
વેલેન્ટાઈનડેના દિવસે છેડતિના મુદ્દે યુવાનનું મોઢુ કાળુ કરી મુછ કાઢી મુંડન કરી ભેસાણની બજારમાં જાહેરમાં સરઘસ કાઢવાના ચકચારી પ્રકરણમાં કોર્ટમાં ગયેલી ફરિયાદમાં જે તે વખતના પીએસઆઈ બી.પી. સોનારા અને ત્રણ પોલીસ મેનને 2017માં ભેસાણ કોર્ટે એક વર્ષની સજા ફટકારી હતી જે સજાનો હુકમ સેસન્સ કોર્ટે કાયમ રાખ્યા બાદ આ મુદ્દેરાજ્યના પોલીસ વડાને રિપોર્ટ કરવામાં આવતા ખાતાકીય તપાસના અંતે પોલીસ ઈન્સ્પેક્ટર બી.પી.સોનારાને કસુરવાન ઠેરવી ત્રણ વર્ષ માટે ફોજદાર બનાવી દેવાનો હુકમ કરવામાં આવ્યો છે અને ગઈકાલ રાત્રે હુકમની બજવણી પણ કરીદેવામાં આવતા પોલીસ બેડામાં સોંપો પડી ગયો છે.
આ પ્રકરણની જાણવા મળતી માહિતી મુજબ 14 ફેબ્રુઆરી 2004ના રોજ વેલેન્ટાઈનડે ના દિવસે છેડતીના મુદ્દે યુવાન હિમતભાઈ લિંબાણીનું મોઢુ કાળુ કરી મુછ કાઢી મુંડન કરાવી ભેસાણની બજારમાં તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. જે મુદ્દે યુવાને ભેસાણની કોર્ટમાં ફરિયાદ કરી હતી.
ભેસાણ અદાલતે 202 હેઠળ ઈન્કવાયરી પોતાની પાસે રાખી હતી જે કેસ ચાલી જતા 2017માં ભેસાણના તત્કાલીન પી.એસ.આઈ. બી.પી. સોનારા અને ત્રણ પોલીસમેન દાદુભાઈ મશરી, રમેશભાઈ પાનસુરિયા અને રામજીભાઈ હમીરને તક્સીરવાન ઠેરાવી એક વર્ષની સજાનો હુકમ કર્યો હતો જેની સામે પીએસઆઈ અને ત્રણ કર્મચારીઓએ અપીલ કરી હતી. પરંતુ સેસન્સ કોર્ટે પણ નીચેની અદાલતનો સજાનો હુકમ કાયમ રાખ્યો હતો.સેસન્સ કોર્ટ દ્વારા આ મુદ્દે રાજ્યના પોલીસવડાને રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો. જેના આધારે ખાતાકીય ઈન્કવાયરી સોંપવામાં આવી હતી. જે તપાસના અંતે પીએસઆઈ બી.પી. સોનારા કસુરવાન ઠર્યા હતા. જો કે, 18 વર્ષ પહેલા બનેલી આ ઘટના બાદ બી.પી. સોનારાને પોલીસ ઈન્સ્પેક્ટરનું પ્રમોશન પણ મળી ગયું હતું અને તેઓ હાલ વાંકાનેર સીપીઆઈ તરીકે ફરજ બજાવતા હોય જીલ્લા પોલીસ વડાના આદેશથી મોરબી પોલીસવડા રાહુલ ત્રિપાટીએ તેમને કસુરવાન ઠેરવી ત્રણ વર્ષ માટે પીએસઆઈ બનાવી દેવાનો હુકમ કરી દીધો છે. અને ગઈકાલે રાત્રે જ આ હુકમની બજવણી કરી દેવામાં આવી છે.
હાલ વિધાનસભાની ચુંટણીના કારણે આચારસંહિતા હોય પીએસઆઈ બી.પી. સોનારાને મોરબી હેડક્વાર્ટર ખાતે મુકી દેવામાં આવ્યા છે. ચુંટણી પુર્ણ થયા બાદ તેની બદલી પણ થઈ શકે છે. યુવાનનું સરઘસ કાઢવાના મુદ્દે પોલીસ ઈન્સ્પેક્ટરને ત્રણ વર્ષ માટે ફોજદાર બનાવી દેવાના હુકમથી પોલીસબેડામાં સોંપો પડી ગયો છે.






Total Users : 9936
Total views : 11626
Who's Online : 3