં.







Total Users : 9751
Total views : 11415
Who's Online : 0