
હાલ જૂનાગઢ ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા પ્રદિપસિંહ જાડેજાને કેન્દ્ર ગૃહમંત્રી અમીત શાહના હસ્તે મેડલ (એવોર્ડ) પહેરવવામાં આવ્યો હતો. આ એવોર્ડ ભાવનગરમાં થયેલ ડબલ મર્ડર કેસમાં સચોટ તપાસ કરી ભાવનગર સેસન્સ કોર્ટમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. જે કેસમાં કેન્દ્ર સરકાર ગૃહ મંત્રાલય દ્વારા વર્ષ 2018ના યુનિયન હોમ મીનીસ્ટર્સ મેડલ ફોર એકસલન્સ ઇન ઇનવેસ્ટિગેશન માટે આ એવોર્ડ પ્રદિપસિંહ જાડેજાને એનાયત કરવામાં આવ્યો હતો.
જે નડીયાદ ખાતે ભારત ભટ્ટના તમામ રાજયોના પોલીસ દ્વારા કરવામાં આવતી તપાસ કેવી રીતે કરવામાં આવતી હોય છે. તેનો મેડલ 2012ની સાલમાં ડબલ મર્ડરની તપાસને ધ્યાને લઇ ગઇ કાલે તા.29-5ના ભારત સરકારના કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહના વરદ હસ્તે આપવામાં આવ્યો હતો.
ઉપરાંત 10 જેટલા પોલીસ અધિકારીઓને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજયગૃહમંત્રી હર્ષ સંઘવી, રાજયના પોલીસ વડા ડીજીપી આશીષ ભાટીયા, એડીજી પીટી એસ. વિકાસ સહાયક ક ેએલએન રાવ, બ્રિજેશ કુમાર ઝા, આઇજીપી વી.ચંદ્ર શેખર સહિતનાઓની હાજરીમાં આ મેડલ પહેરાવવામાં આવ્યો હતો.
આ પહેલા પણ જુનાગઢ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ પોતાના કાર્યાકાળ દરમિયાન ઇનવેસ્ટિગેશન, ડીરેકશન, કાયદો વ્યવસ્થા બાબતે તેમજ સોશ્યલ બાબતે ઉત્કર્ષ નમુનેદાર કામગીરીના ઉદાહરણો પુરા પાડે છે.
પ્રદિપસિંહ જાડેજાને મળેલ એવોર્ડ વર્ષ 2016માં પ્રશંસનીય સેવા બદલ દેશના રાષ્ટ્રપતિ દ્વારા એવોડ એનાયત કરવામાં આવેલ. 2018માં કેન્દ્ર સરકાર, ગૃહમંત્રાલય પદક એનાયત કરવામાં આવ્યો હતો. 2020માં બે વખત રાજયના ડીજીપી દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતો.રાજય કક્ષાના કાર્યક્રમમાં ચાર વખત રાજયના મુખ્યમંત્રીઓ દ્વારા જીલ્લા કક્ષાએ સન્માનિત કરવામાં આવ્યા હતા





Total Users : 25
Total views : 93
Who's Online : 0