
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
ભાવનગર શહેરના આવેલી સર ટી. હોસ્પિટલમાં રવિવારે સાંજે એક નર્સિંગ સ્ટાફ 25 વર્ષીય છોકરીએ આત્મહત્યા કરી હતી હોસ્પિટલના સાતમા માળે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. ત્યારે સુસાઇડ નોટમાં સ્ટોર વિભાગમાં નર્સિંગ સ્ટાફ તરીકે કામ કરતી અમી મકવાણા નામની યુવતીએ તેના માતા -પિતા પ્રત્યે ખૂબ જ પ્રેમ દર્શાવ્યો હતો અને લખ્યું હતું કે તે લગ્ન નથી કરવા એવો ઉલ્લેખ કર્યો હતો.
નિલમબાગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે
યુવતીએ રૂમમાં પંખા સાથે દોરડાથી લટકીને આ પગલું ભર્યું હતું ત્યારે ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા નિલમબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી પ્રમાણે અમીબેન તુલસીભાઈ મકવાણા (ઉં.વ .22, રહે. આનંદનગર, ભાવનગર) એ રવિવારે સાંજે 7.30 વાગ્યે શહેરની સિવિલ હોસ્પિટલના સાતમા માળે મેડિસન સ્ટોરના બહેન રૂમના સ્ટોર રૂમમાં આત્મહત્યા કરી હતી.
પોલીસને યુવતીની બેગમાંથી એક સુસાઈડ નોટ મળી છે. તેમાં તેને સ્યુસાઇડ નોટમાં ખુલાસો કર્યો છે કે તેણે આ પગલું એટલા માટે લીધું છે કે તે લગ્ન કરવા માંગતી ન હતી. “હું ત્યાં લગ્ન કરવા માંગતી નથી, તેથી હું આ પગલું ભરું છું લવ યુ મમ્મી, લવ યુ પપ્પા,” તેણીએ એક સુસાઇડ નોટમાં લખ્યું હતું.





Total Users : 24
Total views : 92
Who's Online : 0