Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદના કૃષ્ણનગરમાં ધોળા દિવસે ₹૫૦ લાખની સનસનાટીભર્યા લૂંટ: કાયદો-વ્યવસ્થાના લીરેલીરા, કેપિટલ બનવા તરફ અગ્રેસર અમદાવાદ? જુઓ સીસીટીવીમાં કેદ થયાં લૂંટારુઓ

અમદાવાદના કૃષ્ણનગરમાં ધોળા દિવસે ₹૫૦ લાખની સનસનાટીભર્યા લૂંટ: કાયદો-વ્યવસ્થાના લીરેલીરા, કેપિટલ બનવા તરફ અગ્રેસર અમદાવાદ? જુઓ સીસીટીવીમાં કેદ થયાં લૂંટારુઓ

Our Visitor

001677
Total Users : 1677
Total views : 2127
Who's Online : 0
Views 110

અમદાવાદના કૃષ્ણનગરમાં ધોળા દિવસે ₹૫૦ લાખની સનસનાટીભર્યા લૂંટ: કાયદો-વ્યવસ્થાના લીરેલીરા, કેપિટલ બનવા તરફ અગ્રેસર અમદાવાદ? જુઓ સીસીટીવીમાં કેદ થયાં લૂંટારુઓ

અહેવાલ -સિનિયર જર્નાલિસ્ટ )

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર જેવા ધમધમતા વિસ્તારમાં, મારુતિ પ્લાઝા અને એડીસી બેંક જેવા જાહેર સ્થળે, ધોળા દિવસે ફિલ્મી ઢબે થયેલી ₹૫૦ લાખની લૂંટ માત્ર એક ગુનો નથી. આ ઘટના મહાનગરની સુરક્ષા વ્યવસ્થા પર લાગેલો એક મોટો સવાલિયા નિશાન છે. જ્યારે સામાન્ય નાગરિક, વેપારી કે આંગડિયા પેઢીના કર્મચારીઓ ભરેલા બજારે સુરક્ષિત નથી, ત્યારે સવાલ એ થાય છે કે પોલીસની ધાક ક્યાં ગઈ?

🚨 ફિલ્મી ઢબે ચીલઝડપ:
ગુનેગારો બેફામ, જનતા લાચાર

શનિવારની ભરબપોરે બે બાઇક પર આવેલા ચાર હેલ્મેટધારી લૂંટારુઓએ અકસ્માતનો ઢોંગ રચી, કાર ચાલકનું ધ્યાન ભટકાવીને ₹૫૦ લાખની રોકડ ભરેલી બેગ આંચકી લીધી. આ મોડસ ઓપરેન્ડી દર્શાવે છે કે ગુનેગારોમાં પોલીસનો કોઈ ડર રહ્યો નથી. તેમને ખબર છે કે ધોળા દિવસે પણ તેઓ ધોરીમાર્ગો પર ગુનો કરીને આસાનીથી ફરાર થઈ શકે છે.

જુઓ cctv ફૂટેજ

😰 સામાન્ય જનતા અને વેપારીઓમાં ફફડાટ:-

આ લૂંટના કારણે અમદાવાદના વેપારી આલમ અને રોજબરોજ રોકડનો વ્યવહાર કરતા સામાન્ય લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

વ્યવસાયિક અસુરક્ષા:-

બેંક કે આંગડિયા પેઢીમાંથી પૈસા લઈને નીકળતા વેપારીઓ હવે પોતાની જાતને અસુરક્ષિત અનુભવી રહ્યા છે.

માનસિક ભય:-

ધોળા દિવસે જો આટલી મોટી રકમ લૂંટાઈ જતી હોય, તો સામાન્ય નાગરિક રાત્રે કે એકલદોકલ વિસ્તારમાં કેવી રીતે સુરક્ષિત રહી શકે?

વિશ્વાસનો અભાવ:-

સામાન્ય લોકોમાં હવે એવો ડર પેસી ગયો છે કે ગમે ત્યારે તેમની સાથે પણ આવી અનહોની થઈ શકે છે.

🚔 પોલીસ પેટ્રોલિંગની નિષ્ક્રિયતા પર સવાલો:-

લૂંટારુઓ cctv માં દેખાયા

ઘટના બાદ ભલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હોય અને CCTV તપાસવાના દાવા કરાતા હોય, પણ અસલી સવાલ પ્રીવેન્ટિવ પોલીસિંગ (ગુનો બનતા અટકાવવો) પર છે:

ક્યાં છે પીસીઆર (PCR) વાન?

લાખો રૂપિયાની લેવડદેવડવાળા બેંક અને પ્લાઝા જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું પેટ્રોલિંગ કેમ ગેરહાજર હતું?

પોલીસનો ખૌફ કેમ ઓછો થયો?

ગુનેગારો જાહેરમાં હથિયારો કે આવી યુક્તિઓ અજમાવીને લૂંટ કરી જાય છે, જે દર્શાવે છે કે કાયદાનો ડર માત્ર કાગળ પર રહી ગયો છે.

ફક્ત કાગળ પર ચેકિંગ?

રાત્રિ કરફ્યુ કે ટ્રાફિકના નામે મેમો ફાડતી પોલીસ ગુનેગારો પર નજર રાખવામાં કેમ થાપ ખાઈ જાય છે?

📈 અમદાવાદનો વધતો ક્રાઈમ રેશિયો:-

લાલબત્તી સમાનછેલ્લા કેટલાક સમયના આંકડાઓ પર નજર કરીએ તો, અમદાવાદમાં પ્રોપર્ટી ઓફેન્સ, ચીલઝડપ, લૂંટ અને ઘરફોડ ચોરીના ગ્રાફમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે. પૂર્વ અમદાવાદનો મોટો હિસ્સો ગુનેગારો માટે સોફ્ટ ટાર્ગેટ બની રહ્યો છે. ટેકનોલોજીકલ અપગ્રેડેશન અને ‘સ્માર્ટ સિટી’ ના સીસીટીવી કેમેરા માત્ર ગુનો બન્યા પછી પુરાવા શોધવા માટે જ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે, ગુનાખોરી રોકવામાં નહીં.

આહવાન: હવે જાગવાનો સમય છે:-

આ ઘટના અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ (City Police Chief અને આઈપીએસ અધિકારીઓ) માટે એક વેક-અપ કોલ (જાગવાનો સમય) છે. જો સિંઘમ જેવી છાપ ધરાવતા અધિકારીઓ ગ્રાઉન્ડ લેવલ પર કડક પગલાં નહીં લે, તો અમદાવાદની ગણતરી શાંત શહેરોમાં નહીં થાય.

તાકીદે લેવા જેવા પગલાં:-

ફૂટ પેટ્રોલિંગ વધારો: માત્ર ગાડીઓમાં ફરવાને બદલે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસકર્મીઓનું સરપ્રાઈઝ ફૂટ પેટ્રોલિંગ શરૂ થવું જોઈએ.

વેપારી વિસ્તારોમાં વિશેષ સુરક્ષા:-

બેંકો, સોની બજાર અને આંગડિયા પેઢીઓની આસપાસ સાદા કપડામાં પોલીસ (વોચર્સ) તહેનાત હોવા જરૂરી છે.

ગુનેગારોનું કડક સરઘસ:-

પકડાયેલા ગુનેગારો સામે એવી કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ જેથી બીજા ગુનેગારોના ચામડા ચિરાઈ જાય.

નિષ્કર્ષ:શાંતિ અને સલામતી એ અમદાવાદની ઓળખ છે:-

કૃષ્ણનગરની આ લૂંટે એ ઓળખને ઝાંખી પાડી છે. હવે જોવાનું એ રહે છે કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ પડકારને ઉપાડીને ગુનેગારોને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે અને જનતામાં ફરી સુરક્ષાનો અહેસાસ કરાવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદના કૃષ્ણનગરમાં ધોળા દિવસે ₹૫૦ લાખની સનસનાટીભર્યા લૂંટ: કાયદો-વ્યવસ્થાના લીરેલીરા, કેપિટલ બનવા તરફ અગ્રેસર અમદાવાદ? જુઓ સીસીટીવીમાં કેદ થયાં લૂંટારુઓ

Related posts

ખેડા જિલ્લામાં રાવળ સમાજનો દ્રિતીય સમૂહ લગ્નનો ભવ્ય સમારોહ યોજાયો! 11 દીકરીઓના લગ્ન કરાયા, નડિયાદ જિલ્લાના ભાજપ સંગઠનના ઉપ-પ્રમુખ દ્વારા દીકરીઓને તિજોરી દાન કરાઈ, કાર્યક્રમમાં ભાજપના સંગઠન મંત્રી શોભના પટેલ પણ હાજર રહ્યા

Phone: 9998685264.

સુરતમાં સ્પાની આડમાં દેહ-વિક્ર્યના ચાલતા અડ્ડા પર પોલીસની રેડ, 8 વિદેશી યુવતીઓ રાખી ચલાવાતું હતું વેશ્યાવૃત્તિનો ધંધો! હ્યુમન ટ્રાફિકિંગ સેલને મળી હતી ફરીયાદ

Phone: 9998685264.

બારડોલી તાલુકા પંચાયતના કથિત સ્માર્ટ બોર્ડ કૌભાંડ મામલે કોંગ્રેસનો મોરચો!બારડોલી તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપી આ મામલે તટસ્થ તપાસની માગ કરી,બારડોલી તાલુકા પંચાયતમાં થતાં ભ્રષ્ટાચારને લઈ કોંગી કાર્યકરોએ રોષ ઠાલવ્યો

Phone: 9998685264.

Leave a Comment