
વિશેષ અહેવાલ: રીતેશ પરમાર સિનિયર જર્નાલિસ્ટ (Times of Amdavad Live)
અમદાવાદ:ગુજરાતના સાંસ્કૃતિક અને ધાર્મિક ઇતિહાસમાં જેનું સર્વોચ્ચ મહત્વ છે, તેવી અમદાવાદની પરંપરાગત ૧૪૯મી ભગવાન જગન્નાથની રથયાત્રા આવતીકાલે અષાઢી બીજના પાવન પર્વે ભક્તિસભર માહોલમાં નીકળશે. જગતના નાથ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર સાથે સોનાના વેશમાં સજ્જ થઈને નગરજનોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળશે.
જમાલપુર સ્થિત મુખ્ય જગન્નાથ મંદિર ખાતે ત્રણેય દિવ્ય રથોનું પૂજન, રંગરોગાન અને અન્ય તમામ ધાર્મિક વિધિઓ પૂર્ણ કરી લેવામાં આવી હોવાનું Times of amdavad ના ગ્રાઉન્ડ રિપોર્ટમાં સામે આવ્યું છે.
⏰ રથયાત્રાનો સંપૂર્ણ સમયપત્રક (Schedule):
સવારે ૦૪:૦૦ વાગ્યે: મંગળા આરતી (કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં).સવારે ૦૪:૩૦ વાગ્યે: ભગવાનને પરંપરાગત ખીચડી અને પકવાનનો મહાભોગ.
સવારે ૦૬:૦૦ વાગ્યે: ત્રણેય ભાઈ-બહેનોનું રથ પર આરોહણ.
સવારે ૦૬:૩૦ વાગ્યે: મુખ્યમંત્રી દ્વારા સોનાની સાવરણીથી ‘પહંદ વિધિ’ અને રથ પ્રસ્થાન.
બપોરે ૧૨:૦૦ થી ૦૧:૦૦ વાગ્યે: ભગવાનનું મોસાળ સારસપુરમાં આગમન અને ભવ્ય મહાપ્રસાદ.
રાત્રે ૦૮:૩૦ વાગ્યે: ૧૮ કિલોમીટર લાંબી યાત્રા પૂર્ણ કરી રથોનું નિજ મંદિરે પરત આગમન.
🛡️ ડ્રોન અને બોડી કેમેરા સાથે લોખંડી સુરક્ષા:-
અમદાવાદ પોલીસ પ્રશાસન દ્વારા સુરક્ષા માટે ‘ઝીરો રિસ્ક’ વ્યૂહરચના અપનાવવામાં આવી છે. આખી રથયાત્રાના રૂટ પર ૩૧,૦૦૦ થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સંવેદનશીલ વિસ્તારોમાં હાઈ-ટેક ડ્રોન સર્વેલન્સ, અદ્યતન સીસીટીવી કેમેરા અને બોડી-વોર્ન (Body-worn) કેમેરાથી પળેપળનું મોનિટરિંગ કરવામાં આવશે.
🐘 ૧૮ ગજરાજ અને અખાડાનું વિશેષ આકર્ષણ:-
આ વર્ષે રથયાત્રામાં ૧૮ શણગારેલા ગજરાજ (હાથીઓ), ૧૦૧ સુશોભિત ટ્રકો, ૩૦ થી વધુ પરંપરાગત અખાડા અને વિવિધ ભજન મંડળીઓ જોડાશે. ગયા વર્ષે તોફાની બનેલા ‘બાબુ’ નામના હાથીને આ વખતે ભીડની આદત પાડવા માટે વિશેષ તાલીમ આપવામાં આવી છે જેથી સમગ્ર યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ શકે.
📸 ૧૪૯મી રથયાત્રાની પળેપળની પિક્ચર-ગેલેરી અને લાઈવ વિડીયો અહેવાલો માટે જોતા રહો: Times of Amdavad Live






Total Users : 5765
Total views : 6871
Who's Online : 1