
અમદાવાદમાં 3 દિવસથી ગુમ થયેલી નર્સનો હોસ્પિટલમાંથી મૃતદેહ મળ્યો છે. ચાંદખેડાની SMS હોસ્પિટલમાં નર્સ ફરજ બજાવતી હતી. 3 દિવસથી ગુમ થયેલી નર્સનો હોસ્પિટલમાંથી લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. નર્સ હોસ્પિટલના 7માં માળે કામ કરતી હતી અને 3 દિવસથી ફરજ પર ન આવતા પરિવારને તેની જાણ કરાઈ હતી. નર્સની આત્મહત્યા કરેલી હાલતમાં લાશ મળતા પોલીસે તે દીશામાં તપાસ ચાલુ કરી છે.પરંતુ નર્સની હત્યા થઈ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. મહત્વનું છે કે નર્સ માનસિક વિભાગમાં સારવાર લેતી હોવાનો પણ હોસ્પિટલ તંત્રએ દાવો કર્યો છે. હાલ નર્સની હત્યા થઈ છે કે આત્મહત્યા તે પોલીસ તપાસ બાદ જ સામે આવશે.
ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત
જિમી પરમાર નામની મહિલા નર્સે SMS હોસ્પિટલમા પંખે દોરડો બાંધી ફાંસો ખાઇ આપઘાત કર્યો છે. જે સમગ્ર ઘટનાથી ચકચાર મચી જવા પામ્યું છે તેમજ પરિજનો દ્વારા હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં નર્સનો આપઘાત
ચાંદખેડામાં SMS હોસ્પિટલમાં નર્સે આપઘાત કર્યો છે. જિમી પરમાર નામની મહિલા નર્સ ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યોની વિગતો સામે આવી રહી છે. 12 જાન્યુઆરીથી નર્સ હોસ્પિટલમાંથી ગુમ હતી તેવું પણ જાણવા મળ્યું છે. હોસ્પિટલના તંત્રની બેદરકારીનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામા આવ્યો છે. હાલ પરિવાર દ્વારા હોસ્પિટલ તંત્ર સામે લગાવેલા ગંભીર આક્ષેપો તેમજ સમગ્ર ઘટના બાબતે ચાંદખેડા પોલીસે તપાસ હાથ ધરી છે.





Total Users : 25
Total views : 93
Who's Online : 0