
તારીખ: 26 અમદાવાદ
ભાજપ ના નેતાઓ કેજરીવાલ જી ની ટીકા કરવાનું છોડો અને ગુજરાત સંભાળો: ગોપાલ ઇટાલિયા
લઠ્ઠાકાંડ થી પીડિત પરિવારો ની ખબર લેવા જતા કેજરીવાલ જી ની સરાહના કરવાની જગ્યાએ ભાજપ ના નેતાઓ ના પેટમાં તેલ રેડાયું છે: ગોપાલ ઇટાલિયા
લઠ્ઠાકાંડની ઘટનાઓ વારંવાર સામે આવા છતાંય ભાજપ ના નેતા ઓ સંવેદના જતાવાના બદલે વાણીવિલાસ કરે છે: ગોપાલ ઇટાલિયા
ગુજરાત ને લઠ્ઠાકાંડ જેવા હાદસાઓ થી બચાવવાની જરૂર છે: ગોપાલ ઇટાલિયા
ભાજપ સરકારે ગુજરાત ની ગેરકાનૂની પરિસ્થિતિઓ પર ધ્યાન આપવાની જરૂર છે: ગોપાલ ઇટાલિયા
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ વિડીયો ના માધ્યમ થી ભાજપ ના સાંસદ સભ્ય જુગલ ઠાકોર ની ટિપ્પણી પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાત માં દર વર્ષે લઠ્ઠાકાંડ ની ઘટના સામે આવી રહી છે. અને વારંવાર આવી ઘટનાઓ સામે આવા છતાંય ભાજપ ના નેતા ઓ લાજવાના બદલે, શરમાવાના બદલે, સંવેદના જતાવાના બદલે ગાજે છે, ઉછળે છે, બેશરમ બનીને વાણીવિલાસ કરે છે.
ખુબ જ દુઃખદ બાબત છે કે, છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાંય જો ગુજરાતમાં લઠ્ઠાકાંડ બનતો હોય તો ભાજપ ના નેતા ઓ ને શરમ આવવી જોઈએ. તેના બદલે ભાજપના નેતાઓ જેમ ફાવે એમ નિવેદનબાજી કરી રહ્યા છે. જ્યારે દિલ્હી થી અરવિંદ કેજરીવાલ જી પોતે ગુજરાતમાં લઠ્ઠાકાંડ થી પીડિત પરિવારો ની ખબર લેવા ગયા તો અરવિંદ કેજરીવાલ જી ની સરાહના કરવાની જગ્યાએ ભાજપ ના નેતાઓ ના પેટ માં તેલ રેડાયું છે અને તેઓ નિવેદન આપી રહ્યા છે કે, કેજરીવાલ પહેલા દિલ્હી સંભાળે પછી ગુજરાત આવે.
આ નિવેદન પર મારે ફક્ત એટલું જ કહેવું છે કે, તમે પહેલા કેજરીવાલ જી ની ટીકા કરવાનું છોડો અને ગુજરાત સંભાળો. આ બધો ઝેરીલો દારૂ ક્યાંથી આવે છે ? આટલો કેમિકલ વાળો દારૂ ક્યાંથી આવે છે ? કેમ આટલી બુટલેગરો ની હિમ્મત થઇ ગઈ છે કે તેઓ ગુજરાતમાં દારૂ વેચે છે. ભાજપ સરકારે આ પરિસ્થિતિ ની અંદર ધ્યાન આપવાની જરૂર છે, અને ગુજરાત ને આવા હાદસાઓ થી બચાવવાની જરૂર છે.





Total Users : 25
Total views : 93
Who's Online : 0