
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
અમદાવાદમાં સતત યુપી બિહાર જેવી ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં સતત છેતરપીંડી, હત્યા, ચોરી વગેરેની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેની સાથે એક વાત તો સ્પષ્ટ છે કે, ગુનેગારોને જાણે પોલીસનો ભય ના રહ્યો તેવું જોવા મળી રહ્યું છે. એવામાં આજે અમદાવાદના નરોડાથી એવી જ એક ઘટના સામે આવી છે. અમદાવાદના નરોડામાં હંસપુરા પાસે આવેલ બંધ મકાનમાંથી એક મહિલાની લાશ મળી આવી છે.
જ્યારે આ મહિલાની લાશ મળી આવતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચેલા લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મહિલાના શરીર પર છરીના ઘા મારીને તેની હત્યા કરવામાં આવેલ છે.તેની સાથે તે પણ જાણકારી સામે આવી છે કે, આ મહિલાના છૂટાછેડા થયેલા હતા અને તેના લીધે તે એકલી રહીને પોતાનું જીવન પસાર કરી રહી હતી. પરંતુ હવે તેની હત્યા કેવી રીતે થઈ તેને લઈને નરોડા પોલીસ દ્વારા હત્યાનો કેસ નોંધી તપાસ શરૂ કરવામાં આવેલ છે.
આ કેસને લઈને જાણકારી સામે આવી છે કે, નરોડા હંસપુરા પાસે આવેલ એક બંધ મકાનમાંથી દુર્ગધ આવતા સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ નરોડા પોલીસ દ્વારા આ મકાનનું તાળું તોડીને તપાસ કરવામાં આવી હતી. તે દરમિયાન આ મકાનમાંથી એક મહિલાની લાશ મળી આવી હતી.
જ્યારે આ મહિલાની છ દિવસ પહેલા હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે મહિલાની લાશ સડી જવાની સાથે તેમાં કીડા પણ પડી ગયા હતા. આ સિવાય મહિલાના ગળા સહિત શરીરના ભાગમાં છરીના ઘા મારવામાં આવ્યા હતા અને છરી પણ લાશ પાસેથી મળી આવ્યાનું સામે આવ્યું છે. ત્યાર બાદ નરોડા પોલીસ દ્વારા પ્રાથમિક તપાસના આધારે હત્યાનો કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.





Total Users : 25
Total views : 93
Who's Online : 0