Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરતના અડાજણમાં ડીજીવીસીએલની જીવતા બોમ્બ સમાન ડીપીથી દુર્ઘટના સર્જાશે તો તંત્ર સંપૂર્ણપણે જવાબદાર રહેશે: જીગ્નેશ મોદી

સુરતના અડાજણમાં ડીજીવીસીએલની જીવતા બોમ્બ સમાન ડીપીથી દુર્ઘટના સર્જાશે તો તંત્ર સંપૂર્ણપણે જવાબદાર રહેશે: જીગ્નેશ મોદી

Our Visitor

003003
Total Users : 3003
Total views : 3680
Who's Online : 0

સુરતના અડાજણમાં ડીજીવીસીએલની જીવતા બોમ્બ સમાન ડીપીથી દુર્ઘટના સર્જાશે તો તંત્ર સંપૂર્ણપણે જવાબદાર રહેશે: જીગ્નેશ મોદી

સુરતના અડાજણ વિસ્તારમાં જીવતા બોમ્બ સમાન ડીજીવીસીએલને હટાવવાને લઈને તંત્ર મગના નામે મરી પાડી નથી રહ્યું. કોંગ્રેસના સ્થાનિક નેતા જીગ્નેશ મોદીએ આ અંગે ડીજીવીસીએલ કચેરી અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરી હોવા છતાં તંત્ર દ્વારા ડીપી ખસેડવાને લઈને ભૈદી મોન સેવાયુ છે. ડીજીવીસીએલ ની આ ડીપીને કારણે પણ સમયે તે દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે છતાં ડીજીવીસીએલની ડીપીને હટાવવા કોઈ જ પગલાં લેવાતા નથી. dgvcl ની આડીપી હટાવવા માટે કોંગ્રેસ નેતા જીગ્નેશ મોદી આવે છેક સુધી લડી લેવાની તૈયારી કરી લીધી છે ટૂંક સમયમાં જો આ ડીપી નહીં હટાવવામાં આવે તો જીગ્નેશ મોદી ગાંધીજી માર્ગે આંદોલન પણ કરશે.

સુરત જિલ્લા કોંગ્રેસના મંત્રી જીગ્નેશ મોદી ડીજીવીસીએલ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહી થી રોષે ભરાયા..

સુરતના અડાજણમાં પટેલ ડેરીની પાસે સુમેરુ રેસીડેન્સીની બાજુમાં સીમંદર કેમ્પસ નજીક ડીજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન માટે મહાકાય જીવતા જાગતા બોમ્બ સમાન ડીપી લગાવવામાં આવેલી છે. રહેણાંક વિસ્તારમાં લગાવેલી આ મસ્ત મોટી ડીપીને કારણે કોઈપણ મોટી ઘટના બની શકે છે. ડીજીવીસીએલ ની આ ડીપી ની પાસે 10 થી 15 જેટલી શાકભાજીની લારીઓ પણ ઉભી રહે છે આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકોની અવરજવર પણ હોય છે. આ જાહેર માર્ગ પરથી દિવસ દરમિયાન હજારો લોકો પસાર થતા હોય છે..

ડીજીવીસીએલની આ બોમ્બ સમાન જીવતી પેટીને ખસેડવા માટે સ્થાનિક નેતા જીગ્નેશ મોદીએ મુહિમ છેડી છે.. કોંગ્રેસ નેતા જીગ્નેશ મોદીએ dgvcl ની ઓમ સમાન આ પેટીને ખસેડવા માટે ડીજીવીસીએલના અધિકારી અને એસએમસીના અધિકારીને રજૂઆત કરી હતી. કોંગ્રેસ નેતા જીગ્નેશ મોદીની રજૂઆત બાદ પણ ડીપી હટાવવા ને લઈને હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. તા જીગ્નેશ મોદીએ આ અંગે રજૂઆત કર્યા ને અનેક દિવસો થઈ ગયા હોવા છતાં ડીજીવીસીએલ કે એસએમસી દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી.

એક ઇલેક્ટ્રીશનના જણાવ્યા અનુસાર રહેણાંક વિસ્તારમાં આવી ડીપી ખૂબ જ ભયજનક હોય છે. ડીજીવીસીએલે આ ડીપીને તાત્કાલિક ધોરણે રહેણાંક વિસ્તારમાંથી હટાવી લેવી જોઈએ.. નહીં તો કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. જ્યારે આ અંગે ડીજીવીસીએલના એક નિવૃત્ત કર્મચારીએ જણાવ્યું હતું કે ડીજીવીસીએલએ તાબડતોબ આ ડીપી ને હટાવી લેવી જોઈએ અને કોઈ દુર્ઘટના ન સર્જાય તેની પૂરી તકેદારી રાખવી જોઈએ. ડીજીવીસીએલ ના અધિકારીઓએ ડીપી બદલવાના સ્થળને લઈને જગ્યા માટેની સમસ્યા હોય તો તાત્કાલિક ધોરણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે મીટીંગ કરીને જગ્યા નક્કી કરીને ડીપી બદલવી જોઈએ.


સુરતના અડાજણમાં ડીજીવીસીએલની જીવતા બોમ્બ સમાન ડીપીથી દુર્ઘટના સર્જાશે તો તંત્ર સંપૂર્ણપણે જવાબદાર રહેશે: જીગ્નેશ મોદી

Related posts

ગુજરાતમાં વધુ એક બ્રિજમા પડ્યા ગાબડાં! સુરતના ઓલપાડ ખાતેના ગોથાણ બ્રિજ ઉપર ગાબડાં તેમજ સ્લેબના સળિયા દેખાયા, કોંગ્રેસના નેતા દર્શન નાયકે લખ્યો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર, ભ્રષ્ટાચારીઓ સામે ભરો પગલા

Phone: 9998685264.

યુક્રેન સરકારને નડ્યું પોતાનું જ અભદ્ર વર્તન, મહાકાળી માતાનો વાંધાજનક ફોટો શેર કરી માંગવી પડી માફી

Phone: 9998685264.

ભાવનગર/ સૌથી પવિત્ર સંબંધનું ખૂન, સિહોરમાં પિતાએ પોતાની દીકરીની સામાન્ય બાબતની બોલાચાલીમાં લોખંડના દસ્તાના ઘા મારી હત્યાં કરી નાખી

Phone: 9998685264.

Leave a Comment