
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
પાલનપુરમાં ચા ની કીટલી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી દિવ્યાંગ વિધવા મહિલાની સગીર વયની દીકરીના અપહરણને ૨ માસનો સમય વીતવા છતાં તેની ભાળ મળી નથી. ત્યારે પોલીસની કામગીરીથી નારાજ અપંગ મહિલાએ આત્મ વિલોપન કરવાની ચીમકી આપતા ચકચાર મચી જવા પામી છે. પાલનપુરના બેચરપુરમાં રહેતી અને ટીનાબેનના નામે ઓળખાતી જિયાબેન સેનજીભાઈ ઠાકોર જિલ્લા પંચાયત પાસે ચા ની લારી ચલાવી ગુજરાન ચલાવે છે.
જેની ૧૬ વર્ષની સગીર દીકરી અંજલિને ખરોડીયા ગામનો હેમંત ઉર્ફે મોન્ટુ રતુભાઈ ચૌધરી જારકર્મ કરવાના ઇરાદે અપહરણ કરી લઈ ગયો છે. આ યુવક પરણિત અને એક સંતાનનો પિતા છે. છતાં તે સગીર દીકરીને ભગાડી ગયો હોવાનું અશ્રુભરી આંખે ટીનાબેને જણાવ્યું હતું. આ અંગે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશને સગીરાની માતાએ ફરિયાદ પણ નોંધાવી છે.અપહરણને ૨ માસનો સમય વીતવા છતાં સગીર દીકરીની ભાળ મળી નથી. દીકરીની ભાળ મેળવવા પોલીસ સ્ટેશન ના ધરમ ધક્કા ખાઈને કંટાળેલી માતાએ પોલીસની બેદરકારી સામે રોષ ઠાલવતા અંતે એસ.પી કચેરીમાં જઇ આત્મ વિલોપન કરવાની ચીમકી ઉચ્ચારતા ચકચાર મચી જવા પામી છે.







Total Users : 9751
Total views : 11415
Who's Online : 0