Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ડભોડા હોમગાર્ડ યુનિટ ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાયું, બાબા સાહેબની 131 મી જન્મજયંતિ નિમિતે ગામના આગેવાનોએ હાજર રહી સફળ આયોજન પાર પાડ્યુ

Our Visitor

000024
Total Users : 24
Total views : 92
Who's Online : 0
Views 1022

    રીતેશ પરમાર

  આજરોજ દેશના મહાન પુરૂષ અને બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સાહેબની 131 મી જન્મજયંતીનો શુભ અવસર સમગ્ર ભારત દેશમાં ખુબજ હર્ષોઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. કોઈપણ વર્ગ કે કોઈપણ સમાજ હોય પણ જયારે ડો. બાબાસાહેબ આંબેડકરનું નામ આવે ત્યારે ભારત દેશનો દરેક નાગરીક ગૌરવ અનુભવે છે. જેથી આજના શુભ અવસર પર ઠેર ઠેર ભવ્ય ઉજવણી અને કાર્યકર્મો ઉજવવામાં આવ્યા હતા, તેમજ બાબા સાહેબ આંબેડકરને સાચા હૃદયથી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

દેશના પ્રથમ કાયદા અને બંધારણના ઘડવૈયા અને મહાન વ્યક્તિત્વનું ઉદાહરણ એવા ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 131 જન્મજયંતિના શુભ અવસરના ભાગ રૂપે આજરોજ ગાંધીનગરના ડભોડા ખાતેના હોમગાર્ડ યુનિટ ખાતે બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ શુભ અને પાવન કાર્યક્રમમાં ડભોડા ગામના માનનીય સરપંચ શ્રીના પુત્ર પૃથ્વીસિંહ,ડેપ્યુટી સરપંચના મોટાભાઈ અમરસિંહ,ડભોડા ગામના ઠાકોર સેનાના પ્રમુખ અજીતસિંહ, ડભોડા ગામના આગેવાન બળદેવભાઈ પરમાર, તેમજ ડભોડા ગામના હોમગાર્ડ યુનિટના રિટાયર્ડ ઇન્ચાર્જ ડી. એમ. પરમાર તેમજ ગામના વડીલો આગેવાનો અને યુવાનોએ મોટી સંખ્યામાં ભાગ લઇ આજરોજ બાબાસાહેબ આંબેડકરની 131 મી જન્મજયંતિના કાર્યક્રમને સફળ બનાવી ગૌરવની લાગણી અનુભવી હતી.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ડભોડા હોમગાર્ડ યુનિટ ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાયું, બાબા સાહેબની 131 મી જન્મજયંતિ નિમિતે ગામના આગેવાનોએ હાજર રહી સફળ આયોજન પાર પાડ્યુ

Related posts

સેક્સ રેકેટ: બિહારના સીતામઢીમાં ઓર્કેસ્ટ્રાની આડમાં ચાલતું હતું સેક્સ રેકેટ! 14 યુવતીઓ સાથે 10 યુવકોની ધરપકડ

Phone: 9998685264.

વલસાડ / લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા પાર્ટનર સાથે લગ્ન કરવાની ના પાડતા યુવકને માર મારીને મોતને ઘાટ ઉતારાયો, યુવકના પિતાની ફરિયાદના આધારે 7 લોકોની ધરપકડ

Phone: 9998685264.

ઓલપાડ તાલુકાના કુડસદ રેલવે સ્ટેશનને લોકલ ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવે! 5 હજારથી વધુ લોકોની વસ્તી ધરાવતા ગામ સાથે અન્યાય, નોકરી, રોજગાર, વિદ્યાર્થીઓ અને અરસ પરસ વેપાર કરતા લોકોને પડે છે હાલાકી, દર્શન નાયકે પશ્ચિમ રેલ્વે મેનેજરને પત્ર લખીને ન્યાયની માંગ કરી

Phone: 9998685264.

Leave a Comment