Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

દહેગામ નજીક કંથારપુરાના આર્મી જવાનનું મધ્યપ્રદેશમાં નિધન
જવાનને આખરી સલામી આપવા મોટી સંખ્યામાં લોકો કંથારપુરા ગામમાં ઉમટી પડ્યા

દહેગામ નજીક કંથારપુરાના આર્મી જવાનનું મધ્યપ્રદેશમાં નિધનજવાનને આખરી સલામી આપવા મોટી સંખ્યામાં લોકો કંથારપુરા ગામમાં ઉમટી પડ્યા

Our Visitor

009917
Total Users : 9917
Total views : 11605
Who's Online : 5

દહેગામ નજીક કંથારપુરાના આર્મી જવાનનું મધ્યપ્રદેશમાં નિધનજવાનને આખરી સલામી આપવા મોટી સંખ્યામાં લોકો કંથારપુરા ગામમાં ઉમટી પડ્યા

ગાંધીનગર જીલ્લાના દહેગામ તાલુકાના કંથારપુરા ગામના વતની આર્મી જવાનનું અવસાન થતાં સમગ્ર ગામમાં શોકની લહેર વ્યાપી ગઇ છે. મધ્યપ્રદેશમાં ફરજ બજાવતા સોલંકી જયદીપસિંહનું બિમારીના કારણે નિધન થયું છે. મૃતક જવાનનો ગઈકાલે અંતિમવિધિ માટે તેનો પાર્થિવ દેહ વતન ખાતે કંથારપુરા ગામમાં લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ગાર્ડ ઓફ ઓનર સાથે આખરી સલામી આપવામાં આવી હતી. જવાનના અચાનક મોતના સમાચાર મળતા કંથારપુરા પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.


દહેગામ તાલુકામાં આવેલા કંથારપુરા ગામના વતની જયદીપસિંહ રૂપસિંહ સોલંકી મધ્યપ્રદેશમાં આવેલા સાગર જિલ્લા ખાતે પોતાની ફરજ બજાવી રહ્યા હતા. જો કે બિમારીના કારણે અંતિમશ્વાસ લીઘા હતા. જવાન જયદીપસિંહના મૃત્યુ અંગે કંથારપુરા સ્થિત તેમના પરિવારજનોને જાણ કરવામાં આવતા આભ તૂટી પડ્યું હતું. ત્યારબાદ જયદીપસિંહના મૃતદેહને કંથારપુરા ખાતે લાવવામાં આવ્યો હતો.
અંતિમ વિધિ માટે ગામમાં પાર્થિવ દેવ લાવવામાં આવી રહ્યો હોવાની વાત મળતા મોટી સંખ્યામાં લોકો કંથારપુરા ગામમાં ઉમટી પડ્યા હતા. જયદીપસિંહને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. ત્રણ માસુમ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે તો એકના એક પુત્રના અવસાનથી માતા પિતાએ ઘડપણનો સહારો ગુમાવ્યો હોવાથી પરિવારમાં રોકકળના દ્રશ્યો સર્જાયા હતા.


દહેગામ નજીક કંથારપુરાના આર્મી જવાનનું મધ્યપ્રદેશમાં નિધન<br>જવાનને આખરી સલામી આપવા મોટી સંખ્યામાં લોકો કંથારપુરા ગામમાં ઉમટી પડ્યા

Related posts

ભુજ /પોલીસ પ્રજાની મિત્ર છે તેને સાર્થક કરતી ઘટના!
પિતા ભૂલથી દીકરીને ખોટા પરીક્ષા કેન્દ્ર પર છોડી, PI તેને સાચા કેન્દ્ર પર લઈ ગયા

Ritesh Parmar

સુરત /લમ્પી વાઇરસના કહેર થી પશુઓ ટપોટપ મૃત્યુ પામી રહ્યા છે! જયારે સુરત જિલ્લામાં ૫.૧૭ લાખ પશુ વચ્ચે માત્ર ૬ ચિકિત્સક હોવાથી પશુપાલકોની ચિંતા વધી! ચિકિતસ્કો અને પશુપાલન અધિકારીઓની સંખ્યામાં વધારો કરવાની માંગ કરતા ખેડૂત આગેવાન : દર્શન નાયક

Ritesh Parmar

ભરૂચના સાંસદ મનસુખ વસાવાના અશોભનીય વર્તન અને અપશબ્દ બોલી મામલતદારને ખખડાવવાના મામલે સાંસદ સામે મોરચો! કાલથી મામલતદારો કાળી પટ્ટી બાંધી ફરજ પર આવશે, 4 માર્ચથી સીએલ પર ઉતરશે!

Ritesh Parmar

Leave a Comment