
રીતેશ પરમાર
અમદાવાદ.30.
આજે રાષ્ટ્રીય પિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટીના કુબેરનગર વિસ્તારમાં ગાંધી બાપુને શ્રદ્ધાંજલિ સફાઈ કામ કરી અને લોકોને કોરોનાના જાગૃતિ કરી માસ્કનું વિતરણ કર્યું.
આગામી દિવસોમાં ગુજરાતમાં વિધાનસભા ની ચૂંટણીઓ કયારેક પણ આવી શકે છે.ત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી થી ગભરાઈ રહી છે.લોકો પણ હવે કેજરીવાલને પસંદ કરી રહ્યા છે.આપ પાર્ટી ગુજરાતમાં પોતાનો પગ પેસરો કરી રહી છે.લોકોમાં જાગૃતિ લાવવા માટે આપ પાર્ટીએ કમર કસી રહી છે.વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવાનો નીર્ધાર કર્યું છે.પાર્ટીના કાર્યકરો હવે પોતાના વિસ્તારમાં જોર શોર થી પ્રચાર કરી રહ્યા છે.આજે કુબેરનગર વોર્ડના પ્રમુખ જ્યેન્દ્ર અભવેકર ,મહિલા પ્રમુખ રીંકુબેન સીંઘાનિયા, ઉપ પ્રમુખ અનિકેત ઘાસી,સંગઠન મંત્રી ગીતાબેન સુંદરવા અને બલરામ સીંઘાનિયા સહિતના કાર્યકરો હાજર રહી લોકોમાં જાગૃતિ ફેલાવી હતી.






Total Users : 9767
Total views : 11433
Who's Online : 0