
ચૂંટણી અનુસંધાનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સુરત ઓલપાડ વિધાનસભા સીટ ઉપરના પ્રબળ સંભવિત ઉમેદવાર દર્શનભાઈ નાયક છેલ્લા ચાર મહિનાથી ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ સાથે ખુબજ ઝૂઝારું અને મક્કમતા સાથે સમગ્ર ઓલપાડ વિસ્તારમાં કોંગ્રેસ વિચારધારાના વચનોની પત્રિકા અને ડોર ટુ ડોર જનસંપર્ક કરી લોકોને પડતી મુશ્કેલીયો અને તેમના પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવા રાત દિવસ મહેનત કરી રહ્યા છે. અને તેમના આ અથાગ પ્રયાસોના કારણે ઓલપાડમાં ઘણી બધી સમસ્યાઓનું નિવારણ પણ થયું છે. હાલ દર્શનભાઈ નાયક ઓલપાડની જનતા માટે લોકપ્રિય આગેવાન અને નેતા તરીકે ઉભરી આવ્યા છે. અને ત્યાંના લોકો પણ દર્શનભાઈ નાયકને ચૂંટણીમાં જીત અપાવવા કટીબદ્દ બન્યા છે.


આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન ભાઈ નાયકની આગેવાની માં ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 155- ઓલપાડ વિધાનસભા માં સમાવિસ્ત ટકારમા અને દેલાસા ગામ ખાતે પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના મુજબ રાહુલ ગાંધીજી ના ગુજરાત ની જનતાને આપેલા આઠ વચનોની પત્રિકાનું વિતરણ અને ડોર ટુ ડોર જનસંપર્ક કરવામાં આવ્યો .આ પ્રસંગે ઓલપાડ તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ જ્યેન્દ્રભાઈ દેસાઈ અને યુવાનો સહિત કૉંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.






Total Users : 9769
Total views : 11438
Who's Online : 0