Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજકોટની પત્રકાર કોલોનીના બંધ મકાનમાથી ચડ્ડી ગેંગ 23 લાખ રોકડા અને 14 લાખના દાગીના લઈને રફુચક્કર,

રાજકોટની પત્રકાર કોલોનીના બંધ મકાનમાથી ચડ્ડી ગેંગ 23 લાખ રોકડા અને 14 લાખના દાગીના લઈને રફુચક્કર,

Our Visitor

009904
Total Users : 9904
Total views : 11591
Who's Online : 7

રાજકોટની પત્રકાર કોલોનીના બંધ મકાનમાથી ચડ્ડી ગેંગ 23 લાખ રોકડા અને 14 લાખના દાગીના લઈને રફુચક્કર,

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

રાજકોટ(ગુજરાત): સાતમ-આઠમની રજામાં રાજકોટના એરપોર્ટ રોડ પર આવેલી પત્રકાર સોસાયટીમાં એક બંધ મકાનને ચોરોએ નિશાન બની તેમાં ચોરી કરી હતી. બે દિવસથી ચોરો સાયકલ પર આવીને ઘરમાં ચોરી કરતા હતા. બંધ મકાનમાંથી ચોરોએ 23 લાખ રોકડા અને 14 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

હાલ પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

મળતી માહિતી મુજબ, સાતમ-આઠમના પર્વ પર રાજસ્થાનના ઉદયપુરમાં 28 ઓગસ્ટના રોજ બપોરના 3.30 વાગ્યે રાજકોટ શહેરના એરપોર્ટ રોડ પર પત્રકાર સોસાયટીમાં રહેતા અને શાપર-વેરાવળમાં ઇન્ડસ્ટ્રી ધરાવતા કારખાનેદાર મોહસીનભાઈ પટેલ પરિવાર સાથે ફરવા માટે ગયા હતા. તે દરમિયાન રાજકોટ ગઈકાલે રાત્રિના 12.15 વાગ્યે પરત ઘરે આવ્યા હતા. તે દરમિયાન સવારના સમયે ઘરમાં ચોરી થયાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસને આ અંગે જાણ કરી હતી.

આ અંગે CCTV ફૂટેજમાં ચડ્ડી પહેરી સાયકલ પર સવાર એક વ્યક્તિ અને તેની સાથે ચાલીને આવતો એક વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે પીડિતની ફરિયાદી પરથી ગુનો નોંધી આરોપીને પકડવા માટે તપાસ શરુ કરી છે. ચોરોએ 23 લાખ રોકડા તેમજ 14 લાખની કિંમતના દાગીના ચોરી ગયાનું જાણવા મળ્યું છે.


રાજકોટની પત્રકાર કોલોનીના બંધ મકાનમાથી ચડ્ડી ગેંગ 23 લાખ રોકડા અને 14 લાખના દાગીના લઈને રફુચક્કર,

Related posts

ખુરશીના અહંકાર અને રૂપીયાના લોભમાં લાંચિયા પોલીસકર્મીઓ ૧ લાખની લાંચ લેતા ઝડપાયા!પાનોલીના 3 ભ્રષ્ટ પોલીસકર્મીઓ ACB ના સંકજામાં

Ritesh Parmar

ડેરા સચ્ચા સૌદાના 74માં સ્થાપના મહિનાની ઉજવણી માનવતાવાદી કાર્યો કરીને કરાઈ,અનુયાયીઓ દ્વારા સેવાકીય કાર્યો કરાયા,આધ્યાત્મિક સ્થાપના મહિનો અમદાવાદમાં નિર્દોષ પક્ષીઓને સમર્પિત કરવામાં આવ્યો હતો,ગરીબ લોકોને અનાજની કીટનો વિતરણ કરાયો

Ritesh Parmar

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આજે નરોડા ઓવરબ્રિજને સંત શિરોમણી રોહિદાસ બ્રિજ નામ આપવા ચાલતા આંદોલનને સમર્થન જાહેર કરવામાં આવ્યું.

Ritesh Parmar

Leave a Comment