Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અલ્યા આ ભાઈએ તો ખરી કરી! કેજરીવાલને ઘરે જમવા બોલાવનાર રીક્ષાચાલક ભાજપનો કાર્યકર્તા નીકળ્યો, કહ્યું મે તો ખાલી ખાલી આમંત્રણ આપ્યું હતું, મને નથી ખબર કે કેજરીવાલ મારાં ઘરે આવી જશે

Our Visitor

000025
Total Users : 25
Total views : 93
Who's Online : 0
Views 6086

ગુજરાત: આગામી વિધાનસભા ચુંટણીને લઈને રાજ્યના રાજકારણમાં હલચલ તેજ બની ગઈ છે. જો વાત કરવામાં આવે તો, અરવિંદ કેજરીવાલ જે ઓટો રિક્ષાચાલકના ઘરે ભોજન લેવા ગયા હતા, તે યુવાન ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભામાં પહોંચી ગયો હતો. જાણવા મળ્યું છે કે, તે પોતાના વિસ્તારના લોકોને લઇને PM મોદીની સભામાં પહોચી ગયો હતો.
રીક્ષાચાલક ભાજપ(BJP)નો ખેસ પહેરતો હોય તે પ્રકારનો પણ વિડીયો સામે આવ્યો છે. જણાવી દઈએ કે, આ રીક્ષા ચાલકનું નામ વિક્રમ દંતાણી છે.

અમદાવાદના રીક્ષાચાલક વિક્રમ દંતાણીએ જણાવતા કહ્યું હતું કે, હું પહેલીથી ભાજપ સાથે જોડાયેલા છે. હું મત આપતાં શીખ્યો ત્યારથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું. હું પહેલેથી જ મોદી સાહેબનો આશિક છું. મેં ખાલી અરવિંદ કેજરીવાલને જમવાનું આમંત્રણ આપ્યું હતું અને તેમણે તે સ્વીકારી લીધું હતું. મને નહોતી ખબર કે તે મારા ઘરે જમવા માટે આવશે. કેજરીવાલ આવ્યા એટલે એમનું અપમાન ન થાય એટલે ઘરે જમાડીને મોકલ્યા. બીજી કોઈ વાત થઇ નથી. મેં પોતે એમ જ આમંત્રણ આપ્યું હતું. હું કોઈ અન્ય પાર્ટીમાં જોડાયેલો નથી. હું અગાઉથી જ ભાજપ સાથે જોડાયેલો છે. અમારી આખી સોસાયટી ભારતીય જનતા પાર્ટી સાથે છે. આ બધું સાંભળીને આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલીયાને 420 વોલ્ટનો ઝાટકો જરૂર વાગશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
67 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
33 %

અલ્યા આ ભાઈએ તો ખરી કરી! કેજરીવાલને ઘરે જમવા બોલાવનાર રીક્ષાચાલક ભાજપનો કાર્યકર્તા નીકળ્યો, કહ્યું મે તો ખાલી ખાલી આમંત્રણ આપ્યું હતું, મને નથી ખબર કે કેજરીવાલ મારાં ઘરે આવી જશે

Related posts

સુરતના કડોદરા ખાતે બાળકના અપહરણ બાદ હત્યાંનો મામલો, કડોદરા PI રાકેશ પટેલને કરાયા સસ્પેન્ડ

Phone: 9998685264.

વ્યાજખોરોની ચુંગાલમાંથી ગરીબ પરિવારો ને મુકત કરાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

Phone: 9998685264.

ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પોલીસ ભરતીને લઈને કરી મોટી જાહેરાત, 2023 માં 12 થી 13 હજાર જગ્યાઓ માટે ભરતીનું આયોજન કરાશે

Phone: 9998685264.

Leave a Comment