
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઈ ભાજપાયે તૈયારી શરૂ કરી છે જે અનુસંધાને કેન્દ્રીય મંત્રી સહિત ઉત્તર પ્રદેશના મંત્રીઓ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની મુલાકાત લઈ સંગઠન મજબૂત કરવા બેઠકો અને મિટિંગો કરી રહ્યા છે. ત્યારે ઉત્તર પ્રદેશના પૂર્વ કેબિનેટ મંત્રી રાજા મહેન્દ્ર અરિદમન સિંહ ભદાવર ગુજરાત પ્રવાસે આવ્યા હતા. જ્યાં તેમણે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલની મુલાકાત કરી હતી. રાજા મહેન્દ્રસિંહ ભારતીય જનતા પાર્ટી તરફથી 6 વાર આગરાના ધારાસભ્ય અને 3 વાર કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. આગરા જિલ્લાના વિકાસમાં તેમનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. હાલ અત્યારના સમયમાં તેમની પત્ની આગરા જિલ્લાના ધારાસભ્ય પદ ઉપર કાર્યરત છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી અદિત્યનાથ સાથે ચુનાવ પ્રચાર દરમિયાન રાજા મહેન્દ્રસિંહ ભદાવર મહત્વનો ફાળો રહ્યો. રાજા મહેન્દ્રસિંહ ભદાવર સમાજના અગ્રણી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને તે સમગ્ર સમાજમાં આગવી ઓળખ ધરાવે છે. ત્યારે રાજા મહેન્દ્રસિંહ સાથે આગરા જિલ્લાના પીનાહટ બ્લોક પ્રમુખ સતવીરસિંહ ભદોરીયા સાથે કાર્યકર્તાઓએ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની મુલાકાત લીધી હતી.





Total Users : 24
Total views : 92
Who's Online : 0