Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત કોર્પોરેશન માટે શરમજનક ઘટના! તારણકુંડમાં SMC ના અધિકારીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા

સુરત કોર્પોરેશન માટે શરમજનક ઘટના! તારણકુંડમાં SMC ના અધિકારીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા

Our Visitor

003000
Total Users : 3000
Total views : 3677
Who's Online : 0

સુરત કોર્પોરેશન માટે શરમજનક ઘટના! તારણકુંડમાં SMC ના અધિકારીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા

ગુજરાતમાં દારૂબંધી જાણે નામથી જ રહી ગઈ હોય તેમ રોજ બરોજ અવનવા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. આમ નાગરીકો તો છોડો પણ ખુદ સરકારી બાબુઓ દારૂબંધી ના ધજાગરા ઉડાડતા નજરે પડી રહ્યા છે.

સુરત મહાનગરપાલિકાની આબરૂના લીરેલીરા ઉડાડતી ઘટના સામે આવી રહી છે. જેમાં SMC ના કેટલાક અધિકારીઓ ખુલ્લેઆમ પોલીસ કે કાયદાનો ડર રાખ્યા વગર દારૂ પિતા હોવાનું વિડીયો સામે આવ્યું છે.સુરતમાં (Surat) મહાનગરપાલિકાની આબરૂનાં લીરેલીરા તેના જ કેટલાક અધિકારીઓ દ્વારા ઉડાડવામાં આવ્યા હોય તેવી ઘટના સામે આવી છે. લોકોને દારૂ બંધીનું પાલન કરાવતાં સુરતમાં મનપાના અધિકારીઓ જ છાકટા બન્યા છે. સીંગણપુર કતારગામ તારણકુડમાં SMC ના કેટલાક અધિકારીઓ દારૂની મહેફિલ (liquor party) માણતા રંગેહાથ ઝડપાયા હતા. જો કે, રેડ પડતા દારૂની પાર્ટી કરતા તમામ અધિકારીઓ ત્યાંથી ભાગ્યા હતા.

મનપાના અધિકારીઓ ઝડપાતા અનેક સવાલ

આ ઘટના સામે આવતા તમામ અધિકારીઓની પોલીસે અટકાયત કરી હતી અને પૂછપરછ હાથ ધરી હતી. આ ઘટનાને લઈને કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ (Narendra Pandav) પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કોર્પોરેટરે કહ્યું કે, જવાબદાર તમામ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક માહિતી મુજબ, અટકાયત કરાયેલા અધિકારીઓમાં પંકજ ગાંધી, તેજસ ખલાસી, પીનેશ સારંગ, અજય સેલર અને સંજય રેતીવાલા સામેલ છે. પ્રાથમિક અહેવાલ અનુસાર, આ દારૂ પાર્ટીમાં સ્વિમિંગ કરવા આવેલો એક સભ્ય અને વોચમેનનો પણ સામેલ હતા. SMC ના અધિકારીઓનો વીડિયો સામે આવતા અનેક સવાલ થઈ રહ્યા છે કે આવા અધિકારીઓ સામે ક્યારે પગલાં લેવામાં આવશે ? દારૂ બંધીનાં ધજાગરા કરતા અધિકારીઓ સામે ક્યારે એક્શન થશે ? શું મનપાના અધિકારીઓને દારૂ પીવાનો પરવાનો છે ? આમ પ્રજા સાથે આકરું વલણ.. અધિકારીઓ સામે ક્યારે ?


સુરત કોર્પોરેશન માટે શરમજનક ઘટના! તારણકુંડમાં SMC ના અધિકારીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા

Related posts

હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ ને અદાણી ગ્રુપે ભારત સામે નું સુનિયોજીત ષડ્યંત્ર ગણાવ્યું

Phone: 9998685264.

દાહોદ / સાસરીમાં લગ્ન પ્રસંગ પતાવી ફતેપુરા પોલીસ સ્ટેશન ફરજ પર જતા પોલીસ કોન્સ્ટેબલનું અકસ્માતમાં દુઃખદ મોત, ખુશીનું પ્રસંગ માતમમાં ફેરવાયું

Phone: 9998685264.

ગુજરાતમાં આ વર્ષે 17 IAS અને 7 IPS અધિકારીઓ થશે રિટાયર, આ યાદીમાં ગુજરાતનાં પોલીસ વડા આશિષ ભાટિયા અને રાજ્યના ચીફ સેક્રેટરી પંકજ કુમારના પણ નામ!

Phone: 9998685264.

Leave a Comment