
અહેવાલ – રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ )
પંચમહાલ-:આ દુર્ઘટના આજે વહેલી સવારે ભારે વરસાદ દરમિયાન સર્જાઈ હતી, જેમાં અચાનક મોટા પથ્થરો નીચે ગબડીને પગથિયાં પર પડતાં અંદાજે ૧૫ જેટલા યાત્રિકો તેની ઝપેટમાં આવી ગયા હતા.
મુખ્ય વિગતો અને બચાવ કામગીરી તેમજ દુર્ઘટના સ્થળ:-
પંચમહાલ જિલ્લામાં આવેલ યાત્રાધામ પાવાગઢ ડુંગર, પાટિયા પુલ નજીકના પગથિયાં પાસે ઘટના બનતા કાટમાળ અને પથ્થરો નીચે દબાવાના કારણે ૨ વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે.
તાત્કાલિક સારવાર:-

ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક અસરથી સારવાર માટે હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.ઈજાગ્રસ્તોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામને નજીકના હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર, ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી શરૂ કરી પથ્થરો નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરાયા હતા.
ચોમાસાની શરૂઆતમાં ધોધમાર વરસાદને પગલે પાણીના ભારે પ્રવાહના કારણે આ ભેખડ ધસી પડી હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જાણવા મળ્યું છે. આ આકસ્મિક દુર્ઘટનાને પગલે સમગ્ર પંથક અને શ્રદ્ધાળુઓમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.





Total Users : 221
Total views : 353
Who's Online : 0