Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશનના પ્રાંગણમાં સ્વતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી! ધ્વજ વંદન, વૃક્ષારોપણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા

ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશનના પ્રાંગણમાં સ્વતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી! ધ્વજ વંદન, વૃક્ષારોપણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા

Our Visitor

009827
Total Users : 9827
Total views : 11506
Who's Online : 0

ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશનના પ્રાંગણમાં સ્વતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી! ધ્વજ વંદન, વૃક્ષારોપણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા

અહેવાલ – રીતેશ પરમાર

સંપર્ક 9998685264

સ્વતંત્રતા દિવસ સ્વતંત્રતા માટેના લાંબા અને કઠોર સંઘર્ષની યાદમાં ઉજવવામાં આવે છે, જેની વિશેષતા ભારતીય જનતાના વ્યાપક એકત્રીકરણ, મહાત્મા ગાંધી જેવી વ્યક્તિઓની આગેવાની હેઠળના અહિંસક પ્રતિરોધ અને સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા અસંખ્ય બલિદાન દ્વારા વર્ગીકૃત થયેલ છે.

તેમણે ભારતને એક લોકશાહી ગણરાજ્યના રુપમાં સ્થાપિત કર્યું. તેમણે લોકશાહી, ન્યાય અને સ્વતંત્રતાના સિદ્ધાંતો પર ભાર મૂકતા “લોકોની, લોકો દ્વારા, લોકો માટે” સરકારનો પાયો નાખ્યો.

સ્વતંત્રતા દિવસ એક વૈવિધ્ય સભર ઉત્સવ છે જે ભારતના ભૂતકાળના સંઘર્ષોનું સન્માન કરે છે, તેની વર્તમાન સિદ્ધિઓની ઉજવણી કરે છે અને ભવિષ્યની આકાંક્ષાઓ તરફ જુએ છે. તે રાષ્ટ્રીય ગૌરવ, એકતા અને પ્રતિબિંબનો દિવસ છે, જે સ્વતંત્રતાની ભાવના અને તેના તમામ નાગરિકો માટે વધુ સારા રાષ્ટ્રનું નિર્માણ કરવાની નિરંતર શોધને દર્શાવે છે.

જેથી આજે 15મી ઓગસ્ટ 2024ના રોજ 78મા સ્વતંત્રતા દિવસના શુભ અવસરે ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશનના પ્રાંગણમાં વિશેષ્ઠ અતિથિ તરીકે અમદાવાદ રેલ્વેના માનનીય વરિષ્ઠ મંડળ પરિચાલન પ્રબંધક શ્રીમતી ડો. જીનિયા ગુપ્તા હાજર રહ્યા હતા. જયારે ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશનના સુપ્રીટેન્ડેન્ટ જયેશ ચુનારા દ્વારા ઘ્વજ લહેરાવવામાં આવ્યો હતો. સાથે ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સના આચાર્ય, શિક્ષક ગણ અને વિધાર્થી/વિધાર્થીનીઓ દ્વારા ખૂબજ સુંદર અને સરસ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ, વિધાર્થીનીઓ સહીત 300 થી વધુ બાળકો ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમ બાદ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.

ડો.જીનિયા ગુપ્તાના કરકમલો થી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સાથે વિશેષ અતિથિ માનનીય IPS અધિકારી શ્રી હસમુખ પટેલ, શ્રીમતી બીના હસમુખ પટેલ દ્વારા પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કન્સલ્ટેટિવ ​​કમિટીના તમામ પાંચ સભ્યો અને ગાંધીનગર વરિષ્ઠ નાગરિક જૂથ ના સભ્યો પણ તેમના પરિવારો સાથે ઉપસ્થિત રહ્યા હતા. સાંજ સુધીમાં ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન દ્વારા 150 થી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.તો બીજીતરફ વૃક્ષોની સુરક્ષા માટેના ટ્રી ગાર્ડ ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ સમગ્ર કાર્યક્રમને વ્યવસ્થિત રીતે સંચાલન કરીને સફળ બનાવવા માટે ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશનના સુપ્રીટેન્ડેન્ટ જયેશ ચુનારાએ પોતાના અથાગ પ્રયાસ થકી સુંદર રીતે સફળ બનાવી સિંહફાળો આપ્યો હતો.


ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશનના પ્રાંગણમાં સ્વતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી! ધ્વજ વંદન, વૃક્ષારોપણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા

Related posts

સુરત કોર્પોરેશન માટે શરમજનક ઘટના! તારણકુંડમાં SMC ના અધિકારીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા

Ritesh Parmar

અંધશ્રધ્ધા નું ભૂત ફરી ધુણ્યું / રાજકોટમાં દોઢ મહિનાની બાળકી સાથે અંધશ્રધ્ધામાં અત્યાચાર! તાવ અને આંચકી ન મટતા ભુવાએ ડામ દીધા! બાળકીને હોસ્પિટલમાં દાખલ કરાઈ, ભુવા સામે ગુનો નોંધવા માંગ

Ritesh Parmar

એરપોર્ટ વિસ્તારમાં ચાલતા જુગારધામ ઉપર SMC ત્રાટકી, 8 જુગારીઓની ધરપકડ, સ્થાનિક પોલીસની ભૂમિકા શંકાસ્પદ?

Ritesh Parmar

Leave a Comment