Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

24 કલાક ગાર્ડ અને કેમેરા છતાં બંગલોમાંથી દાગીના ચોરાયા! તસ્કરો સોના હીરા જડિત બંગડી ચોરી ગયા

24 કલાક ગાર્ડ અને કેમેરા છતાં બંગલોમાંથી દાગીના ચોરાયા! તસ્કરો સોના હીરા જડિત બંગડી ચોરી ગયા

Our Visitor

009821
Total Users : 9821
Total views : 11499
Who's Online : 0

24 કલાક ગાર્ડ અને કેમેરા છતાં બંગલોમાંથી દાગીના ચોરાયા! તસ્કરો સોના હીરા જડિત બંગડી ચોરી ગયા

અહેવાલ – રીતેશ પરમાર

જોધપુર ગામના પ્રેરણાતીર્થ બંગ્લોઝ વિ-2માં ચોરી થયાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. મકાન માલિક અમેરિકા અને પાલીતાણા ગયા હતા ત્યારે તસ્કરોએ સ્લાઇડર તોડીને ઘરમાં પ્રવેશીને સોના હીરાજડીત દાગીનાની ચોરી કરી હતી. આ મકાનમાં સીસીટીવી કેમેરા અને 24 કલાકનો ગાર્ડ રાખ્યો હોવા છતાંય આ બનાવ બનતા સ્થાનિક પોલીસના પેટ્રોલિંગના દાવા પણ પોકળ સાબિત થયા છે.

જોધપુર ગામ રોડ પરના મંગલદીપ એપાર્ટમેન્ટમાં રહેતા કમલેશકુમાર શાહના પિતરાઇ ભાઇનો પુત્ર સંકેત શાહ દુબઇ રહે છે અને સંકેતભાઇના માતા રંજનબેન તથા કાકી વર્ષાબેન પ્રેરણાતીર્થ બંગ્લોઝ વિ-2માં રહે છે. ગત તા.21 જુલાઇએ રંજનબેન પાલીતાણા ગયા હતા. જ્યારે 7 ઓગસ્ટે વર્ષાબેન અમેરિકા જવાના હોવાથી કમલેશકુમારને ઘરનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. તેવામાં વર્ષાબેનના ઘરે ડ્રાઇવર તરીકે કામ કરતા મહેશ ઠાકોરે કમલેશકુમારને ફોન કરીને તાત્કાલિક ઘરે આવવા જણાવ્યું હતું. કમલેશકુમાર ત્યાં પહોંચ્યા હતા ત્યારે 24 કલાક કામે હાજર રહેતો સિક્યોરિટી ગાર્ડ આકાશ તિવારી મળ્યો હતો. આકાશ તિવારીએ જણાવ્યું કે રાત્રે આઠ વાગ્યે નોકરી પર આવ્યો ત્યારે ઘરની અંદરના સીસીટીવીની ડિસ્પ્લે ચાલુ હતી પરંતુ કેમેરાની દિશા બદલાયેલી હતી. જેથી મકાનની આસપાસ તપાસ કરતા સ્લાઇડર તોડીને તસ્કરોએ પ્રવેશ કર્યો હોવાનું જણાયું હતું. કમલેશકુમારે ઘરમાં તપાસ કરતા તસ્કરો 27 ગ્રામની 1.20 લાખની મતાની સોના હીરાજડીત બંગડી ચોરી કરી ગયા હતા. જો કે મકાન માલિક બહારગામ હોવાથી તસ્કરો અન્ય કેટલા રૂપિયાની મતા ચોરી ગયા તે મામલે તપાસ કરવા પોલીસને જાણ કરાતા આનંદનગર પોલીસે ગુનો નોંધી સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે.


24 કલાક ગાર્ડ અને કેમેરા છતાં બંગલોમાંથી દાગીના ચોરાયા! તસ્કરો સોના હીરા જડિત બંગડી ચોરી ગયા

Related posts

ગુજરાત પોલીસ માટે ખુબજ દુઃખદ સમાચાર, રાજસ્થાનના જયપુર ખાતે મઘરાતે ગમખ્વાર અકસ્માતમાં ભાવનગરના 4 પોલીસ જવાનો સહીત 5 કરુણ મોત,

Ritesh Parmar

અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે અનુપમસિંહ ગેહલોત અને શમશેરસિંહનું નામ મોખરે, 30 એપ્રિલે નિવૃત થશે અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ

Ritesh Parmar

વડોદરામાં મહિલાએ નિર્માણાધિન બિલ્ડીંગ પરથી નીચે છલાંગ લગાવી આત્મહત્યા કરી! પરિવારજનોનો આંક્રન્દ, પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી

Ritesh Parmar

Leave a Comment